SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૧૦૧ માત્ર પ્રમાદી સંયતો જ એ પ્રમાણે પાડાના ભવને પામે છે તેવું નથી પરંતુ સદ્ધર્મમાં પ્રમાદી એવા ગૃહસ્થો પણ કુટુંબકાર્યમાં અલીક ભાષણ પરવંચનાદિ પાપો કરીને આર્તધ્યાનને પામેલા મરીને પાડાના ભવને પામે છે અને તે ભવમાં મારણાદિ વિટંબનાઓને સહન કરે છે તે જણાવે છે काउं कुडुंबकजे समुद्दवणिओ ब्व विविहपावाइं । मारेउं महिसत्ते भुंजइ तेण वि कुडुंबेण ।।१९७।। कृत्वा कुटुम्बकार्ये समुद्रवणिगिव विविधपापानि मारयित्वा महिषत्वे भुज्यंते तेनाऽपि कुटुम्बेन ।।१९७।। ગાથાર્થ સમુદ્રવણિકની જેમ કુટુંબ માટે વિવિધ પાપો કરીને પાડાના ભવમાં ઉત્પન્ન થયેલા એવા તેને જ મરાવીને કુટુંબવડે ભોજન કરાય છે. (૧૯૭) गतार्था । कथानकं तूच्यते - કથાનક કહેવાય છે. સમુદ્રવણિક મહિષ કથાનક તાગ્રલિપ્તિ નામે નગરી છે જેમાં સમુદ્રની ભરતી વખતે ફુટતી છીપલીઓ વડે મોતીની ભેટ ધરીને સમુદ્ર વડે લોક ઉપકાર કરાય છે. (અર્થાત્ સમુદ્રમાં ભરતી આવે ત્યારે છીપલીઓ તૂટે છે અને તેમાંથી મોતીઓ નીકળે છે.) અને તે નગરીમાં મિથ્યાષ્ટિ, આરંભરતી, અલીકવાદી, કૂટક્રયી, કૂટતુલ, પરવંચની અને માયનિરત, માત્ર પરિગ્રહશીલ, નિર્દાક્ષિણ્ય અને અતિકૃપણ દોષોના સમૂહનો ઘર એવો સમુદ્ર નામનો વણિક વસે છે. (૩) અને માયા કપટમાં દઢ મનવાળી, કૃપણ, પ્રચંડ, ફૂરસ્વભાવી, કલહશીલ એવી બહુલા નામની તેની સ્ત્રી છે. સમુદ્રવણિકના હૈયામાં પણ ધર્મ નથી અને દુકાન પર હંમેશા પણ તે પાપ વ્યાપારમાં નિરત રહે છે અને બહુલા ઘરે આંગણે આવેલા ભિક્ષુકો વગેરે ઉપર કોપાયમાન થાય છે અને તેઓને કંઈપણ આપતી નથી. તેથી તેના દરવાજા ઉપર પણ કોઈ ચડતું નથી. આમ તેના સાર વિનાના ઘર પર કાગડો પણ ફરકતો નથી. તેઓને મહેશ્વરદત્ત નામનો પુત્ર છે. પુત્રને વિશે મૂઢ થયેલ બંને પણ ધન-ધાન્યાદિનો સંગ્રહ કરે છે. પુત્રની ગગિલા નામની સ્ત્રી છે. તેની સાથે બહુલા હંમેશા ઝગડે છે. તે તેને તથાવિધ ભોજનાદિ કંઈપણ આપતી નથી તથા બહુલા વડે માર મરાયેલી ગંગિલા દૂર રહે છે તો પણ તે ધૂર્તમતી ગંગિલા “ભૂતિ ભૂતિ' એ પ્રમાણે બહલાને બોલાવે છે તથા પુત્ર પણ તેજ રીતે બોલાવે છે આથી લોકમાં પણ ગંગિલા ભુતિ ભૂતિ એ પ્રમાણે પ્રસિદ્ધ થઈ. (૧૦) બહુલા ક્યારેય પણ ઘરને રેઢું મૂકતી નથી અને કોઈનો પણ વિશ્વાસ કરતી નથી તેથી ગંગિલા વિચારે છે કે મને મોકો મળશે ત્યારે હું પણ તેને જોઈ લઈશ. તે પતિને દેવની જેમ આરાધે છે અને વિનયથી ખુશ કરે છે. પછી મહામૂઢ સમુદ્રવણિકે કુટુંબને માટે ઘણાં પાપો કર્યા. પછી તે રોગ આતંકોથી ઘણો પીડાયો. આર્તધ્યાનમાં પડેલો મરીને પાડો થયો. પુત્ર ઘરનો સ્વામી (વડીલ) થયો અને તેની સ્ત્રી ગૃહસ્વામીની થઈ. પછી ગંગિલાએ ડોયાથી ભૂતિના મસ્તકને હણીને ઘણી તાડન કરી. પછી ઘરના દરવાજા પર રહી. તેમ રહેલી જોઈને દીયર વગેરે લોકો બોલ્યા તે આ પ્રમાણે- (૧૫) પાપ કર્મમાં રત એવી ભૂતિ ઘરને નહીં છોડતી, વહુની સાથે ઝગડતી, મુનિવરને જોઈને મુખ મરડતી,
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy