SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ-૨ જાણનારા, એવા અજ્ઞાનથી આંધળા બનેલાઓવડે ધર્મના બાનાથી પશુઓ હોમાય છે. “ત્રસ કે સ્થાવર કોઈપણ જીવની હિંસા ન કરવી, દાન, દમન અને દયા આ ત્રણ શિખવા જોઈએ” તથા મનુએ કહેલા યતિધર્મવિધિમાં આ કહેવાય છે કે- દશ પ્રકારનો યતિ ધર્મ પ્રયત્નથી સેવવો જોઈએ. (૧) ૧૦૭ ધૃતિ, દયા, દમ, અસ્તેય શૌચ, ઇન્દ્રિયનિગ્રહ, ઘી, વિદ્યા, સત્ય અને ક્ષમા આ દશ પ્રકારનો ધર્મ છે. (૨) ધર્મના આ દશ પ્રકારો છે આવા ધર્મને જે બ્રાહ્મણો ભણે છે ભણીને તેનું આચરણ કરે છે તે મોક્ષમાં જાય છે. (૩) તથા ‘આ પાંચ પવિત્ર છે' ઇત્યાદિ અનેક પ્રકારે પોતાના શાસ્ત્રોના વચનોની વિચારણા કર્યા વિના માંસમાં આસક્ત પુરુષોવડે ચોખાને મોઢામાં ભરીને, મુખને બાંધીને રોકી દેવાયો છે અવાજ જેનો એવો તું ડોક મરડીને યજ્ઞોમાં અનેકવાર હણાયો છે. - किमिति पशुभवेऽनार्यैर्भक्षितः ? किमर्थं च बलिविधानेषु दत्त ? इत्याह પશુના ભવમાં અનાર્યોવડે કેમ ભક્ષણ કરાયો ? અને બલિકાર્યોમાં શા માટે હોમાયો ?તેને જણાવતા કહે છે. ऊरणयछगलगाइ निराउहा नाहवज्जिया दीणा । भुंजंति निग्घिणेहिं दिज्जयंति बलीसु य न वग्घा ।।२०६।। औरभ्रकच्छगलकादिका निरायुधा नाथवर्जिता दीना: भुज्यन्ते निर्घृणैः दीयन्ते बलिभ्यो न च व्याघ्राः ।। २०६ ।। ગાથાર્થ : ઘેટાં બકરાં વગેરે જે શસ્ત્રવિનાના છે, નાથથી રહિત છે, તથા દીન છે તે નિઘૃણો વડે ખવાય છે અને બિલમાં અપાય છે પણ વાઘ વગેરે નહીં. (૨૦૬) ऊरणको-गड्डुरकः, छगलकः प्रसिद्धः, आदिशब्देन हरिणशशकादिपरिग्रहः, अत एव निर्घृणैर्भुज्यन्ते, अत एव च बलिषु दीयन्ते, कुतः ? इत्याह-यतो निरायुधा नाथवर्जिताः दीनाश्च न तु व्याघ्रसिंहादयः, नखरदंष्ट्राद्यायुधत्वात् स्वयमपि महापराक्रमवत्त्वेन भयजनकत्वादिति ।। ટીકાર્થ : ઉણક એટલે ઘેટો, છગલક એટલે બકરો જે પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી હરણ, સસલા વગેરેને ગ્રહણ કરવા, આથી જ તેઓ નિઘૃણોવડે ભોજન કરાય છે અને આથી જ બલિમાં અપાય છે. પ્રશ્ન : શા કારણથી ભોજન કરાય છે અને શા કારણથી બલિમાં અપાય છે ? ઉત્તર ઃ તેઓના શરીરના અંગોમાં નખ વગેરે તીક્ષ્ણ મારવાના સાધનો હોતા નથી, તેનો કોઈ માલિક હોતો નથી અને દીન હોવાથી બલિમાં ધરાય છે જ્યારે વાઘ સિંહ વગેરેને નખ, દાઢ વગેરે શસ્ત્રો હોવાથી અને સ્વયં પણ મહાપરાક્રમવાળા હોવાથી તથા બીજાને ભય ઉત્પન્ન કરતા હોવાથી યજ્ઞોમાં હોમાતા નથી. अयं च पशुघातस्तेषां पुरस्तादनन्तदुःखफल इत्याह - હવે જે જીવો આવા પશુઘાતને કરે છે તે જીવોને આગળ ઉપર અનંત દુઃખનું ફળ મળશે તેને જણાવતા કહે છે. पसुघाएणं नरगाइएसु आहिंडिऊण पसुजम्मे । महुविप्पो व्व हणिज्जइ अनंतसो जन्नमाईसु । । २०७ ।।
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy