________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૧૧૯
અને જો તમારા જેવા પુરુષો પણ ધૈર્યને સ્પર્શીને (પામીને) જીભના રસાસ્વાદમાં લોલુપી થઈ નિષ્કરુણ કાર્યોને કરે છે તો તેઓનું પ્રાપ્ત કરેલ રાજર્ષિનું બિરુદ પશુપુત્ર સમાન છે તેથી તમારું રાજ્યનું રખેવાળપણું ઊંડા સરોવ૨માં ડૂબો. (૮૧)
દાન અને ૨ક્ષણ ક૨વામાં સમર્થ એવા ઉત્તમ હાથો પણ દીનો વિશે પ્રસરતા અર્થાત્ દીનોનું ઝૂંટવી લેવા પ્રવૃત્ત થયેલા અને પોતાના પેટ ભરવા પ્રવૃત્ત થયેલા હોય તો લઘુતાને પામે છે. (૮૨)
સિંહ જેવા શ્રેષ્ઠ મનુષ્યભવને પામીને પણ પશુઓને વિશે રક્ષણની મર્યાદાનો લોપ કરે છે અને પેટ કર્મમાં પ્રવૃત્ત થયેલા જીવો ઉપર જે હાથ ચલાવે છે તેને ધિક્કાર થાઓ. (૮૩)
હરણીયાઓ વનસ્પતિના અંકુરો ચરે છે, વનમાં ભમે છે, નદી અને સરોવરમાંથી માલિકી વિનાના પાણી પીએ છે તો પણ કરુણાપાત્ર એવા હ૨ણીયાઓ નિષ્કરુણ પુરુષવડે હણાય છે. ગુણથી રહિત એવો અવિવેકી લોક કોમળ જીવોનું રક્ષણ કરતો નથી તે દુ:ખદ છે. (૮૪)
ધીરપુરુષો કષ્ટથી ઉપાર્જન કરેલ ધન બીજાને સંતોષ અને સુખી કરે એ આશાથી આપે છે તો પછી મોક્ષને આપનારા શ્રેષ્ઠ અને મહાનંતપની શું વાત કરવી ? (૮૫)
જો કોઈ મનુષ્ય મરતાને ક્રોડ સુવર્ણ આપે અથવા બીજો કોઈ દયાળુ મરતાને જીવન આપે તો સુવિશ્વસ્થ મતિવાળો (સારી રીતે વિશ્વાસવાળી થઈ છે મતિ જેની) જીવ ક્રોડ સુવર્ણને છોડીને જીવનને સ્વીકારે છે કેમકે હે નાથ ! સર્વ જીવોને જીવન પ્રિય છે, જીવન મહાકિંમતી છે. (૮૬)
જો તમે સારા આરોગ્યને અને લાંબા આયુષ્યને ઇચ્છો છો અને હે પ્રિય ! જો તમે સ્થિર વિસ્તૃત રાજ્યલક્ષ્મીને ઇચ્છો છો, જો તમે ભુવનમાં શ્રેષ્ઠ કામદેવ સમાન શરીરને ઇચ્છો છો તો હે પ્રિય ! જીવોને શ્રેષ્ઠ અભયદાન આપવું જોઈએ. (૮૭)
જો તમે હ૨ણના ભવમાં વનમાં ભયસહિત બચતા બચતા કરેલા ભ્રમણને યાદ કરો છો, જો તમે હરણના ભવમાં સરસ ક્રીડાઓને યાદ કરો છો તથા હે નાથ ! જો તમે મધુર એવા મુનિવચનોને યાદ કરો છો તો મધ અને માંસ ભક્ષણનો ત્યાગ કરીને જીવો પર દયા કરો. (૮૮)
અશુચિઓથી યુક્ત એવા માંસનો આહાર ન કરો, દુર્લભ મનુષ્ય જન્મને ન હારો, જે મનુષ્ય સુરા (દારૂ), મધ અને માંસને જોતો નથી (અર્થાત્ ખાતો નથી) તે હે પ્રિય ! નરકના દરવાજાને જોતો નથી. અર્થાત્ નરકમાં જતો નથી.(૮૯)
પછી અપૂર્વ સંલાપથી ઉત્પન્ન થઈ છે શંકા જેને એવો તે રાજા કહે છે કે અહો ! હે સુતનું ! તારાવડે આ અપૂર્વ નાટક કેવી રીતે રચાયું ? (૯૦)
પછી કંઈક હસતા સ્ફુરાયમાન થતા દાંતના કિરણોની આછી પીળાશને ધારણ કરતી, જાતિ સ્મરણથી ઉત્પન્ન થયેલ ઉદાસીનતાથી કંપતી આંખને જોતી એવી પુષ્પચૂલા કહે છે કે (૯૧)
પૂર્વે કરાયેલા પોતાના કર્મરૂપી છીપના ઘરમાં પડીને આપણાવડે પણ સંસારરૂપી કપાટના નાટકને ઘડીને (રચીને) હરણના યુગલને જોઈને, મૃગીને યાદ કરીને હે નાથ ! જાતિસ્મરણથી જે નાટક જોયું છે તેને હું કહું છું. (૯૨)
આ પૃથ્વી મડંલપર પૃથ્વી મંડળના તિલક સમાન વિંધ્યાચલ પર્વત છે જેનો મધ્યભાગ રમણીય છે જે નિકુંજ