SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૧૨૩ પરસ્ત્રી પર દૃષ્ટિ ન કરો, પરિગ્રહથી મન પાછું વાળો, સુરા (મદિરા)- મધ અને માંસ ભક્ષણનો ત્યાગ કરો જેથી સ્થિર સુખને પ્રાપ્ત કરો. (૧૨૫-૧૨૭) હવે અતિ અદ્ભૂત વચનથી ઉત્પન્ન થયેલ શોક અને પ્રમોદથી ચંચળ થયું છે મન જેનું, વિષય સુખોમાં શિથિલ થયો છે રાગ જેનો એવો રાજા પણ સ્પષ્ટ શબ્દથી કહે છે, (૧૨૭). હે પ્રસૃતાક્ષી ! ભવસાગરમાં લક્ષ્મી અને સર્જનના સુખવાળો એવો સુંદર મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે એમ જાણીને, જિનભાષિત ધર્મને છોડીને બીજો કોઈ ધર્મ નથી એમ જાણીને, મનુષ્ય જન્મ મેળવીને પણ ધર્મ વિના મળેલ મનુષ્ય જન્મ સુનિરર્થક છે એમ મતિમાં માનીને પણ તે તરુણહરિણાક્ષી ! લક્ષ્મીનો વૈભવ ચલ છે, સેંકડો વર રૂપી ઘુણના (કીડાના) વ્રણથી જર્જરિત દેહબળ નાશ પામે છે તેથી રાજ્ય લક્ષ્મી માણો, વિષય સુખનું સેવન કરો, શું અબુધ (ડાહ્યો માણસ) નહીં જોવાયેલ કારણમાં જોવાયેલ કારણનો ત્યાગ કરે ? અર્થાત્ નહીં મળેલી વસ્તુ માટે મળેલી વસ્તુનો કોણ ત્યાગ કરે ? તેથી હે મૃગાક્ષી ! વિષયસુખને ભોગવશું, ધર્મનો કાળ ઉત્તરાવસ્થા છે. હે મુગ્ધા ! અધુવની શંકાથી (પરલોકમાં મળશે કે નહીં તેવી શંકાથી) ધ્રુવનો (વર્તમાન ભવમાં મળેલી લક્ષ્મી આદિનો) કોણ ત્યાગ કરે ? પછી પુષ્પચૂલા દાંતમાંથી ઊગેલ (નીકળેલા) કિરણ રૂપી કુસુમની શોભાથી વિભૂષિત કરાયેલ મુખની શોભાવામાં કંઈક શિથિલ થયો છે આગ્રહ જેનો એવા રાજાને પ્રતિકૂળ પણ કહે છે કે- (૧૨૮-૧૩૧) હે પ્રિય ! જો રોગ રૂપી ભુજંગ (સાપ) અકાળે કોળીયા કરે નહીં, જો યમરાજાના કાર્યના નિવારણમાં કોઈપણ ક્રિયા (ઉપાય) હોય તો રાજલક્ષ્મીને માણો અને વિષય સુખનું સેવન કરો નહીંતર હે નાથ ! તમે હાંસીને પાત્ર થશો એમ જાણવું. (૧૩૨) અને તે સ્વામિનું ! એ પણ જાણવું કે પ્રચંડ યમદંડ સર્વનો પરાભવ કરે છે, ભલે વિરસ પડતો હોય તો પણ મૃત્યુ સર્વ છોડાવી દે છે, ત્યારે દુર્લભ અને દુષ્કર રાજ્યલક્ષ્મી છોડાય છે, દુ:ખે કરીને મેળવી શકાય, વલ્લભ અને સુંદર પણ પત્ની છોડાય છે. (૧૩૩) કૂવાની અંદર ઘાસના સ્તંભ પર લટકેલ નરાધમના મસ્તક પર પડતા મધના ટીપાંના આસ્વાદ સમાન નિસ્સાર વિષયસુખના કારણે માથા પર પડતા દારુણ દુ:ખોના ઘણને માણસો કેમ ગણકારતા નથી ? (૧૩૪) - જેમ વરાકડો કાગડો આહારના પિંડને જુએ છે પણ લાકડીના પ્રહારને જોતો નથી તેમ વિષયસુખથી મોહિત મનવાળો જીવ વર્તમાનના ક્ષણિક વિષયસુખને જુવે છે પણ ભવિષ્યમાં આવનારા તીણ નરકના દુ:ખોને જોતો નથી. (૧૩૫). ઘાસના અગ્ર ભાગ પર રહેલ પાણીના ટીપાં જેવા અલ્પ વિષયસુખના કારણે હિમગિરિ જેવા હજારો દુ:ખોને માથા પર પડતા જોતો નથી. (૧૩૭) અને હે પ્રિય ! વળી તમે જે કહ્યું કે નહીં મળેલા સુખને માટે મળેલા સુખનો ત્યાગ કોણ કરે ? તે પણ અયુક્ત છે કેમકે કારણને અનુસારે ધર્મનું ફળ દેખાય છે. (૧૩૭). સુકુલમાં જન્મ, પ્રિયનો સંગમ, સૌભાગ્ય, આરોગ્ય, સંપદા વગેરે જે વિશિષ્ટ પ્રકારના ધર્મના ફળો છે તે શું હે રાજનું ! આપના વડે નથી જોવાયા ? (૧૩૮) તમે જે સુખની સામગ્રી-સંપત્તિ-ઘર-સ્ત્રી-મિત્રો-રતિસુખને માણો (અનુભવો) છો તે પણ ક્ષણ દૃષ્ટ
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy