SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૧૫ થઈ, ભ્રષ્ટ થઈ નરકગતિને પ્રાપ્ત કરશે. (અર્થાત્ તપ-જપ આદિ કરવા છતા મુનિવરને માથે બળાત્કારે નરકગતિ આવી પડશે.) ૧૫૧. તેથી હે પ્રિય ! પાપારંભથી વિલાસ પામતો છે સંકલેશ જેમાં, દુ:ખના વાસવાળા, ઘણાં છળવાળા એવા ઘરવાસને યાદ કરીને, જિનમાર્ગને સ્વીકારીને દુર્ગતિના પ્રવાહને ભાંગીને ચિત્તને અજરામરપુર ગમનમાં ઉત્કંઠિત કરો. (૧૫) હે પ્રિય ! જો તું મદિરાદિમાં તારી મતિને મોકળી રાખીશ તો (અર્થાત્ તારી મતિ ભોગ સુખમાં આસક્ત બનશે તો) નહીં જણાયેલ યમના સૈન્યની ઘાટી આજે કે કાલે ત્રાટકશે. (૧૫૩) હવે પત્નીને વિરાગવાળી, વિષયથી વિરક્ત, સ્વજન વિશે નિરાગી, અત્યંત ધર્મના અનુરાગમાં પરવશાલીન) થયેલી જાણીને, હવે કોઈપણ ઉપાયથી સંસારની રાગી થશે નહી એમ જાણીને સરળ આંગળીના નખ રૂપી શુક્તિના અગ્રભાગથી લુંછાયો છે આંસુનો પ્રવાહ જેના વડે એવો રાજા શોકના ઉદ્દગમથી ગદ્ગદ્ થયેલી વાણીથી પુષ્પચૂલા પ્રિયાને કહે છે કે જો તું પરઘરમાં ભિક્ષા ગ્રહણ કરે તો મને લજ્જા થાય છે તેથી જો તું મારા અંત:પુરમાં ભિક્ષા માટે ફરે તો હું તને રજા આપું છું. પુષ્પચૂલાએ કહ્યું કે તેમજ થાઓ. (અર્થાતુ તે પ્રમાણે કરીશ.) પછી રાજા કહે છે કે વ્રત સિવાય (અર્થાત્ દીક્ષા લેવા સિવાય) જે કંઈ બીજું મારે કરવા યોગ્ય હોય તે મને કહે. (૧૫૪-૧૫-૧૫૭-૧૫૭). પછી પ્રિયા કહે છે કે હે નાથ ! ત્યાં સુધી પ્રથમ ગુરુની પાસે સમ્યક્તને ગ્રહણ કરો અને પછી જીવદયા છે મૂળ જેનું એવા ગૃહસ્થના વ્રતોને ગ્રહણ કરે છે. કેમકે કહેવાયું છે કે સુપાત્રમાં પ્રદાન, ગુરુ-દેવનું અર્ચન (પૂજન), બ્રહ્મચર્યનું પાલન, સત્યવ્રત, પરધનનો ત્યાગ, નિર્મમત્વ, તપ-ચરણ, મન અને ઇન્દ્રિયનું દમન જે છે તે સર્વ અહિંસા ધર્મના સાધનો (કારણો) છે. (૧૫૯) જે જીવદયાને મૂકતો નથી, સત્યવાણી બોલે છે, જે પરધન, પરસ્ત્રીને સરાગથી જોતો નથી, જો લોભરૂપી મહાગ્રહથી ગ્રસિત છતાં પોતાને ઠગતો નથી અર્થાત્ જે વિશેષ લોભી નથી તે ભયંકર ભવરૂપી સમુદ્રને લીલાથી તરે છે. (૧૧૦). એ પ્રમાણે પ્રિયાની સારી બોધ-પ્રદ વાણીને સાંભળીને તે પુષ્પચૂલાને અર્ણિકાપુત્ર આચાર્યની પાસે મોટી વિભૂતિથી દીક્ષા અપાવે છે. સ્વયં સમ્યક્તથી સહિત ગૃહસ્થના વ્રતો સ્વીકારે છે. પછી પુષ્પચૂલા સાધ્વી પ્રવર્તિનીની પાસે વ્રતની આરાધના કરે છે. (૧૭૧-૧૭૨). પછી કોઈ વખત અર્ણિકાપુત્ર આચાર્ય પોતાના જ્ઞાનથી દુર્મિક્ષને જાણીને ત્યાં આવીને રહ્યા. પછી ક્ષીણ થયેલ જંઘાબળવાળા આચાર્ય પોતે એકલા રહીને કરુણાથી ગચ્છને અન્યત્ર વિહાર કરાવે છે અને દુષ્કાળ પડ્યો ત્યારે ઘણું ભમવા અસમર્થ આચાર્ય પુષ્પચૂલાએ લાવી આપેલા ભોજનપાણીનો ઉપયોગ કરે છે. પછી કોઈક વખત દુષ્કર ચારિત્ર અને તપને કરતા વિશુદ્ધભાવથી ગુરુની વૈયાવચ્ચ કરતા તે પુષ્પચૂલા સાધ્વીને લોકાલોકને પ્રકટ કરનારું કેવળજ્ઞાન થયું. પછી જે જે ગુરુને પ્રાયોગ્ય અને મન ઇચ્છિત ભોજનપાન છે તે તે તેને પોતાના જ્ઞાનથી જાણીને લાવી આપે છે.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy