SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું ચૈત્યવંદન દ્વાર ( 64) શ્રાદ્ધદિનકૃત્ય યતનાથી જિપૂજા કરનારને હિંસાનો અનુબંધ થતો નથી, અહિંસાનો અનુબંધ થાય છે, આ વિષે અધ્યાત્મસારમાં કહ્યું છે કે सतामस्यास्कस्याश्चिद् यतनाभक्तिशालिनाम् । अनुबन्धो ह्यहिंसाया जिनपूजादिकर्मणि ॥ “યતનાપૂર્વક કરાતી જિનભક્તિથી શોભતા સત્પષોના જિનપૂજાદિ કાર્યોમાં થતી હિંસાથી અહિંસાનો અનુબંધ થાય છે = હિંસાથી પણ અહિંસાનું ફળ મળે છે.” साधूनामप्रमत्तानां सा चाहिंसानुबन्धिनी । हिंसानुबन्धविच्छेदाद् गुणोत्कर्षो यतस्ततः ।। “અપ્રમત્તમુનિઓની નદી ઉતરવા વગેરેની ક્યિામાં થતી હિંસા અહિંસાનો અનુબંધ કરાવે છે. તેવી હિંસાથી હિંસાના અનુબંધનો વિચ્છેદ થઈ જતો હોવાથી (અપ્રતિબદ્ધવિહાર વગેરે) ગુણોની વૃદ્ધિ થાય છે.” જો આ પ્રમાણે હિંસા-અહિંસાના પ્રકારો ન સમજે અને કેવળ બાહ્ય અહિંસા જ જોવામાં આવે તો મુનિ પણ અહિંસકન બની શકે. કારણકે સૂક્ષ્મ હિંસાતો મુનિને પણ લાગે છે. જીવ વીતરાગ બને છે (=સર્વજ્ઞ બને છે) ત્યાર પછી પણ મોક્ષમાં ન જાય ત્યાં સુધી સૂક્ષ્મ હિંસા ચાલુ હોય. જો બાહ્યથી કોઇ પણ જાતની હિંસા ન થાય તો અહિંસક ભાવ આવે એમ માનવામાં આવે તો એકેન્દ્રિય જીવો બાહ્યથી કોઇ હિંસા કરતા નથી. તેથી તે જીવો અહિંસક બનવા જોઇએ. પણ તેમ નથી. માટે હિંસા-અહિંસામાં ભાવની (2ધ્યેયની અને પરિણામની) પ્રધાનતા છે. જિનપૂજામાં સામાન્ય હિંસા થવા છતાં તેનાથી પરિણામે લાભ થાય છે. આ વિષયને શાસ્ત્રમાં કૂવાના દષ્ટાંતથી સમજાવવામાં આવ્યો છે. કૂવાના દષ્ટાંતની ઘટના પૂર્વે પૃ કર માં સમજાવવામાં આવી છે. વ્યવહારમાં પણ જે પ્રવૃત્તિમાં થોડું નુકસાન હોવા છતાં અધિક લાભ હોય તો તે પ્રવૃત્તિ કરવા જેવી મનાય છે. લોકો કરે પણ છે. લોકો જ્યારે વેપાર કરે છે ત્યારે પહેલાં વ્યય કરવો પડે છે. છતાં લોકો પૈસા ગુમાવી દીધા એમ માનતા નથી. કારણ કે જેલો વ્યય થાય તેનાથી અધિક લાભ ભવિષ્યમાં થવાનો છે. તેમ જિનપૂજાથી પણ પરિણામે સર્વથા હિંસાથી નિવૃત્તિ થાય છે. ચેત્ય શબ્દનો અર્થ મૂર્તિપૂજાનો નિષેધ કરનારાઓ પૌષધશાળા વગેરે બનાવે છે, બીજા ગામ આદિમાં રહેલા મુનિઓને વંદન કરવા વાહનનો ઉપયોગ કરે છે, સાધર્મિક ભક્તિ માટે રસોડું વગેરે કરે છે. આમાં પણ હિંસા તો થાય છે. મૂર્તિપૂજાના નિષેધકો શાસ્ત્રમાં જિનમૂર્તિ કે જિનમંદિરના અર્થમાં આવતા ચૈત્ય શબ્દનો જ્ઞાનકે સાધુઅર્થ કરે છે તે બરોબર નથી. ચૈત્ય શબ્દનો અર્થ જિનમંદિર કે જિનમૂર્તિ થાય છે. અથવા ભગવાન જે (અશોક) વૃક્ષ નીચે બેસીને દેશના આપે છે તે વૃક્ષને ચૈત્ય કહેવામાં આવે છે. આથી જ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે સ્વરચિત શબ્દકોષમાં કહ્યું છે કેચૈત્યો નિનોનસ્તવિખ્ત, ચૈત્યો વિનમાતર:” ચૈત્ય શબ્દ જિનમંદિર કે જિનમૂર્તિ અર્થમાં છે. જે વૃક્ષની નીચે બેસીને ભગવાન ધર્મદેશના આપે છે, તે (અશોક) વૃક્ષને પણ ચૈત્ય કહેવામાં આવે છે. જિનપૂજાથી થતા લાભો (૧) જેટલો સમય જિનપૂજા થાય તેટલો સમય પાપોથી બચી જવાય છે.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy