SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૧૧૭ તેની અપવિત્રતા વધે છે, હલકાઈ ઉછળે છે, મનમાં દુષ્ટતા ઉછળે છે, જૂઠ વિસ્તરે છે, આ લોકમાં પણ હલકાઈવાળો દીન તથા જૂઠો અને તેને પરલોકમાં નરકના દુ:ખનું ફળ મળે છે. (૫૨) તેઓનું ધૈર્ય ઘટે છે, અધૃતિ વધે છે, નિષ્કરુણ પુરુષોનો સંગ કરી જે પરધનને હરે છે તેનું આ લોકમાં પણ જે સુંદર છે તે અસુંદરમાં પરિવર્તન પામે છે અને પરભવમાં મહા-અંધકાર દુરુત્તર નરકમાં પડે છે. (પ) જે પરસ્ત્રી તથા પરધનનો ઉપભોગ કરે છે તે સંપત્તિ અને સૌભાગ્યથી ઠગાય છે, જે નિષ્કરુણ પરને સંતાપ કરે છે તે સુખનો ઇચ્છુક સંતાપ વિનાનો થતો નથી. (૫૪) જેના ચિત્તમાં સંતોષ નથી, પરિગ્રહમાં ગાઢ મતિ છે, જે અલ્પ પણ આરંભથી ક્યારેય પાછો હટતો નથી, રાત્રી ભોજન અને રસલોલુપી, શુભ આલંબનથી રહિત એવો તે નરકરૂપી નગરનો મુસાફર બને છે. (૫૫) મિથ્યાત્વથી પરવશ,માંસ લોલુપી, જીવવધમાં નિરત, અતિ મોટા આરંભ પરિગ્રહથી નરકમાં પડે છે. () એ પ્રમાણે પુષ્પચૂલા તે આચાર્યના વચનોને સાંભળીને અને દેવ થયેલ માતાએ બતાવેલ નરક અને દેવલોકને યાદ કરતી સંવેગને પામેલી રાજાની સાથે મુનિને વંદન કરી વિસર્જન કરે છે, પતિના ભયથી કંઈપણ કહેવા અસમર્થ દિવસો પસાર કરે છે. (૫૭). હવે કોઈક દિવસે કાંતિમાન રત્નો અને મણિઓથી પ્રકાશિત વાર રમણીઓના મણિમય ઘૂઘરીઓના કલકલ શબ્દોથી યુક્ત, કર્પર અગરુની ફેલાયેલી પરિમલથી બહેકતું, નિર્મળ એવા ચિત્રશાળભવન ઉપર રહેલી પુષ્પચૂલા વિસ્મિત અને વિકસિત વિશાળ આંખોવાળી ચિત્ર વિચિત્ર લીલાઓને કરતી બાલિકાઓને જુવે છે અને ક્યાંક નમતા સામંતોના મુકુટવડે સ્પર્શ કરાયા છે ચરણો જેના, દુશ્મનના સૈન્યને મથન કરનારા, આસ્થાન ભવનમાં (સભામાં) રહેલા સ્વામીને જુવે છે. (૧૦) અને કયાંક અથ્વોના સમૂહની ભીડ છે જેમાં એવી વાહ્યાલિમાં રહેલા હાથને ઊંચા કરેલા, ઇચ્છિત એવા પ્રિયનાથને જુવે છે અને કયાંક માયાથી છૂપાતા ઘણાં મનુષ્યોથી યુક્ત ફોગટ રમતા ભમતા શિકારપ્રિય નાથને જુવે છે. (૬૨). તે શિકાર પ્રિય રાજાના ભયથી પીડાયેલ, ચંચળ અને અલિત ગતિવાળા શૂન્યમનવાળા, ભયભીત, ભયથી નષ્ટ થઈ છે મતિ જેની, પુનમના ચંદ્ર જેવા મુખવાળા, મોટા સ્નેહથી મલકતા અને સ્કુરાયમાન થયું છે મુખ રૂપી કમળ જેનું એવા બાળ હરણ યુગલને જુવે છે. (૩) આ મેં ક્યાંક પૂર્વે જોયું છે એમ કહીને જાતિસ્મરણ થવાથી કરાયેલા ઘણાં શોક અને પ્રમોદથી સમાકુલ વારંવાર હાથ રૂપી પલ્લવને ઊંચા કરતી, મૂચ્છરૂપી અંધકારમાં પડેલી અહો હો ! મ-મ-એમ બોલતી તે ભૂમિ પર પડી. (૧૪) પછી વ્યાકુલ થયેલા પતિ અને પરિજન વડે નંખાયેલા પંખાના પવનથી તેમજ પ્રિયસ્પર્શવાળા સરસ ચંદનના પાણીથી સ્વસ્થ કરાઈ. પછી તે દયિતા ! હે સ્વામિની ! શું થયું? એમ પતિ અને પરિજને પુછ્યું ત્યારે તેઓની વાણી સાંભળતી મોટા સંભ્રમના ભરથી પુષ્પચૂલા ઊભી થઈ. (૬૫) તેટલામાં સ્તન પર જમણો હાથ મૂકીને ડાબા હાથથી ઢીલા થયેલા કેડ પરના વસ્ત્રને સરખું કરીને, કાર્યમાં સાવધાન થયેલી, લજ્જાથી યુક્ત એવી તે પુષ્પચૂલા હૃદયના સંતાપથી ઉત્પન્ન થયેલા શ્વાસથી ભીનું થયું છે શરીર જેનું એવી બાલિકાવડે પુછાઈ કે હે સ્વામિની શું થયું ? (૯૬)
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy