SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ G9 ભવ ભાવના પ્રકરણ ભાગ -૨ ધનદેવ નામનો શ્રેષ્ઠી બધી જાતના કરિયાણાના પાંચસો ગાડાં ભરીને તેની નજીકમાં આવ્યો. દુરુત્તર અને વિષમ એવી વેગવતી નામની પ્રસિદ્ધ નદી હતી. તેના બંને કાંઠા ઘણી રેતીથી ભરાયેલા હતા. ઘણા બળદો ગાડાં ખેંચતા થાક્યા. તે બળદોમાં એક સદ્ભાવવાળો સુસમર્થ એવો શ્રેષ્ઠ બળદ હતો તે દરેક ગાડામાં જોતરાય છે અને બધા ગાડાંઓને બહાર કાઢે છે. હવે તેના ખેંચવાથી ક્રમથી સર્વ ગાડાંઓ પાર ઉતારાયા. તે શ્રેષ્ઠ બળદ અતિભારને ખેંચવાથી મધ્યભાગથી તૂટ્યો પછી ભૂમિ પર પડ્યો. જેટલામાં એક પણ પગલું આગળ ચાલી શકતો નથી તેટલામાં ધનદેવ શ્રેષ્ઠી શોકથી આંસુધારાને વહાવતો તેની આગળ ઘણાં ઘાસચારાને તથા મોટા પાણીના કુંડને મૂકીને ઇચ્છા નહીં હોવા છતા ત્યાંથી ગયો. પછી ત્યાં ચારોપાણી સમાપ્ત થયા ત્યારે ભુખ-તરસથી તથા ભર ઉનાળાનો કાળ હોવાથી બળદ ઘણો પીડાયો અને વર્ધમાન ગ્રામજનો તેની પાસેથી રોજેરોજ ચાલે છે તો પણ તેને કંઈપણ ઘાસપાણી આપતા નથી તેથી આ બળદ તે ગામલોકોની ઉપર દ્વેષી થયો. અકામ તૃષા અને ક્ષુધાથી મરીને શૂલપાણી નામનો યક્ષ થયો. (૧૬) અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકીને પોતાના ક્લેવરને જુવે છે. હવે તેણે તે ગામમાં મારિ વિકુર્તી તેથી ઘણો લોક મર્યો, બાકીનો લોક બીજા ગામમાં ભાગીને જાય છે અને તે યક્ષ ત્યાં ગયેલા લોકનો પણ નાશ કરે છે તેથી ફરી પણ સર્વજન તે ગામમાં પાછો ફર્યો. પછી ભયભીત થયેલા તેઓ ચારેય પ્રકારના અશનથી બલિ તૈયાર કરી, સ્નાન કરી, બલિપૂજા કરી, શ્વેત શ્રેષ્ઠ વસ્ત્રો પહેરીને ઊર્ધ્વમુખવાળા હાથમાં ધૂપદાનીઓ લઈ બોલે છે કે અમારાવડે કોઈપણ દેવની સમ્યક્ આચરણા ન કરાઈ હોય તો તે દેવ અમને ક્ષમા કરે. શરણથી રહિત એવા અમને હમણાં શરણ થાઓ. પછી આકાશમાં રહીને યક્ષ તે લોકને કહે છે કે તમે નિરનુકંપ અને દુષ્ટમનવાળા છો કારણ કે અહીં ભુખ અને તૃષાથી પીડિત બળદ તમારા દેખતા પણ મર્યો. (૨૨) તૃણના સમૂહથી ભરાયેલા અને પાણીના સાધનવાળા તમે તેની પાસેથી પસાર થાઓ છો છતાં તેવી અવસ્થાવાળા પણ તે બળદને કંઈપણ ન નીર્યું તેથી તમારો છૂટકારો નહીં થાય. ભયપામેલા ગ્રામજનો દેવને કહે છે કે પ્રસન્ન થઈને અમારા અપરાધને ક્ષમા કરો. તમારો કોપ જોવાયો છે. હમણાં આપની કૃપાબુદ્ધિને ઇચ્છીએ છીએ. પછી તે દેવ કહે છે કે મરેલાં લોકોના હાડકાં ભેગા કરીને, નીચે દાટીને દેવકુલિકા કરાવો અને તેની અંદર બળદની પ્રતિમા સહિત શૂલપાણિ યક્ષની પ્રતિમા કરાવો. (૨૬) તેઓએ જલદીથી તેમ જ કર્યું અને ત્યાં ઇન્દ્રશર્મ નામના પૂજારીને રાખ્યો જે યક્ષને પૂજે છે અને દીપક પ્રગટાવે છે. પછી મારિ શાંત થઈ અને તે હાડકાંઓને તે રીતે રહેલા જોઈને આ ગામ અસ્થિકગ્રામ એ નામથી સકળ લોકમાં પ્રસિદ્ધ થયું. અને તે દેવકુલિકામાં રાત્રી વસનારને યક્ષ મારે છે તેથી યક્ષના ભયથી રાત્રીમાં કોઈપણ તે દેવકુલિકામાં વસતો નથી. સમગ્ર ગ્રામલોક તથા પૂજારી વા૨વા છતાં, યક્ષ બોધ પામશે એમ જાણીને, પોતાના શરીરે ઉપસર્ગો થશે એમ જાણવા છતાં પણ ભગવાન મહાવીર ત્યાં જઈને રહ્યા. તેથી ગુસ્સે થયેલો યક્ષ ભગવાનને અટ્ટહાસથી ક્ષોભ પમાડે છે. જેટલામાં પ્રભુ ક્ષોભ પામતા નથી તેટલામાં હાથીપિશાચ-સર્પના રૂપોથી તે દુષ્ટ તેવા ઉપસર્ગો કરે છે જે વર્ણવી શકાય તેમ નથી તો પણ જેટલામાં પ્રભુ ધ્યાનથી ચલાયમાન થતા નથી તેટલામાં મસ્તક-કર્ણ-નાક-દાંત-આંખ-પીઠ તથા નખમાં એમ સાત સ્થાનમાં સાત તીવ્ર વેદનાઓને કરે છે જે એકેક વેદના પ્રાણને હ૨ના૨ી છે. તે વેદનાઓથી પણ ભગવાન જ્યાં સુધી ધ્યાનથી ચલાયમાન થતા નથી તેટલામાં ઉપશાંત થયેલ આ પગમાં પડીને ફરી ફરી પણ ભગવાનને ખમાવે છે અને સિદ્ધાર્થ દેવે કહેલા ધર્મને સાંભળીને પ્રતિબોધ પામ્યો (૩૫) સમ્યક્ત્વનો સ્વીકાર કરે છે અને તે દિવસથી મારિને દૂર કરે છે, ભક્તિથી જિનની આગળ ગંધોદક અને ફુલોની વૃષ્ટિ કરે છે. પછી તુષ્ટ થયેલ
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy