________________
૧૧૬.
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
જે દાવાગ્નિથી બળતા વનમાં સૂવે, જે વાદળમાં ઘાસનો પૂળો નાખીને પાણી પીએ, જે જીવવાની ઇચ્છાથી કાલકૂટ વિષના કોળીયાને ખાય તે જિનધર્મમાં પ્રમાદ કરે અને તે વિષયોની સાથે અભિરમણ કરે. (૩૯)
દયાદિ વિના સર્વ ધર્મ નિષ્ફળ છે માટે જળ-સ્થળમાં રહેલ જીવનો વિનાશ ન કર, કુમતની વિડંબનાના નાચને વશ ન થા, જિન ઉપદેશ રૂપી મહા-ઔષધનું પાન કર. (૪૦)
મનુષ્ય જન્મ દુર્લભ છે માટે મળેલા દિવસોને હાર નહીં (ફોગટ ન કર), તું મુંઝા નહીં, જિને ઉપદેશને આચર, જીવદયા સ્વરૂપવાળા શ્રેષ્ઠ ધર્મનો અભ્યાસ કરે જેથી તું શુદ્ધ થઈશ. (૪૧)
જો ભક્ષ્યનું ભોજન કરાય, પેયનું પાન કરાય, સત્યવાણી સંભળાય, પ્રિય બોલાય, સમગ્ર ઇન્દ્રિય વર્ગનું દમન કરાય તો લીલાથી દેવલોકમાં જવાય. (૪૨)
જિન ભાષિત સત્યવચન બોલ, મનમાં પ્રસરતા પાપને નિવાર, કોઈને પણ છેતર નહીં, પર ઉપર ઉપકાર કર, દુર્લભ મનુષ્ય જન્મને ન હાર. (૪૩).
પરધન, પરસ્ત્રીનો જે ત્યાગ કરે છે તેનો યશપટ ત્રણ ભુવનમાં વાગે છે, સર્વદેવો વડે બહુ મનાઈ છે આજ્ઞા જેની એવો ઇન્દ્ર તેઓને (પરધન-પરસ્ત્રીના ત્યાગીને) અર્ધાસન આપે છે. (૪૪)
ખંડિત કરાયો છે શીલગુણ જેનાવડે, ગાઢ વિષયોમાં આસક્ત છે મતિ જેની એવો પરવશ પુરુષ, અધોમુખવાળો અધોગતિમાં પડે છે તેથી નરકપુરના દરવાજા સમાન પરદારાનો ત્યાગ કર જેથી રમ્ય સૌધર્મ દેવલોકમાં દેવોનો સ્વામી થાય. (૪૫)
પરધનનો અને પરસ્ત્રીનો ત્યાગ કર, વિષય સંબંધી પ્રમાદ અને ઉન્માદનો ત્યાગ કરવો જોઈએ, પરને સંતાપ આપનારને સુખ કયાંથી હોય ? જે ઉખેડી નંખાય છે તે ઊગતું નથી. (૪૬)
જે પોતાના પરિગ્રહનું સારી રીતે પરિમાણ કરે છે તે દેવલોકના સુખનું પરિમાણ કરે છે. વિભવ હોતે જીતે મન સંતોષવાળું કર. લાભાતુરને સંતોષ થાઓ. (૪૭)
દયા કર. કોઈનું કંઈપણ હરણ ન કર, કામનો નાશ કર, સત્ય અને પ્રિય બોલ, ગુરુવચનનું પાન કર, દુર્ગતિમાં ઘણાં દુ:ખને આપનાર રાત્રિભોજનનો ત્યાગ કર, સંતોષથી મનને તોષ કર સુગતિના સુખનો પોષ કર. (૪૮).
એ પ્રમાણે વીતરાગની સેવામાં રત, દાન-શીલથી યુક્ત જીવોને ઇન્દ્ર અને રાજાના સુખો દુર્લભ હોતા નથી. (૪૯)
પણ જે જીવોની હિંસા કરે છે, જે અસત્ય બોલે છે, પરધન અને પરસ્ત્રીને ભોગવે છે, મનમાં સંતોષ ધારણ કરતો નથી, ક્રોધ-માન-માયાથી પીડિત છે, લોભ પ્રપંચમાં તત્પર છે તે પરવશ મનુષ્ય દુરુત્તર નરક રૂપી કૂવામાં પડે છે. (૫૦).
જે નારક પરમાધામી પાસે પ્રાર્થના કરે છે તેના સાથળ ઉપર પરમાધામી ઘણના પ્રહાર કરે છે અને જે નારક મારથી બચવા ઊંચે ઉછળે છે તેને પરમાધામી પડતા વજાશનિથી માથામાં મારે છે, જે નારક અશનની ઇચ્છા કરે છે તેને પરમાધામી પોતાનું માંસ કાપીને લાંબા સમય સુધી ખવડાવે છે, તે પરમાધામી માસમાં આસક્ત થયેલ જીવને નિર્દયથી હણે છે. (૫૧)