SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ભક ભાવના પ્રકરણ ભાગ - ૨ ૧૦૫ પછી ત્યાંથી આવેલા બધા આ જ ભરતક્ષેત્રમાં વસંતપુર નગરમાં દિલિમ રાજાની ઘણી સ્ત્રીઓને વિશે શ્રેષ્ઠ રૂપને ધરનારા પાંચશો પુત્રો થયા. (૧૬) તે જ્યારે યૌવનને પામ્યા ત્યારે કનકધ્વજ રાજાવડે ગજપુરનગરમાં પુત્રીઓના સ્વયંવર મંડપમાં સર્વે આમંત્રિત કરાયા. સ્વયંવરમાં ગયેલા તેઓએ પીઠપર ઘણાં ભારથી આક્રાંત થયેલ ગળામાં કૂપક (કતપ) બાંધેલો મહાવિરસ અવાજને રડતો, પામાથી ગ્રસ્ત (ખુજલી, ખણજ વગેરે રોગો વિશેષ), જીર્ણશરીરવાળો ઘણા દુ:ખી એવા ઊંટને જોયો. પછી વારંવાર કરુણાથી જોતા તે બધાને અવધિ સહિત જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તેઓ જાણે છે આ આપણો પૂર્વભવનો મહાનુભાવ ગુરુ અભવ્યનો આત્મા છે. અહો ! કર્મની વિચિત્રતાને જુવો ! કારણ કે જ્ઞાનસંપત્તિને મેળવીને પણ તેવા પ્રકારના વીતરાગના વચનની આણે શ્રદ્ધા ન કરી, દુ:ખના નિધાન એવા સંસારમાં હંમેશા ભમશે. આમ કરુણાથી તે ઊંટને છોડાવીને બધા આર્યસમુદ્ર પાસે દીક્ષા લે છે અને પરમ સંવિગ્ન થયેલા સર્વ કર્મોના અંશોને ખપાવીને ક્રમથી સિદ્ધ થશે. (૨૩) अथ पशुमधिकृत्याऽऽह - હવે પશુને આશ્રયીને કહે છે. जीवंतस्स वि उक्कत्तिउं छविं छिंदिऊण मंसाइं । खद्धाइं जं अणज्जेहिं पसुभवे किं न तं सरसि ।।२०२।। जीवतोऽप्युत्कृत्य छविं छित्त्वा मांसानि भक्षितानि यदनार्यः पशुभवे किं न तत् स्मरसि ? ।।२०२।। ગાથાર્થ : જીવતા પણ ચામડીને ઉતરડીને અને માંસને ઉખેડીને જે અનાર્યો વડે ભક્ષણ કરાયો તે પશુભૂવને તું કેમ યાદ કરતો નથી ? कोऽप्यात्मीयजीवनमनुशास्ति-अनादिसंसारं परिभ्रमतो हंत तव यत् पशुभवे जीवतोऽप्युत्कृत्य त्वचं छित्त्वा मांसान्यनार्यमा॑सभक्षणशीलैः पापिष्ठेक्षितानि, तत् किं न स्मरसि ?, नन्वागमश्रद्धावान् स्मर, तत् स्मृत्वा च तथा कुरुं यथा पुनरपि पशुत्वं न प्राप्नोषीति भावः ।। ટીકાર્થ અહીં કોઈક જીવ પોતાના આત્માને શિખામણ આપે છે કે- અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા જે તારા પશુભવમાં તારી જીવતી ચામડીને ઉતરડીને માંસને કાપીને ખાઉધરા પારિષ્ઠ અનાર્યો વડે જે ભક્ષણ કરાયો તે પશભવને હે જીવ! તું કેમ યાદ કરતો નથી ? ખરેખર આગમની શ્રદ્ધાવાળો તું યાદ કર અને તેને યાદ કરીને હવે એવું આચરણ કરે જેથી ફરી તું પશુના ભવને ન પામે એમ કહેવાનો ભાવ છે. अपरामप्यनुशास्तिगाथामाह - બીજી પણ શિખામણ આપતી ગાથાને જણાવે છે गलयं छेत्तूणं कत्तियाइ उल्लंबिऊण पाणेहिं । . घेत्तु तुह चम्ममंसं अणंतसो विक्कियं तत्थ ।।२०३।। गलकं छेदयित्वा कर्तिकयोल्लम्ब्य दोां गृहीत्वा तव चर्ममांसमनन्तशो विक्रीतं तत्र ।।२०३।।
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy