________________
૧૧૨
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
ગાથાર્થ : હે જીવ ! હરણના ભવમાં નિર્દય પારધી વડે તીક્ષ્ણ ભાલા વાવલથી તારા શરીરને ભેદ્યું છે તે વખતે તેં જે દુ:ખો અનુભવ્યા છે તેને તું યાદ કર. (૨૦૯)
પૂર્વભવોમાં પાશમાં બંધાઈને, કૂટમાં પડીને, જાળમાં ફસાઈને જે પરવશ થયેલા એવી તારી ચામડી ઉતરડીને કેવી કેવી રીતે ભક્ષણ નથી કરાયો ? તેને તું યાદ કર. (૨૧૦)
પૂર્વભવમાં શિકારીએ બાણ મારીને જેનું પેટ ચીરી નાખ્યું છે અને જેનો ગર્ભ ગળી રહ્યો છે એવી તારી હરણીને અને સ્વયં પણ પ્રહારથી પીડિત થયેલો એવો તું હૃદયમાં જે ખેદ પામ્યો હતો તેને તું યાદ કર. (૨૧૧)
શિકારીઓ વડે ગોઠવાયેલ સુંદર સ્ત્રીના ગીતના અવાજમાં મોહ પામેલો, સાંભળવામાં તલ્લીન થયેલો, અજ્ઞાનથી મોહિત થયેલો એવો તું જે મરણને પ્રાપ્ત કરાવાયો તેને તું યાદ કર. (૨૧૨)
કૃત્રિમ હ૨ણીને જોઈને સ્પર્શેન્દ્રિયથી ઠગાયેલો અને તેઓમાં આસક્ત થયેલો, પછી શિકારીના બાણથી પેટમાં વીંધાયેલો ઘૂમરી ખાઈને મરણ પામ્યો તેને તું યાદ કર. (૨૧૩)
સિંહ-ચિત્તા વાઘ વગેરેએ પગના તીક્ષ્ણ નહોરના કઠોર પ્રહારથી તારા શરીરને ચીરી નાખેલ એવા તે હ૨ણના ભવમાં જે દુઃખ અનુભવ્યું તેનું હે જીવ ! અમે શું વર્ણન કરીએ ? (૨૧૪)
सुगमाः । नवरं मायाप्रधानो व्याधो मायाव्याधः 'कूडहरिणि' ति इह किलाऽऽखेटिकाः स्वयं वृक्षाद्यन्तरिताः प्रलम्बितातिसूक्ष्मदवरिकाबद्धां निजहरिणीमटव्यां हरिणानुद्दिश्य मुञ्चन्ति तां दृष्ट्वेत्यर्थः इति ।। तथा
ટીકાર્થ : અર્થ સુગમ છે પરંતુ માયાવાદ (માયા વ્યાપ) અર્થાત્ માયાપ્રધાન શિકારી. ‘હરિપ્નિ’ શિકારીઓ છે સ્વયં વૃક્ષની અંદર છૂપાઈને પછી લાંબી કરેલી અતિ સૂક્ષ્મ દોરડીમાં બંધાયેલ પોતાની હરણીને અટવીમાં હરણને ઉદ્દેશીને મૂકે છે તે હ૨ણીને જોઈને સ્પર્શેન્દ્રિયમાં આસક્ત, થયેલ હરણીમાં રાગી થયેલ એવો હરણ બાણથી વીંધાય છે.
वइविवरविहियझंपो गत्तासूलाइ निवडिओ संतो ।
जवचणयचरणगिद्धो विद्धो हियम्मि खद्धो य । । २१५ ।।
-
वृत्तिविवरविहितझम्पो गर्त्ताशूलासु निपतितः सन्
यवचणकचरणगृद्धो विद्धो हृदये शूलाभिः भुक्तो च ।। २१५ । ।
ગાથાર્થ : જવ અને ચણા ચરવામાં આસક્ત થયેલો, વાડના નીચેના ભાગમાં મરાયો છે કૂદકો જેનાવડે એવો તું હ૨ણના ભવમાં ખાડાના ખીલા ઉપર પડ્યે છતે હૃદયથી વીંધાયો અને ખવાયો તેને તું યાદ કર. (૨૧૫)
इह कस्मिंश्चिदेशे यवचनकक्षेत्राणि हरिणाश्चरन्ति तद्रक्षणार्थमुचा घनाश्च वृतयः क्रियन्ते, ताश्च वृत्ती: किल केचिद् मांसभक्षणशीलाः क्रूरात्मानः क्वचिदेकस्मिन् प्रदेशे किंचिनीचैस्तराः कुर्वन्ति, अभ्यन्तरे चाधः संकीर्णा उपरि विशाला मध्यनिखातातितीक्ष्णखादिरकीलरूपशूलिका गर्त्ताः खनन्ति तेषु च नीचवृत्तिरूपेषु वृत्तिविवरेष्वागत्य परमार्थमजानानाः केऽपि मुग्धहरिणाः झंपां दत्त्वा प्रविशन्ति, ततो गर्त्तासु पतिताः सन्तः शूलाभिर्हृदये विध्यन्ते,