SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ 56 ચોથું યોગ દ્વારા શ્રાદ્ધદિનકૃત્ય મુ પોરિસી, સાપોરિસી, મુનિને તિવિહાર – ચોવિહાર (ગાઢ કારણે દુવિહાર) હોય. Lપુરિમ-અવઢ ! શ્રાવકને તિવિહાર - ચોવિહાર (કારણે દુવિહાર) હોય. એકાસન, બિયાસન -r મુનિને તિવિહાર, ચોવિહાર (ગાઢ કારણે દુવિહાર) 1 શ્રાવકને ચોવિહાર, તિવિહાર (કારણે દુવિહાર) હોય. એકલઠાણું - મુનિ-શ્રાવક બંનેને ચોવિહાર હોય. આયંબિલ, ઉપવાસ - મુનિ-શ્રાવક બંનેને તિવિહાર–ચોવિહાર હોય. નીવિ . મુનિ-શ્રાવક બંનેને તિવિહાર -ચોવિહાર હોય. અપવાદે દુવિહાર પણ હોય. રાપ્રિત્યાખ્યાન - મુનિને ચોવિહાર, શ્રાવકને દુવિહાર, તિવિહાર, ચોવિહાર હોય. અણાહારી વસ્તુઓ પ્રસંગાનુસાર અણાહારી તરીકે વપરાતી વસ્તુઓ જણાવીએ છીએ. તેમાં લીમડાનાં (લિંબોળી–પાનછાલ-મૂળ અને ફૂલ મહોર) પાંચેય અંગો, ગળો, કડુ-કરીઆતું, અતિવિષની કળી, ચીડ (તેલીઆ દેવદારનું લાકડું), સૂકડી (સુખડ), રાખ (દરેક ભસ્મો), હળદર, રોહિણી (સરોહિણી નામની ઔષધિ), વજ, ઉપલેટ, ત્રિફલા (હરડે, બહેડાં અને આમળાં ત્રણેયનું સરખે ભાગે કરેલું ચૂર્ણ), તથા અન્ય આચાર્યોના મતે બાવળની છાલ પણ અણાહારી છે; તે ઉપરાંત ધમાસો, નાહી, આસંધી (આસન), રિંગણી (ભોંયરિંગણી તથા ઉભીરિંગણી), એળિયો, ગુગળ, હરડેદળ, વણિી (?), તથા બોરડી-કંધેર અને કેરડો એ દરેકનાં મૂળિયાં, jઆડ, મજીઠ, બોળ (હીરાબોળ), બીઓ (કમરકસનું લાકડું), કુંઅર, ચિત્રક (નાં મૂળિયાં) અને કુન્દર (ધૂપમાં નાખવામાં આવે છે તે), વગેરે વસ્તુઓ, કે જેનો સ્વાદ અનિષ્ટ (ખરાબ) હોય તેવી વસ્તુઓ ચોવિહાર પચ્ચશ્માણમાં પણ રોગાદિ આપત્તિ પ્રસંગે અણાહારી તરીકે કલ્પ છે. આ સિવાય પણ અન્ય ગ્રંથોમાં અણાહારી વસ્તુ આ પ્રમાણે બતાવી છે – અગર, અફીણ, આકડાનું પંચાંગ, અંબર, ઈન્દ્રવરણાનું મૂળ, કરેણની જડ, કસ્તુરી, કાથો, ખરસાર, ખેરનું મૂળ તથા છાલ, ગૌમૂત્ર, ચીમેડ, ચુનો, જરદો, જવખાર, ઝેરી ગોટલી, ટંકણખાર, ડાભડાનું મૂળ, તગર, તમાકુ, થોરના મૂળ, દાડમની છાલ, નિર્મળી, પાનની જડ, ફટકડી, બુચકણ, બેડાની છાલ, બોરડીની છાલ, મલયાગરૂ, મરેઠી, વખમો, વડગુંદા, સુરોખાર, સાજીખાર, હિમજ, હરડાની છાલ, હીરાબોળ વિગેરેને અણાહારીમાં ગણેલાં છે. કેટલાકો તો કેસર, ખારો, ચોપચીની, ઝેરી કોપરું વિગેરેને પણ અણાહારી કહે છે. પરંતુ તેનો અણાહારી તરીકે ઉપયોગ કરવો વ્યાજબી જણાતો નથી. અહીં પ્રસંગોપાત તપસ્વીઓના ઉપકારાર્થે અણાહારી વસ્તુઓના કેટલાક ગુણો વૈદ્યોના અભિપ્રાય પ્રમાણે જણાવવામાં આવે છે. - સચિત્તના ત્યાગવાળા અચિત્ત અણહારી દવા વાપરી શકે, પણ સચિત્ત અણાહારી દવા નવાપરી શકે. જેમકે- લીલો લીમડો ન વાપરી શકે, સુકો લીમડો વાપરી શકે. એ રીતે અન્ય વસ્તુઓમાં પણ સમજી લેવું. અણાહારી વસ્તુના ગુણો (૧) અગર-તૃષા અને મૂચ્છને દૂર કરનાર, શીતળતથા વાઈ-અપસ્મારમાં ગુણકારક. (૨) અફીણउपवासाचामाम्ल निर्विकृतिकानि प्रायस्त्रिचतुर्विधाहाराणि, अपवादात् तु निर्विकृतिकानि पोरुष्यादि च द्विविधाहारमपि स्यात् । અણાહારી વસ્તુ પણ પાણી સાથે લેવાથી કે તેનો સ્વાદ જ્યાં સુધી મુખમાં હોય ત્યાં સુધી પાણી વાપરવાથી આહારી ગણાય છે, તેમજ ખાસ આપત્તિ સિવાય સહજ કારણે તે વાપરવી ઉચિત નથી, અણાહારી વસ્તુ પણ અભ્યાસને યોગે વારંવાર લેવાથી પચ્ચકખાણ ભાંગે છે.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy