SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ક્યારેક પોતાના ચરણ રૂપી કમળની રજથી પવિત્ર કરાયેલ ભૂમિવાળા વનમાં આપણને મૂકીને મુનિ અન્યત્ર ગયા. મુનિથી મુકાયેલ, ઉત્પન્ન થયો છે ભય જેઓને એવા આપણને દરિદ્ર જાણીને પ્રલયકાળ જેવા ઉનાળાએ આપણો પરાભવ કર્યો. (૧૧) તે વનમાં સૂર્યના કિરણોથી પ્રદીપ્ત થયેલ ગરમીવાળા ઉનાળામાં તૃષ્ણાથી આપણે પીડાયા, ક્ષત્રિય મનુષ્યો વનમાં શિકાર માટે આવવાની સંભાવનાના ભયની શંકાથી આપણે દુ:ખી થયા. સુકાઈ ગયું છે તાળવું, ગળું અને કંઠ જેના, ગળે પ્રાણ આવી ગયા છે જેના એવા આપણે પર્વતની પરિસરમાં પરિભ્રમણ કરી થાકીને ખિન્ન થયા. (૧૧૭) ક્યાંક ક્રોધિત સિંહના નહોરના ચપેટાના ચટકાવાળા થયા, ક્યાંક દાવાનળની જ્વાળાઓની શ્રેણીઓની ઝલકથી દાઝયા, ક્યાંક સત્તેજ (ચપળ) ભિલ્લોના ભાલાના મુખથી વીંધાતા બચી ગયા, ક્યાંક વાઘના મોટા કઠોર ચપેટાથી ચુક્યા. (૧૧૮) ક્યાંક વધતી પિપાસાવાળા મૃગતૃષ્ણાની (ઝાંઝવાના જળની) મતિથી નચાવાયા. હે નાથ ! એ રીતે જળને શોધવાના મનવાળા આપણે કેટલોક કાળ સાથે ભમ્યા. (૧૧૯). તેટલામાં ભમતા એવા આપણાવડે ગિરિતટની નજીકના માર્ગમાં રહેલ ઘણાં કાદવથી યુક્ત એવું નિર્ઝરણાનું પાણી જોવાયું. તેને જોઈને આપણા બંનેના મનમાં વિચારાયું કે આટલું પાણી આપણામાંથી એકને પણ પુરું થશે નહીં. (૧૨૦). પછી પ્રિયાના ગાઢ સ્નેહવાળો હરણ આદર કરીને કહે છે કે હે કૃશોદરી! તું પાણી પી, મારે પાણી - પીવાની ઇચ્છા નથી. તનુજંગી હરણી પણ આવા જ વચન બોલે છે કે તું પાણી પી, મારે પાણી પીવાની ઇચ્છા નથી કેમકે સુંદર રાગવાળા પ્રેમીઓની આ ગતિ હોય છે. (૧૨૧) એમ ફરી કહીને બેમાંથી એકપણ પાણી પીતા નથી, કઈ સ્ત્રીઓને વિશે કોને શરીરને સંતાપ કરનારો સ્નેહ ન હોય ? સમાન ચિત્તવાળા (બંને પાણી નહીં પીવાના એક વિચારવાળા) પાણીમાં મસ્તક નમાવીને બંને પણ ડૂબાળેલ મુખથી લાંબો સમય સુધી રહે છે તેટલામાં હરણ હરણી માટે અને હરણી હરણ માટે પીણી પીતા નથી પછી થોડા પાણીમાં ડૂબાળેલા મુખવાળા બંને પણ સાથે મર્યા. (૧૨૨) – (૧૨૩) [બે સખી જંગલમાં લાકડા વીણવા ગઈ. તેમણે આ પ્રસંગ જોયો. એક સખીએ બીજી સખીને કાવ્યની ભાષામાં પુછયું કે - હું પૂછું તુ જ પંડિત કુણ વિધ છૂટા પ્રાણ. બીજી સખીએ પણ કાવ્યની ભાષામાં જવાબ આપ્યો કેજળ થોડો સ્નેહ ઘણો, લગો પ્રેમકો બાણ, તું પી તું પી કરત હી, ઈણ વિધ છૂટા પ્રાણ.. ત્યારે પણ મહર્ષિ વડે આપણને કહેવાયું હતું કે મરીને પછીના ભવમાં તમે રાજાના ઘરે યુગલપણે ઉત્પન્ન થશો. (૧૨૩) તેથી પોતાના કર્મ અને ધર્મથી પ્રેરાયેલા તે ભવમાંથી નીકળેલા એવા આપણે આ રમ્ય મનુષ્યભવમાં ઉત્પન્ન થયા. તેથી જો તમે મૃગયુગલના તે ભ્રમણને યાદ કરો છો તથા જો પાપને હરનાર મુનિવચનને યાદ કરો છો તો - અપરાધથી રહિત એવા દીન જીવોને હણો નહીં, અલીક (અસત્ય) વચનનો ત્યાગ કરો, પરસ્ત્રીનો ત્યાગ કરો,
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy