SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ 1 77 શ્રાદ્ધદિનકૃત્ય સાતમું મંદિરગમન દ્વાર સમ્યત્વથી મોક્ષની પ્રાપ્તિ થાય એ વિષે કહ્યું છે કે – ““જીવો ત્રણલોકની પ્રભુતાને પામીને પણ કાળે કરીને નીચે પડે છે. પણ સમ્યત્વ પામીને અવિનાશી સુખવાળા મોક્ષને પામે છે.” (૪૫) जत्तियगुणपडिवत्ती, सव्वन्नुमयंमि अविचला होइ । सच्चिय बीयं जायइ, बोहीए तेण नाएणं ॥४६॥ આ જ વિષયને દષ્ટાંતસહિત કહે છે – - જિનમતમાં ક્ષમા વગેરે ગુણોનો અનુમોદના આદિ દ્વારા જેટલા પ્રમાણમાં દઢ સ્વીકાર કરવામાં આવે તેટલા પ્રમાણમાં તે સ્વીકાર જ જિનધર્મની પ્રાપ્તિનું બીજ થાય છે. આ વિષયમાં ચોરનું દષ્ટાંત છે. તે દષ્ટાંત આ પ્રમાણે છે ગુણપ્રશંસાથી જિનધર્મની પ્રાપ્તિ વિષે દષ્ટાંત કૌશાંબી નગરીમાં ધનશેઠને ધર્મપાલ નામે એક પુત્ર હતો. યક્ષ શેઠને વસુપાલ નામે એક પુત્ર હતો. તે બંને વચ્ચે બાલ્યકાળથી મૈત્રીભાવ હતો. મૈત્રીભાવ એટલો બધો ગાઢ હતોકે એકને જે ગમે તે બીજાને ગમે જ. એકને જે ન ગમે તે બીજાને પણ ન ગમે. જાણે કે બંનેનું ચિત્ત એક જ છે, માત્ર શરીર ભિન્ન છે. આથી લોકમાં તેમની એકચિત્તિયા તરીકે પ્રસિદ્ધિ થઇ. તે બંને એકવાર અન્ય લોકોને જતા જોઇને કુતૂહલથી ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળવા ગયા. ધર્મપાલને ભગવાનની વાણી ગમી, અમૃત સમાન મીઠી લાગી, તેના હૃદયમાં ઉતરી. આથી તે સમ્યગ્દર્શન (જૈનધર્મ પામ્યો. વસુપાલને જિનવાણીનગમી, રેતીના કોળીયા જેવી નિરસ લાગી, તેના હૃદયમાં ન ઉતરી. આથી તે ધર્મ ન પામ્યો. દેશના પૂરી થયા પછી બંને ઘરે ગયા. એક બીજાએ સામસામાના ભાવો વિપરીત જાણ્યા. આથી વસુપાલે ધર્મપાલને કહ્યું: બંધુ! તું ભગવંતની વાણી સાંભળીને ભાવિત થયો, હુંન થયો, આનું શું કારણ? અત્યાર સુધી આપણી એકચિત્તિયા તરીકે પ્રસિદ્ધિ છે. પણ આજે આપણા બંનેનાં ચિત્તો જુદાં પડી ગયાં છે. ધર્મપાલે કહ્યું : તારી વાત સાચી છે. મને પણ આ વિષે વિચાર આવે છે. આવતી કાલે આપણે ભગવંત પાસે જઇને આનો ખુલાસો મેળવી લઈશું. બીજા દિવસે બંને ભગવંત પાસે ગયા અને પૂર્વોક્ત પ્રશ્ન કર્યો. ભગવંતે કહ્યું: આનું કારણ એ છે કે ગતભવમાં ધર્મપાલે મુનિના ગુણોની પ્રશંસા કરી હતી. વસુપાલે નકરી. તેની વિગત આ પ્રમાણે છે – ગતભવમાં તમે બંને એક ગામના મુખીના પુત્રો હતા. યુવાનીમાં પરણવાની ઇચ્છા હોવા છતાં ધનના અભાવે એ ઇચ્છા પૂરી થતી ન હતી. આથી તમે બંને અનાર્યને લાયક ચોરીનો ધંધો કરવા લાગ્યા. એક વખત તમે બંને રાતે ગાયોનું હરણ કરીને જલદીજઇ રહ્યા હતા. પણ ખબર પડવાથી કોટવાળ વગેરે અધિકારી માણસો તમારી પાછળ પડ્યા. આથી તમે બંને એક ગુફામાં પેસી ગયા. ત્યાં એક મુનિને જોઇને ધર્મપાલે વિચાર્યું કે – આમનો જન્મ સફળ છે. આ ઉત્તમ આચારોનું પાલન કરે છે. સર્વસંગનો ત્યાગ કરીને નિર્ભયપણે શાંતિથી આ ગુફામાં રહે છે, અને આનંદ અનુભવે છે. જ્યારે અમે અધન્યમાં અધન્ય છીએ. ધનના લોભથી વિરુદ્ધ કાર્ય કરીને આત્માને પાપી બનાવીએ છીએ, લોકો તરફથી પરાભવ પામીએ છીએ. અહીંથી મૃત્યુ પામી કઈ ગતિમાં જઇશું? ખરાબ આચરણથી અમે અમારા બને લોકને બગાડ્યા છે. પાપથી રહિત નિર્મલ આ સાધુના વર્તનથી અમારું વર્તન તદ્દન વિપરીત છે. એમણે મળેલી પણ બધી સંપત્તિનો અને બધાં સુખોનો ત્યાગ કર્યો. જ્યારે અમે એ બંનેન મળ્યાં હોવા છતાં તેનો ભાવથી ત્યાગ કરી શક્તા નથી અને તેને મેળવવા માટે ચોરી આદિ પાપકાર્યો કરીએ છીએ.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy