________________
૧૦૦
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
પછી પિતામુનિ કરુણાથી ચંપલ પણ આપે છે. પછી ક્ષુલ્લક કહે છે કે પગના ઉપરના ભાગ ઠંડીથી ફાટે છે તેથી પિતા મુનિએ તેને ખાસડા (જોડા) આપ્યા. પછી તે કોઈકવાર પિતાને કહે છે કે ઉનાળામાં મારું મસ્તક તાપથી પીડિત થાય છે તેથી હું ભિક્ષાચર્યા ભમવા સમર્થ નથી. પછી પિતા સ્થાનમાં રહેલા એવા તેને ઇચ્છિત ભિક્ષા લાવીને આપે છે. પછી ક્ષુલ્લક કહે છે કે હું ભૂમિ સંથારા પર સૂવા સમર્થ નથી. પછી પિતા તેને પાટ પાટલા કંબલ શૈયા આદિ વાપરવાની છૂટ આપે છે. પછી કહે છે કે તાત ! લોચ સહન કરવા શક્તિમાન નથી તેથી અસ્ત્રાથી મુંડન કરે છે. પછી કહે છે કે હું સ્નાન વિના રહી શકતો નથી તેથી પ્રાસુક પાણીથી અંગ પ્રક્ષાલન કરે છે. એ પ્રમાણે તે ક્ષુલ્લક જે જે અનુકૂળતાની યાચના કરે છે તે ગુરુ અને સાધુઓથી નિષેધ કરાતો હોવા છતાં સ્નેહથી પિતાને તેને તે તે અનુકૂળતાઓ કરી આપે છે. એ પ્રમાણે કેટલોક કાળ પસાર થયા પછી કહે છે કે સ્ત્રી વિના હું રહી શકતો નથી. પછી પિતા કહે છે કે તું શઠ અને અયોગ્ય છે માટે વસતિમાંથી *જલદીથી નીકળ. વસતિમાંથી બહાર કરાયેલો એવો ક્ષુલ્લક કોઈપણ કાર્ય કરવાનું જાણતો નથી. આ ભ્રષ્ટવ્રતી' છે એમ સમગ્ર લોકવડે ધિક્કારાય છે. (૧૫)
પછી અતિદુ:ખી થયેલો પર્વ દિવસે ભિક્ષા માટે ભમતો, ક્ષીણ શરીરવાળો, અસંતોષી, પાપસમૂહથી આક્રાંત થયેલો, અતિમાત્રાએ ભોજન કરીને અજીર્ણ થવાથી આર્તધ્યાનમાં મર્યો અને ક્યાંક પાડો થયો. પછી મોટી પખાલો વહન કરાવાય છે પરંતુ તેનો પિતા તેના માટે કરાયેલ અસંયમની આલોચના અને નિંદા કરીને અંતે અણસણ કરી અતિ શુભભાવથી અતિરિદ્ધિવાળા દેવમાં ઉત્પન્ન થયો અને કેટલામાં અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકે છે તેટલામાં તે ક્ષુલ્લકને પાડાના ભાવમાં ઉત્પન્ન થયેલો દેખે છે. પછી આ સંસારમાં ન ભમે એ હેતુથી કરુણાથી દેવ તેની પાસે ગયો. પછી ચાંડાલનું રૂપ કરી ધનથી તેઓની પાસેથી પાડાને ખરીદે છે. પછી અટવીમાં લઈ જઈને પથ્થરથી ભરેલી ગુણીઓ તે પાડાની પીઠ ઉપર ચઢાવીને વજમય આરથી ચામડીને ઉખેડતો કહે છે કે હે તાત ! ઉપાનહથી રહિત વિહાર કરવા સમર્થ નથી ઇત્યાદિ સર્વ પણ યાવતું મૈથુન વિના રહેવા શક્તિમાન નથી ત્યાં સુધી કહ્યું. (૨૪)
પછી આરના ભોંકાવાથી અને અતિભારની વેદનાથી આક્રાંત થયેલો, બહાર કઢાયો છે જીભનો અગ્રભાગ જેનાવડે એવો તે પાડો આ વચનોને સાંભળે છે. પછી વિચારે છે કે મારાવડે પણ સ્વયે આવા વચનો ક્યાંય પણ પૂર્વે બોલાયેલ છે અથવા સંભળાયેલ છે એ પ્રમાણે ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને પછી સંવિગ્ન થયેલો તે પોતાના આત્માને નિંદે છે. હવે દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને તેના અભિપ્રાયને જાણ્યો અને દેવરૂપ પ્રકટ કરીને તેને પોતાનો વૃત્તાંત કહે છે અને તેના ઉપરના ભારને દૂર કરે છે પછી સવિશેષ દેશનાથી તે પાડાને પ્રતિબોધ કરે છે. અતિ સંવિગ્ન એવો તે પાડો પણ ત્યાં અનશનને સ્વીકારે છે પછી દેવ વડે નિર્ધામણા કરાવાયેલો શુભભાવને પામેલો મરીને મહદ્ધિક વૈમાનિક દેવમાં ઉત્પન્ન થયો.
(શુલ્લકનું કથાનક સમાપ્ત થયું) न केवलं प्रमादिनः संयता एवं महिषत्वमवाप्नुवन्ति, किन्तु गृहस्था अपि सद्धर्मप्रमादिनः कुटुम्बकार्ये अलीकभाषणपरवंचनादिपापानि कृत्वा आतॊपगताश्च मृत्वा महिषत्वमासादयन्ति, तत्र च मारणादिविडम्बनाः सहन्त इति दर्शयति - • વસતિ એટલે સાધુઓને ઉતરવાનું સ્થાન. વસતિમાંથી નીકળે એટલે સાધુપણાનો ત્યાગ કરીને અહીંથી ચાલ્યો જા. • ભ્રષ્ટવ્રતી એટલે જેણે દીક્ષા છોડી છે તે.