________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
धंणदेवसेट्ठिवसहो कंबलसबला य एत्युदाहरणं । भरवहणखुहपिवासाहिं दुक्खिया मुक्कनियजीवा ।।१९३।। पृष्ठं घृष्ठं कृमिजालसंगतं परिगतं च मक्षिकाभिः वाह्यन्ते तथाऽपि खलु रासभवृषभादिका अवशाः ।।१९०।। वाहयित्वा सुबहुकं बद्धाः कीलेषु क्षुत्पिपासाभिः वृषभतुरगादिकाः खित्त्वा सुचिरं विपद्यन्ते ।।१९१।। आराकशादिघातैस्ताडितास्रटत्रटदिति स्फुटन्ति अनपेक्षितसामर्थ्य भारे वृषभादिका युक्ताः ।।१९२।। धनदेवश्रेष्ठिवृषभौ कम्बलशम्बलौ चात्रोदाहरणम्
भारवाहनक्षुत्पिपासाभिर्दुःखितौ मुक्तनिजजीवौ ।।१९३।।। ગાથાર્થ : પીઠ ઘસાઈ ગયેલી હોય, કૃમિઓના સમૂહથી ખદબદતી હોય, માખીઓ ચારે બાજુ બણબણતી હોય તો પણ પરવશ એવા ગધેડા, બળદ વગેરેને ભાર ખેંચવા વાહનોમાં જોતરવામાં આવે છે. (૧૦)
ઘણાં સમય સુધી ભારને વહન કરીને, ખીલામાં બંધાયેલા, ભુખ તરસથી પીડાયેલા એવા બળદ ઘોડા વગેરે લાંબો સમય ખેદ પામીને મરે છે. (૧૯૧)
શક્તિ ઉપરાંતના ભારને ખેંચવામાં જોતરેલા તથા આર-ચાબુકના ઘાતથી મરાયેલા એવા બળદ વગેરે પશુઓ તડ તડ એમ સાંધાથી તૂટે છે. (૧૯૨)
ધનદેવશ્રેષ્ઠીનો બળદ તથા કંબલ અને સંબલ, ભારવહન તથા ભુખ તરસથી દુ:ખી થયેલા, પોતાના પ્રાણોથી મૂકાયેલા અહીં ઉદાહરણ છે. (૧૯૩) સુમશ્રિતો િથા , થાન તૂધ્યતે – ચારેય ગાથાનો અર્થ સુગમ છે કથાનક કહેવાય છે.
ધનદેવ વૃષભનું કથાનક માગશર વદ દસમના દીક્ષા લઈને વીર જિનેશ્વર દિવસનો એક મુહૂર્ત ભાગ બાકી હતો ત્યારે કુમારગ્રામમાં પહોંચ્યા. રાત્રીમાં ત્યાં ગોવાળીયાના ઉપસર્ગને સહન કરીને પ્રભાત સમયે શક્રેન્દ્રના કહેવાથી સિદ્ધાર્થ દેવની સાથે વિહરે છે. કોલ્લાગ સન્નિવેશમાં બહુલ બ્રાહ્મણને ઘરે છઠ્ઠનું પ્રથમ પારણું કરે છે પછી પિતાના મિત્ર દૂઇત તાપસના આશ્રમમાં એક રાત્રી વસીને બાકીનો ઋતુબદ્ધ કાળ અન્ય સ્થાનોમાં વિચરીને ફરી પણ તે તાપસીના આશ્રમમાં આવીને ચોમાસું રહ્યા. તેઓને અપ્રીતિ થઈ તેથી વર્ષાકાળમાં પ્રથમ અર્ધમાસ પુરું થયું ત્યારે અસ્થિક ગામમાં ગયા અને ત્યાં પંદર ઉપવાસ કરી રહ્યા. પૂર્વે તેનું નામ વર્ધમાનક ગ્રામ હતું પછી તેનું નામ અસ્થિક ગ્રામ જે કારણથી થયું તે કહેવાય છે તેને સાંભળો. (૭)