SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ભ૩ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૧૧૫ તે આપ કહો. તેથીઆ પરાધીનતા છે તે નરક છે. (૧૯) ફરી બીજાઓએ કહ્યું કે હે રાજન! સર્વ પરિભવોનું સ્થાન, દુ:ખોનું એકમાત્ર ઘર એવું દારિદ્રય જ અહીં નરક છે. બીજા કેટલાકોએ પણ કહ્યું કે ચાંડાલાદિ, દીર્ઘરોગીઓ અને કારાવાસમાં પુરાયેલા જે જોવાય છે તે અહીં નરક છે. કેટલાક કુંભીપાક છે તે નરક છે એમ કહે છે. વળી બીજા અન્ય અન્યને નરક કહે છે. પછી સ્વપ્ન સાથે વિસંવાદી વચનો જાણીને રાજા તેઓને વિસર્જન કરે છે. તે વખતે તે નગરમાં જિનશાસનમાં કુશલ વૃદ્ધ અને ગીતાર્થ એવા અર્ણિકાપુત્ર આચાર્ય છે. રાજાએ તેને બોલાવીને નરકનું સ્વરૂપ પડ્યું. તેમણે પણ પૂર્વે વર્ણન કરેલા નરકના સર્વ સ્વરૂપને બતાવ્યું. (૨૧) પછી પુષ્પચૂલા પૂછે છે કે શું તમારા વડે પણ સ્વપ્ન જોવાયું છે ? જેથી તમે બતાવેલા અને મેં જોયેલા સ્વરૂપમાં એક પણ અક્ષરનો ફરક આવતો નથી. તીર્થકર અને ગણધરોવડે જ્ઞાનથી આવા પ્રકારની નરક જોવાઈ છે પણ મારાવડે કોઈ સ્વપ્ન જોવાયું નથી એમ આચાર્યે કહ્યું ત્યારે તેઓ વંદન કરીને આચાર્યને રજા આપે છે અને દેવ બીજી રાત્રીએ યથાસ્થિત દેવલોક તેને સ્વપ્નમાં બતાવે છે. પછી પછી રાત્રીઓમાં પણ કેટલામાં તે મોટા આશ્ચર્યવાળા દેવોના સુખને જુવે છે તેટલામાં હર્ષિત હૈયાવાળી તે રાજાને કહે છે. પછી તે રાજા પણ તીર્થિકોને બોલાવીને તે પ્રમાણે જ પૂછે છે કે દેવલોક કેવા હોય છે ? (૨૦) પછી કેટલાકોએ પણ કહ્યું કે હે રાજ! તમારા જેવા સ્વતંત્ર સકળ સુખના નિલયભૂત, શાપ અને અનુગ્રહમાં સમર્થ છે તે જ અહીં દેવલોક છે. વળી બીજાઓએ કહ્યું, કે હે મહીનાથ ! આરોગ્ય, વિદ્વત્વ (પાંડીય), અકરજપણું (દેવું માથે ન હોવું), સજ્જન સંગ અને અપરાધીનતા તથા શ્રેષ્ઠ શ્વેત વસ્ત્રો તથા ભોજન વગેરે જે છે તે જ દેવલોક છે બાકી બીજું બધું માત્ર કથા છે. (૨૯) ફરી બીજા કેટલાક કહે છે કે જેઓને સર્વ પણ મનવંછિત પ્રાપ્ત થાય છે તે દેવો છે અને તેઓથી વિપરીત છે તે નારકો છે. કેટલાક કહે છે કે વૈકુંઠ વગેરે સ્વર્ગ છે એ પ્રમાણે અન્ય અન્ય અને સ્વપ્નથી વિરુદ્ધ તેઓના વચનોને સાંભળીને રાજા અર્ણિકાપુત્ર આચાર્યને પૂછે છે કે દેવલોક કેવા હોય છે? અહીં જ કહેવાશે* તે દેવગતિના દેવલોકનું વર્ણન આચાર્યવડે સવિસ્તારથી કરાયું. પછી પુષ્પચુલા પૂછે છે કે શું આપના વડે સ્વપ્ન જોવાયું છે ? પછી સૂરિ પણ પૂર્વનો જ ઉત્તર આપે છે અર્થાત્ તીર્થકર અને ગણધરોવડે આવા પ્રકારના દેવલોકનું વર્ણન કરાયું છે. હવે મનમાં સંવિગ્ન પામેલી પુષ્પચૂલા પૂછે છે કે તે દેવલોકમાં કેવી રીતે જવાય ? અને નરકમાં કેવી રીતે ન જવાય ? પછી સરિ કહે છે કે ધર્મની આરાધનાથી દેવલોકમાં જવાય અને પાપથી નરકમાં જવાય અને જીવદયાદિ ધર્મ છે. (૩૫) તે આ પ્રમાણે જ્યાં સુધી જિનેશ્વરની આરાધના અને જીવદયાને કરતો નથી ત્યાં સુધી કેવી રીતે દેવીના મોટા સ્તનને દબાવવાનું સુખ મેળવશે ? કેવી રીતે સમુદ્રની મેખલા સુધીની પૃથ્વીને ધારણ કરશે ? કેવી રીતે ચંદ્રના કિરણ જેવા નિર્મળ યશથી ત્રિભુવનને ભરશે ? (૩૬). . જો તું નિરંતર દેવલોકની સંપત્તિના સુખોને ઇચ્છે છે, જો તું સંસારની દુ:ખ પરંપરાને ઇચ્છતો નથી તો જીવોને સુખ આપવું જોઈએ અને દુ:ખ ન આપવું જોઈએ. હે જીવ ! જો દુ:ખ આપેલું હોય તો દુ:ખ અને સુખ આપેલું હોય તો સુખ મળે છે. (૩૭) જે આ લોકમાં અપાય છે તે પરલોકમાં મેળવાય છે આથી લોકમાં સાચું કહેવાયું છે કે દુઃખથી દુ:ખ અને સુખથી સુખ મળે છે તેથી પોતાને જે ગમે છે તે બીજાને આપવું જોઈએ. (૩૮) * આ જ ગ્રંથમાં આગળ ઉપર ગ્રંથકારે દેવગતિનું વર્ણન કર્યું છે.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy