________________
( 68
)
પાંચમું ચૈત્યવંદન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય હોય, જેના ઉપર કરોળિયાએ જાળ ગુંથી હોય, જે દેખાવમાં સુશોભિત ન હોય, જે અશુભગંધવાળાંકે બિલકુલ ગંધ વિનાનાં હોય, જેની ગંધમાં ખટાશ હોય, પાસે રાખીને ઝાડો-પેશાબ વગેરે ક્યું હોય, આવાં પુષ્પોથી દેવપૂજા ન કરવી જોઈએ. (૨૫-૨૬).
जओ पूयापभावेणं, सुव्वए जिणसासणे । देवत्तं नरनाहत्तं, तित्थनाहत्तणं तहा ॥२७॥ પૂજાના ફળને કહે છે –
શ્રાવકદરરોજ જિન પૂજા કરે. કારણ કે જૈન શાસનમાં પૂજાના પ્રભાવથી દેવગતિ, રાજ્ય, તીર્થંકરપદ રૂપ ફલ સંભળાય છે. (૨૭)
थेरीकुरुनरिंदो य, सुव्वओ जिणसेहरो । सच्चई वासुदेवो य, नारओ य महायसो ॥२८॥ દેવગતિ આદિ વિષે યથાયોગ્ય દષ્ટાંતોને કહે છે –
પૂજાના ફળમાં વૃદ્ધા, કુરરાજા, આઠ વણિક બંધુઓ, જિતશેખર, સત્યકિ, વાસુદેવ અને મહાયશસ્વી નારદ એ દષ્ટાંતો છે.
ગાથાનો ભાવાર્થ કથાનકોથી જાણવો. તેમાં પુષ્પ પૂજાના ભાવથી દેવગતિની પ્રામિ વિષે વૃદ્ધાનું દષ્ટાંત આ પ્રમાણે છે–
વૃદ્ધાનું દષ્ટાંત ભગવાન મહાવીરસ્વામી પૃથ્વીતલને પાવન કરતાં કરતાં એક વખત કાકંદી નગરીમાં પધાર્યા. ધર્મદેશના માટે દેવોએ ભક્તિથી સમવસરણની રચના કરી. ભગવાનની ધર્મદશના સાંભળવા અને વંદન-પૂજન કરવા માટે રાજા વગેરે નગરના લોકો આવવા લાગ્યા. ભગવાનની પૂજા માટે લોકોના હાથમાં ગંધ, ધૂપ, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી હતી. આ વખતે એક વૃદ્ધા પાણી આદિ માટે બહાર જઇ રહી હતી. નગરના ઘણા લોકોને ઉતાવળે ઉતાવળે એક દિશા તરફ જતાં જોઇને વૃદ્ધાએ એક ભાઈને પૂછ્યું: લોકો આમ ઉતાવળે ઉતાવળે ક્યાં જાય છે? તે ભાઇએ કહ્યું કે ભગવાન મહાવીરસ્વામીના વંદન-પૂજન માટે જાય છે. આ સાંભળી વૃદ્ધાને પણ ભગવાન મહાવીરસ્વામી પ્રત્યે ભક્તિભાવ જાગ્યો. તે વિચારવા લાગી કે – હું પણ ભગવાનની પૂજા કરું, પણ હું ગરીબ હોવાથી પૂજાનાં સાધનોથી રહિત છું. આ લોકો ભગવાનની પૂજા માટે ધૂપ વગેરે ઉત્તમ સામગ્રી લઈને જાય છે. હું તેના વિના શી રીતે પૂજા કરું? કંઇ નહિ, મને જંગલમાં ગમે ત્યાંથી પુષ્પો મળી જશે. એ પુષ્પોથી હું ભગવાનની પૂજા કરું. આમ વિચારી વૃદ્ધાજંગલમાંથી સિંદુવારનાં પુષ્પો લઇ આવી. પુષ્પો લઇને હર્ષથી સમવસરણ તરફ જઈ રહી હતી. પણ વૃદ્ધાવસ્થાના કારણે રસ્તામાં જ આયુષ્યનો ક્ષય થતાં મૃત્યુ પામી. રસ્તા ઉપર તેનું મડદું જોઇને યાળુ માણસોએ આ વૃદ્ધા મૂછ પામી છે એમ સમજીને તેના ઉપર પાણી છાંટ્યું. થોડો વખત મૂછના ઉપચાર કરવા છતાં જરાપણ ચેતના આવીનહિ. એટલે લોકોએ ભગવાનને પૂછ્યું કે- આવૃદ્ધા મરીરાઇ છે કે જીવતી છે? ભગવાને કહ્યું: તે મૃત્યુ પામી છે. તેનો જીવ દેવરૂપે ઉત્પન્ન થયો છે. દેવરૂપે ઉત્પન્ન થયેલો વૃદ્ધાનો જીવ દેવલોકમાં ઉત્પન્ન થયા પછી તુરત અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને મને વંદન કરવા આવ્યો છે. તે આ રહ્યો, એમ કહીને ભગવાને પોતાની પાસે ઊભેલા દેવને બતાવ્યો. ભગવાન પાસે આ વૃત્તાંત સાંભળીને સમવસરણમાં રહેલા બધા