________________
૧૧૦
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
ત્રીજા ભવમાં તથા અમુકથી આગળના તરતના ભવમાં તું હણાયો છે અને આ ભવમાં તે જ પોતાના પુત્રવડે યજ્ઞમાં વધ કરવા તું લવાયો છે તેથી સ્વયં જ કરેલ કર્મને ભોગવવામાં ખેદ કેમ કરે છે ? એ પ્રમાણે સાધુના વચનને સાંભળતા તેને પોતાના છ ભવના વિષયનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તેના આધારે બાકીના બધા ભવોની પણ શ્રદ્ધા કરે છે “અને સંવિગ્ન થયેલો તેઓની પાસે સમ્યક્તનો સ્વીકાર કરે છે. અણુવ્રતોને ગ્રહણ કરે છે, પોતાના અશુભકૃત્યોની નિંદા કરે છે અને ચિત્તમાં ફરી ફરી જિન નમસ્કારનું પરાવર્તન કરે છે. એટલામાં કિલકિલારવ કરતા બધા બ્રાહ્મણો ત્યાં દોડી આવે છે અને કહે છે કે, અરે ! કોઈક જેતપટક (શ્વેતાંબર સાધુ) તમને શું કહે છે ?
એ પ્રમાણે બોલતા તેઓ વડે તે બોકડો મુખમાં ચોખા ભરીને, મોટું બાંધીને, રૂંધાયેલા અવાજવાળો હણાયો. પછી શુભભાવને પામેલો આ મરીને વૈમાનિક દેવલોકમાં મહદ્ધિક સમ્યગ્દષ્ટિ દેવ થયો. પછી કેવલી ભગવંતને વંદન કરવા આવ્યો. પછી નમીને અને ભક્તિથી સ્તુતિ કરીને આમ કહે છે કે હે ભગવન્! તમારા કૃપારૂપી મહાવૃક્ષના ફુલને હું પામ્યો છું હવે પછી મારે શું કરવા જેવું છે તેને બતાવો. પછી કેવલી.તેને ધર્મ કહે છે. તે દેવ “તત્ત' કરી ધર્મને સ્વીકારીને કહે છે કે હે મુનિનાથ ! શું આ રુદ્રદેવ પ્રતિબોધ પામશે ? પછી કેવલી કહે છે કે તારી શક્તિથી મોટા કષ્ટથી તે શ્રાવક થશે (૫૦) એમ કહીને કેવલી અન્યત્ર વિહરે છે. દેવ પણ આખા પણ બ્રાહ્મણ કુટુંબમાં કોઢને વિકુર્વે છે. પછી દેવ મુનિરૂપ કરીને ત્યાં ગયો. તેઓએ મુનિને પુછ્યું કે તમે કંઈ જાણો છો ? હા, હું જાણું છું એમ મુનિએ કહ્યું.
પછી તેઓએ કહ્યું કે અમારા કોઢને દૂર કરો. પછી મુનિએ કહ્યું કે જો તમે શ્રાવક થાવ તો હું કોઢ મટાડું. પછી તેઓ કહે છે કે અમારે મરવું સારું પણ અમે કપટી શ્રાવક નહીં થઈએ. પછી ગાઢ પીડીને દેવ ગયો અને થોડા કાળે મુનિવેશથી દેવ ફરી પાછો આવ્યો. તેઓ કપટી શ્રાવકપણું સ્વીકારીને પછી સાજા થયેલા શ્રાવકપણાની આરાધના કરતા નથી. પછી દેવે તેઓને પૂર્વકરતા અધિક જ પીડિત કર્યા. પછી તેઓએ કાલાંતરથી ફરી પણ તેવી જ રીતે કપટી શ્રાવકપણાનો સ્વીકાર કર્યો. ફરી પણ છોડી દીધું. વળી ફરી પીડા કરી આમ અનેકવાર કપટ શ્રાવકપણું લીધું અને છોડી દીધું. પછી મોટા કષ્ટથી અને ભયથી સાધુની પાસે ધર્મને સાંભળતા તેઓને જિનમત પરિણામ પામ્યો. તેઓ ક્રમથી સિદ્ધ થશે. મધુદેવ પણ ત્યાંથી આવે છતે મહાવિદેહક્ષેત્રમાં જન્મ પામી પછીના ભવમાં સિદ્ધ થશે.
अथ हरिणमधिकृत्याऽऽह - હવે હરણને આશ્રયીને કહે છે.
रन्ने दवग्गिजालावलीहिं सव्वंगसंपलित्ताणं । हरिणाण ताण तह दुक्खियाण को होइ किर सरणं ? ।।२०८।। अरण्ये दवाग्निज्वालावलिभिः सर्वाङ्गसंप्रदग्धानां
દરિણાનાં તેષાં તથા કુલિતાનાં પતિ વિરુ શરમ્ ? પાર૦૮ાા ગાથાર્થ : અરણ્યમાં દાવાનળના અગ્નિ વાળાના સમૂહોથી સર્વાગ દાઝેલા તથા દુ:ખી થયેલા તે હરણાઓને શું કોઈ શરણ થાય છે. ? (૨૦૮)