SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 71 ) શ્રાદ્ધદિનકૃત્ય પાંચમું ચૈત્યવંદન દ્વાર નવમા કૃષ્ણ વાસુદેવ નેમિનાથના પૂજન-વંદનથી આ ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં અમમ નામના બારમા તીર્થંકર થશે. તેનું ચરિત્ર પ્રસિદ્ધ છે. નારદ વિદ્યાધર શાશ્વત-અશાશ્વત જિનપ્રતિમાઓની ઉપાસનાથી આ ભરત ક્ષેત્રમાં આવતી ચોવીશીમાં ૨૧મા મલ્લિ નામના તીર્થકર થશે. (૨૮) अडप्पयारपूयाए, पूइत्ता जगबंधवे । मुद्दाविहाणजुत्तेणं, कायव्वं जिणवंदणं ॥२९॥ હવે દ્રવ્યપૂજાના વર્ણનનો ઉપસંહાર અને ભાવપૂજાના વર્ણનનો પ્રારંભ કરતા ગ્રંથકાર કહે છેજગબંધુ તીર્થકરોની અષ્ટપ્રકારી પૂજા કરીને મુદ્રાથી યુક્ત બનીને ચૈત્યવંદન કરવું. ચૈત્યવંદનમાં જ્યારે જે મુદ્રા કરવાની હોય ત્યારે તે મુદ્રા કરવી. ચૈત્યવંદનભાષ્યમાં કહેલી મુદ્રાઓનું સ્વરૂપ પ્રસ્તુતગ્રંથની ૫૧મી ગાથાના વિવેચનમાં જણાવવામાં આવશે. - ચેત્યવંદનના ત્રણ પ્રકાર સ્તુતિ પૂર્વક નમસ્કાર જઘન્ય ચૈત્યવંદન છે. અરિહંત ચેઇયાણ અને સ્તુતિ એ બે મધ્યમ ચૈત્યવંદન છે. સંપૂર્ણ ચૈત્યવંદન ઉત્કૃષ્ટ ચૈત્યવંદન છે, અર્થાત્ પાંચ દંડક સૂત્ર, ચાર સ્તુતિ અને પ્રણિધાન (જય વયરાય) ના પાઠથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે. આ ત્રણ પ્રકારની વંદના વિધિપૂર્વક કરવી જોઈએ. (ચૈત્યવંદન પંચાશક ગાથા બીજી) * અહીં સંપ્રદાયથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન ઈર્યાપથિકનું પ્રતિક્રમણ (=ઈરિયાવહિયા) કરવા પૂર્વક કરવું જોઇએ. આથી પહેલાં ઈપથિકીનું વ્યાખ્યાન કરવું જોઈએ. ઈપથિકીના કાયોત્સર્ગમાં વેસુ નિમ્પતયરા સુધી ચતુર્વિશતિસ્તવ (=લોગસ્સ) નું ચિંતન કરવું. કાયોત્સર્ગ પાર્યા પછી પણ સંપૂર્ણ ચતુર્વિશતિસ્તવ કહેવો. આ પ્રમાણે ઈપથિકનું પ્રતિક્રમણ કરીને ઉત્તમ છંદવાળી, શ્રેષ્ઠઅર્થવાળી અને પુનરુક્તિના દોષથી રહિત સ્તુતિઓ બોલે. (૨૯) - પંનિમUપુવૅ વ, મુદ્ધી થાજો ! तिन्नि वारे नियंसित्ता, वामं जाणुंच अंचिया ॥३०॥ હવે પ્રથમ દંડક ( નમુત્યુર્ણ) સૂત્ર બોલવાની વિધિને બે શ્લોકથી કહે છે પંચાંગ નમસ્કાર પૂર્વક મસ્તકને ત્રણવાર જમીન ઉપર સ્થાપીને, ડાબી જાનુને કંઇક ઊંચી રાખીને, વસ્ત્રના છેડાથી મુખને ઢાંકીને, યોગમુદ્રાથી અને ભક્તિથી સમ્યફ શકસ્તવને બોલે. સ્તુતિઓ બોલ્યા પછી નીચે મુજબ વિધિથી શકસ્તવ કહે. (૧) પંચાંગ નમસ્કાર કરે એટલે કે બે જાન, બે હાથ ને મસ્તક એ પાંચ અંગો જમીનને સ્પર્શે તેમ નમે. (૨) પછી પૃથ્વીનું પ્રતિલેખન – પ્રમાર્જન કરીને મસ્તકને (લલાટને) ત્રણવાર જમીન ઉપર સ્થાપે. (૩) જમણો ઢીંચણ ભૂમિ ઉપર સ્થાપીને ડાબો ઢીંચણ જમીનથી કંઇક ઊંચો રહે તે રીતે બેસે. નમુત્યુર્ણ, અરિહંત ચેઈયાણ, લોગસ્સ, પુખરવરદીવડે અને સિદ્ધાણં બુદ્ધાણં એ પાંચ. - ઈર્યાપથિકીનું વ્યાખ્યાન કરવું જોઇએ એટલે કે ઈપથિકનો અર્થ કહેવો જોઇએ.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy