________________
૧૧૮
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
પછી પુષ્પ ચૂલા કહે છે કે હે નાથ ! ક્ષણમાં બતાવાયા છે દેવલોકના વૈભવના વિસ્તારો જેના વડે અને ક્ષણમાં બતાવાય છે શૂન્ય અરણ્યના વિ૨સ દૃશ્યો જેના વડે એવા તે કર્મરૂપી ઇન્દ્રજાળના વિલાસોને જોઈને તથા હે સુભગ ! જાણે હૈયામાં આલેખાયેલ હોય તેમ ચિત્રમાં આલેખાયેલ મૃગમિથુનને જોઈને મને આ જાતિસ્મરણજ્ઞાન થયું છે તેથી હું તેને કહું છું. (૬૮)
અથવા હે નાથ ! પરના દુ:ખોથી દુ:ખી થયું છે મન જેનું એવી હું જ્યાં સુધી ભુવનમાં આશ્ચર્ય કરનાર પોતાના ચરિત્રને ન કહું ત્યાં સુધીમાં આપને પૂછું છું કે - (૬૯)
હે નાથ ! ભવિષ્યમાં પરિગ્રહની ચિંતા નથી જેને, તૃણ અને જળમાં લુબ્ધ, પર અપરાધથી રહિત, દીન, મુગ્ધ કસાયના વાડામાં પૂરાયેલા, સ્વભાવથી મુગ્ધ એવા મૃગયુગલો કેમ હણાય છે ? (૭૦)
પછી રાજા તેને કહે છે કે હે મૃગપોતાક્ષી* ! હે પ્રિયે ! માંસરસ પ્રિય છે જેઓને એવા જીવો વડે આહારને માટે આ મૃગો હણાય છે. હવે પરના દુઃખરૂપી વજ્રના પડવાથી કંપતો છે હાથી રૂપી અંકુરો જેનો, કરુણા રૂપી અમૃતરસથી સરસ થયું છે મન જેનું એવી તે બાળા (પુષ્પચૂલા) સ્પષ્ટ અક્ષરે કહે છે કે (૭૨).
અરે રે ! હે નાથ ! તમારા ચક્ર, વજ્ર અને કમળના ચિહ્નવાળા હાથો મરણના ભયવાળા જીવોના હૈયાને આશ્વાસન કરનારા છે. અહોહો ! હે નાથ ! હે રણવીર ! અપરાધથી રહિત, વધના ભયથી વ્યાકુલ થયેલા મૃગોના સમૂહને જીવો કેમ મારે છે ? (૭૩)
પ્રબળ ગર્વથી ઉદ્ભટ અને વિષમ યુદ્ધને રુંધવામાં સમર્થ, હાથીના ગંડસ્થળને ભેદવામાં પ્રકટ પરાક્રમી, ભયથી ચંચળ અને વિલખા થયેલા જીવોની રક્ષા કરનાર એવા તમારા હાથ હે નાથ ! શા માટે શરણ રહિત દીન જીવોને હણે છે ? (૭૪)
હે પ્રભુ ! અનાર્યપુરુષો શસ્ત્રો વિનાના (જે પ્રાણીઓના અંગો અને ઉપાંગો શસ્ત્રની ગરજ સારતા નથી તેવા) નિર્દોષ, શરણ રહિત, ભયથી પલાયન થતા જીવોને હણે છે અને આપના જેવા પુરુષો પણ અનાર્ય આચરણને આચરે છે તો હે સત્પુરુષોમાં અગ્રેસર ! તમે ત્રણ ભુવનને સ્પર્શ કરીને નાશ (દૂષિત) કર્યું છે અર્થાત્ તમે પણ પાપાચરણમાં અનાર્ય કરતાં આગળ વધી ગયા છો. (૭૫)
પોતાને પરાક્રમી માનતો એવો કયો પુરુષ છે જે સજ્જનને અનુકંપનીય, વિમન (ઉદાસ) તથા મુકાઈ છે જીવવાની આશા જેઓ વડે એવા હરણાઓને મારે ? (૭૬)
નથી કરાયો પ૨ને સંતાપ જેઓવડે એવા હરણીયાઓ વનમાં ચરે છે ત્યારે સ૨ળ સ્વભાવી સજ્જનો તેઓ ઉપર કેવી રીતે હાથ વહન કરાવે ? (અર્થાત્ કેવી રીતે મારી નંખાવે.) (૭૭)
સરસ માંસરસની આસક્તિમાં જીવ તત્પર છે તે વાત સાચી છે, રૂચિકર માંસરસની આસક્તિ છોડવી સુકર (સહેલી) નથી તે પણ સાચું છે. છતાં પણ હે નાથ ! એ પણ વિચારવું જોઈએ કે ન૨કનાં દુઃખો સતત છે, અતિતીક્ષ્ણ છે અને દુરુત્તર છે. (૭૮)
પશુને હણીને તથા સાધુવાદ (પ્રશંસા) સાંભળીને, જે હર્ષપામે છે તે નરકના દુઃખોને અવકાશ (આમંત્રણ) આપે છે એમ જાણતો નથી. હે હતાશ ! વનસ્પતિ અને જળનું ભોજન કરનારા હરણીઆઓને તું કેમ હણે છે ? હે વિસ્તૃત કરેલ વિષયની પિપાસાવાળા ! સજ્જનની વાણીને સાંભળીને પણ આત્માને કેમ ચેતવતો નથી ? (૭૯-૮૦)
મૃગપોતાક્ષી એટલે હરણના બચ્ચાની આંખ જેવી છે આંખ જેની એવી તે પુષ્પચૂલા.