________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
દુંદુભિ વગાડે છે તથા મનોહર ગીત ગાય છે અને પછી ગલ-ગર્જના-સિંહનાદ કરે છે ત્યાં પ્રથમ ચોમાસું કરીને સર્વદેવોથી પૂજાયેલા ભગવાન આ સ્થાનથી વિહાર કરે છે અને મોરાક સન્નિવેશમાં જાય છે. (૩૮) (ધનદેવ વૃષભનું કથાનક સમાપ્ત થયું.) હવે કંબલ અને શંબલનું ઉદાહરણ કહેવાય છે.
કંબલ અને શંબલનું ઉદાહરણ સુપાર્શ્વજિનનું સુવર્ણનું મહાતૂપ છે જેમાં એવી મથુરા નામે નગરી છે. જેમાં પર્વતની મેખલા પર સર્વત્ર પણ ઇન્દ્રવડે ક્રીડા કરાઈ છે. તેમાં શ્રેષ્ઠીનો પુત્ર જિનદાસ બાળપણમાં સંવિગ્ન થયેલ ગુરુ પાસે આ પ્રમાણે અભિગ્રહ કરે છે. માસના પ્રતિપાદને દિવસે બ્રહ્મચર્ય, બીજના છૂટું, ત્રીજાના બ્રહ્મચર્યનો નિયમ, ચોથના છૂટું એમ એકાંતરે બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરે છતે નામથી અહંદૂદાસી શ્રાવિકાને પરણ્યો. તેનો પણ એકાંતરે બ્રહ્મચર્યનો નિયમ છે પરંતુ બીજથી આરંભીને છે. ભોગના દિવસે તે બંનેએ પરસ્પરના નિયમને જાણ્યું. પછી તે અહંદુદાસીવડે કહેવાયો કે એ પ્રમાણે મારે હવે જાવજીવ સુધી બ્રહ્મચર્ય છે. તેથી હું દીક્ષા લઈને મારા નિયમને સફળ કરીશ તમે મને રજા આપો. તેના આવા સત્ત્વથી ખુશ થયેલો જિનદાસ મનમાં વિચારે છે કે મારા નિયમને જાણ્યા પછી જો અહંદૂદાસી જુઠું બોલે કે મારે પણ પ્રતિપદાદિનો નિયમ છે તો પછી તો લોક શું કહેવાનો હતો ? પરંતુ અહદ્દાસીએ સત્ત્વને ન છોડ્યું એટલે જિનદાસે તેના પગમાં પડીને કહ્યું કે હે પ્રિયા ! મારે બીજી પણ સ્ત્રીઓ હોત તો પણ મારે જાવજીવ બ્રહ્મચર્ય છે જ તેથી આપણે બંને યોગ્ય સમયે સાથે જ
વ્રતને ગ્રહણ કરશે. હમણાં તું આગ્રહ કરીશ નહીં. (૧૦) જિનદાસના આગ્રહથી અહંદૂદાસી પણ સંસારમાં [ રહી અને માતાપિતા મરણ પામ્યા ત્યારે તે બંનેનું ઘરનું અધિપત્ય થયું (અર્થાતુ ઘરની સંપૂર્ણ જવાબદારી * તેઓના શિરે આવી). પછી બારવ્રતોને સંક્ષેપીને ગુરુની પાસે સચિત્ત અને અબ્રહ્મ ત્યાગનો નિયમ જાવજીવ સુધી લે છે. સર્વ ચતુષ્પદનો સંગ્રહ, ધાન્યાદિ તથા ઘી તેલના પચ્ચખાણને કરતા બીજા પણ અલ્પ છૂટવાળા અભિગ્રહોને લે છે. પછી પ્રતિદિન જ શંખ જેવા ઉજ્જવળ શાલિનતાંદુળ-દાળ-ઘી-દૂધ ગોરસાદિ સાર પદાર્થોને ધનથી વેંચાતા લે છે. અર્થાત્ દરરોજ નવા લે છે પણ સંગ્રહ કરતા નથી.
હવે એક ગોવાલણ શ્રેષ્ઠ સુગંધી-ઘી-દૂધ અને ગોરસને લાવીને અહંદુદ્દાસીને આપે છે. અહદાસી પણ તેને પ્રતિબોધીને ભદ્રક ભાવવાળી કરે છે અને ધૂપાદિના દાનથી અનુકૂળ કરે છે તેથી ગોવાલણ પ્રયત્નથી પાણીને ગાળે છે, બળતણ અને અનાજને શોધે છે. એ પ્રમાણે બંનેને પણ પરસ્પર મૈત્રીભાવ થયો. હવે કોઈક વખતે તે ગોવાળને ઘરે લગ્નપ્રસંગ આવ્યો. તેઓએ અહંદૂદાસી અને જિનદાસને લગ્નનું આમંત્રણ આપ્યું. પછી - કંઈક બાનું બતાવીને તેઓ લગ્નમાં ન ગયા. પરંતુ વિવાહ કાર્યમાં જે ઉપયોગી થાય તેવા ચોખા વગેરે તથા મસાલા શ્રેષ્ઠ સુગંધી ધૂપો, વસ્ત્રો, આભરણાદિ તથા કુંકુમ, તંબોલ, વગેરે આપ્યા. પછી પોતાની જ્ઞાતિમાં તેઓની ઘણી મોટી શોભા થઈ તેથી ખુશ થયેલ ગોવાળે અતિસમાન શ્રેષ્ઠ રૂપવાળા ત્રણ વરસના કંબલ અને શંબલ નામના બળદ લઈ આવ્યા. જિનદાસે જણાવ્યું કે અમારે સર્વ ચતુષ્પદનો નિયમ છે. પછી તેની ગેરહાજરીમાં ગોવાળ તે બળદોને જિનદાસના ઘરે બાંધીને ગયો ત્યારે ઊઠીને જિનદાસ વિચારે છે કે જો હું આઓને છોડીને ઘરમાંથી કાઢી મૂકીશ તો લોકો આઓને પકડીને ગાડામાં જોડશે અને દુઃખી કરશે. હવે જિનદાસ અચિત્ત ચારાપાણીથી તેઓનું પોષણ કરે છે. જિનદાસ આઠમ ચૌદશના દિવસે પૌષધ લઈને ઉપવાસ કરે છે અને ગ્રંથનું વાંચન કરે છે. કંબલ અને શંબલ પણ તેને ધ્યાનપૂર્વક સાંભળે છે અને તે દિવસે