________________
૧૨૦
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
(ગિચઝાડી)નું એક સ્થાન છે જે હાથીઓ વડે સૂંઢથી મરડાયેલા ચંદનના વૃક્ષમાંથી નીકળતા રસના સુગંધથી શુભ છે જેમાં મોટા શિખરો વડે સૂર્યના રથના શ્રેષ્ઠ ઘોડાઓ દૂર કરાયા છે. (અર્થાત્ સૂર્યના કિરણો ત્યાં પ્રવેશી શકતા નથી.) (૯૩).
જેના રમવનની અંદર સુવર્ણકાંતિવાળા મૃગો ચરે છે, જે સુર અને વિદ્યાધરો વડે સેવાયેલ છે, જે સુવર્ણમય છે જે નર્મદા નદીથી આલિંગિત કરાયેલ છે. જે ઊંચાઈ ગુણથી યુક્ત છે (અર્થાતુ પર્વત ઊંચો છે) જેમાં સારા પુરુષો વસે છે જે કલકલ બોલતા પક્ષીઓથી સમાગુલ છે. (૯૪)
જે વિંધ્યાચલ પર્વત બરફરૂપી સ્તનના ભારથી આલિંગિત છે, જે મનુષ્ય અને દેવોથી શોભિત છે. જેમાં વનમાં હાથીઓ ક્રીડા કરે છે, હંમેશા દીપ્તિમાન શતાવરી વૃક્ષોથી યુક્ત છે, જેમાં દેવો પર મત્સરને ધરનાર બિહામણો અહિરાવણ નામનો પૌરાણિક રાક્ષસ છે. (૫)
તે વિંધ્યાચલ પર્વતમાં પ્રતિષ્ઠિત (પ્રસિદ્ધ) મૃગના યુથનો કોઈક સમૂહ વસે છે જે સ્વચ્છેદે ભમતા મદાંધમૃગોથી યુક્ત છે તે સમૂહમાં તરુણ હરણ હરણીઓના સેંકડો સંકુલો છે. તે સમૂહ કૂટિલ અને ઊંચા શિંગડાના અગ્રભાગવાળા હરણાઓથી અધિષ્ઠિત છે. (૯૬).
પરસ્પર સ્નેહથી બંધાયેલ મનવાળા, વિરહવેદનાને નહીં અનુભવનારા, સુસંગત અને સરળ શરીરવાળા, પોતાના સતત રતિ સુખના રસથી તિરસ્કાર કરાયા છે સુર યુગલો જેના વડે, ઘાસ પાણીમાં સંતોષ ધરનારા એવા મૃગ યુગલોનો સમૂહ વસે છે. (૯૭)
હૃદયની અંદર ભરેલા રક્ષણના ભાવવાળા અને પરસ્પર સ્નેહથી બંધાયેલા એવા આપણે હે નાથ ! ભવાંતરમાં મૃગના ભવમાં હતા. (૯૮)
તે ભવમાં પરસ્પરની દૃષ્ટિથી આંખોને સુખ ઉપજાવતું, નવા નવા પ્રેમરસથી સન્મુખ રહેલું, પ્રત્યક્ષ મનના સુખવાળું, પોતાના પ્રેમ અને સૌભાગ્યથી તિરસ્કૃત કરાયું છે જગત જેના વડે, એવું હરણનું યુગલ સરોવર અને કમળવનમાં રહેલ હંસોની જેમ વનમાં કાળને પસાર કરે છે. (૯૯)
હે નાથ !તે ભવમાં કરેલા કિલકિલાવોને, સરળ (સીધા) કમળોને, શિશિર ઋતુઓને, નદી અને વનોને, વનના અંગ રક્ષકોનું અડધુ-પડધું-સૂવું અને જાગવું તથા પ્રિયના સ્પર્શની પિપાસાથી ઉત્પન્ન થયેલ બમણાં રોમાંચને હું આજે પણ યાદ કરું છું. (૧૦૦)
પછી કોઈક વખત શ્રેષ્ઠકાંતિથી ઉદ્યોદિત કરાયું છે આકાશ જેના વડે, ચાલતા ચરણના નખના કિરણોથી પલ્લવિત કરાયું છે સંપૂર્ણ વન જેનાવડે, લાલકમળ જેવા ચરણોથી પૃથ્વીને શોભાવતા કોઈ મહર્ષિ વિંધ્યભૂમિમાં આવીને રહ્યા. (૧૦૧).
પ્રકૃષ્ટ શરીરવાળા, તપથી પાતળું થયું છે શરીર જેનું, કામદેવ રૂપી પતંગીયાની આહુતિ સમાન, ઉપશમરસ રૂપી સૂર્યના તેજથી દૂર કરાયું છે અજ્ઞાન રૂપી અંધકારનું પટલ જેનાવડે તથા વિકટ કંદર્પના અભિમાનને નાશ કરવામાં સુભટ સમાન, વિશેષ પ્રકારના તપોથી ચામડી અને હાડકાં બાકી રહ્યા છે તેવા શરીરવાળા તથા ઇન્દ્રિયરૂપી સૈનિકના વિગ્રહના ખંડનથી મેળવાયો છે યશ જેના વડે, નિર્મળ મણિશિલાની પીઠ પર બેઠેલા એવા મુનિ વિસ્મયરસથી સ્નિગ્ધ દૃષ્ટિવાળી, હર્ષ રસથી ભરેલી આંખોથી આપણાવડે જોવાયા. (૧૦૨-૧૦૩)