SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ભાવ ભાવના પ્રકરણ ભાગ- ૨ पशुघातेन नरकादिषु आहिण्ड्य पशुजन्मनि मधुविप्र इव हन्यतेऽनन्तशो यज्ञादिकेषु ।।२०७।। ગાથાર્થ : પશુઘાતના પાપથી નરકાદિમાં ભમીને મધુવિપ્રની જેમ યજ્ઞાદિમાં અનંતવાર પશુભવમાં હણાય છે. (૨૦૭). यः पशुघातं करोति-ऊरणकच्छगलकादिविनाशं विधत्ते स तेन हेतुभूतेन नरकादिषु दारूण-दुःखेष्वा-समन्तात् पुनः पुनरुत्पद्यमानो हिण्डित्वान्तराऽन्तरा पशुजन्मनि प्राप्ते स्वयमपि यज्ञादिषु अनन्तशो हन्यते, क इवेत्याहમધુવિઝ રૂવ | ટીકાર્થ : જે ઘેટાં-બકરાદિનો પશુઘાત કરે છે તે તે પશુઘાતના પાપથી દારુણ દુઃખવાળા નરકાદિમાં ચારે બાજુથી વારંવાર ઉત્પન્ન થતો ભમીને વચ્ચે વચ્ચે પ્રાપ્ત થયેલા પશુ જન્મમાં સ્વયં પણ યજ્ઞાદિમાં અનંતવાર હણાય છે. પ્રશ્ન : કોની જેમ હણાય છે ? ઉત્તરઃ મધુ વિપ્રની જેમ હણાય છે. ઃ પુનરાવતિ ?, તે – પ્રશ્નઃ આ મધુ વિપ્ર કોણ છે ? ઉત્તરઃ આ મધુવિપ્ર કથાનકથી કહેવાય છે. મધુવિપ્રનું કથાનક રાજગૃહ નામનું નગર છે જેમાં લોક સન્માન અને દાનમાં રત હોવા છતાં માન અને મદથી રહિત છે. ઘણાં શ્રમથી યુક્ત હોવા છતાં સુખી છે અને તે નગરમાં રાજાનો મધુ નામનો સુપ્રસિદ્ધ બ્રાહ્મણ પુરોહિત છે. જે હંમેશા સ્વાધીન હોવા છતાં સ્વચ્છંદતાથી રહિત છે. તેને જાલિની નામે સ્ત્રી છે અને તેઓનો વસુનામે પુત્ર છે. તેઓના ઘરે ગંગા નામે વિધવા પુત્રી છે. વેદ અધ્યયન નિમિત્તે વસુ દેશાંતર ગયો. પછી શુચિવાદમાં રત પુત્રી શરીરને સિંચતી જ ભમે છે. (૪) અને પુરોહિતને ઘરે ચાંડાલણી હંમેશા પણ છાણને ફેંકે છે તેથી તે પુત્રી તેને સિંચતી (સાફ કરતી) ફરે છે અને ઘણી દુર્ગછા કરે છે. મધુ બ્રાહ્મણે પણ નગરની બહાર ચારેય દિશામાં રમણીય વનખંડથી યુક્ત ઘણી મોટી યજ્ઞશાળા કરાવી અને તેમાં હંમેશા ઘણાં પશુઓનો ઘાત કરીને પોતાના યજ્ઞો કરે છે અને એ પ્રમાણે રાજાના પણ ઘણા યજ્ઞો પોતે કરે છે. (૭) હવે અતિઘણા શુચિવાદથી* નચાવાયેલી તે પુત્રીને જોઈને માતા-પિતા તથા અન્ય પણ સકલ લોક તેને જણાવે છે કે પ્રમાણમાં કરાતું શુચિવાદ શોભે છે. અતિપ્રમાણમાં કરાતું ઉપહાસને ઉત્પન્ન કરે છે. પછી કહે છે કે હે ભદ્રે ! તું આટલી દુર્ગછા કેમ કરે છે? એ પ્રમાણે વારણ કરાતી હોવા છતાં પણ અધિક શુચિવાદને કરે છે. હવે કોઈક વખત મરીને તે જ ચાંડલણીના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. ઉત્પન્ન થયેલી તે પુત્રીને લઈને ચાંડાલણી તે વિપ્રના ઘરે આવે છે અને પૂર્વભવમાં પુત્રી માતાપિતાને પ્રાણથી પણ અધિક પ્રિય હતી અને તે જ પૂર્વ સ્નેહથી તેને જોઈને હંમેશા બોલાવે છે અને ઉત્તમ વસ્ત્રો વગેરે આપે છે અને બીજા પણ શુચિવાદ : શરીરની શુદ્ધિમાં આત્માની શુદ્ધિ માનનારાનો મત.
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy