SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય (65) પાંચમું ચૈત્યવંદન દ્વાર (૨) આત્મામાં સુંદર ભાવો જાગે છે. એથી અશુભ કર્મોની નિર્જરા થવા સાથે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. અશુભ કર્મોની નિર્જરાથી સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી વિશિષ્ટ ભૌતિક સુખોની અને ધર્મસામગ્રીની પ્રાપ્તિ થાય છે. (૩) ભવિષ્યમાં ચારિત્રની પ્રાપ્તિથી સર્વથા સંસારના આરંભોથી નિવૃત્તિ થાય છે. (૪) બીજા જીવોને ધર્મ પમાડી શકાય છે. (૫) મન પ્રસન્ન રહે છે. (અહીં ૨૩-૨૪ ગાથા પૂર્ણ થઈ.) (૨૩-૨૪) गंधोदएण न्हावित्ता, जिणे तेलोक्कबंधवे । गोसीसचंदणाईहिं, विलिंपित्ता य पूयए ॥२५॥ पुप्फेहिं गंधेहिं सुगंधिएहिं, धूवेहिं दीवेहि य अक्खएहिं । नाणाफलेहिं च घएहिं निच्चं, पाणीयपुन्नेहिं य भायणेहिं ॥२६॥ પૂજાની વિધિને કહે છે ગાથાર્થ - જેમાં ઘણી સુગંધ હોય તેવા કેશર વગેરે પદાર્થોને ભેળવીને સુગંધી બનાવેલા પાણીથી ત્રિલોકબંધુ જિનેશ્વરોનો અભિષેક કરીને, ગોશીષચંદન અને પૂર આદિથી વિલેપન કરીને, સુગંધી અને તાજાં પુષ્પોથી, સુગંધી વાસક્ષેપથી, કૃષ્ણાગર વગેરે સુગંધી ધૂપથી, દીપકથી, શાલિચોખા વગેરે અક્ષતોથી, બીજોરું વગેરે વિવિધ ફળોથી, ઘીથી, સર્વપ્રકારના નૈવેદ્યથી, નિર્મલ પાણીથી ભરેલાં શંખ વગેરે પાત્રોથી દરરોજ જિનોની પૂજા કરે. વિવેચન પૂજામાં પાણી લેવું જોઈએ? (૧) પાણીના ટાંકાઓમાં શુભ નક્ષત્રમાં સંગ્રહેલું વર્ષાદનું પાણી. (૨) તે શક્ય ન બને તો નદીના વીરડાનું પાણી. (૩) તે શક્ય ન બને તો કૂવાનું પાણી. (૪) તે શક્ય ન બને તો બીજું કોઇ પણ સ્વચ્છ પાણી. અંગલુછણાં અંગે માહિતી અંગલૂછણાં સ્વચ્છ, પવિત્ર, સફેદ અને સુકોમળ તેમજ અખંડ (ફાટેલાં કેકાણાં વગરના) હોવા જોઈએ. અંગલુછણાને સ્વચ્છથાળમાં જ મૂક્વા જોઈએ. તેને પબાસણની જમીન ઉપર પણ મૂકાય નહીં. તેને આપણા શરીરનો અને વસ્ત્રોનો સ્પર્શ બિલકુલ થવા દેવાય નહીં. ધોયા પહેલાં, ધોતી વખતે અને ધોયા પછી ક્યારેય અંગ લૂછણાંને પાટલૂછણાનો સ્પર્શ થવાદેવાય નહી. બંનેને અલગ જ રાખવા જોઈએ, અલગ જ ધોવાં જોઈએ, અને અલગજ સુક્વવાં જોઈએ. સુકાઈ ગયા પછી ગડી કરીને પણ અલગ જ રાખવાં જોઈએ. લોકોનાં શરીર-વસ્ત્રોનો સ્પર્શથાય તેવા જવા-આવવાના માર્ગમાં અંગલુછણાં સુકાવાય નહિ. અંગલૂછણાં
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy