________________
શ્રાદ્ધદિનકૃત્યા
55
ચોથું યોગ દ્વાર
કરાવવાનો, ચૂનો ઘોળાવવાનો તથા ચિત્રામણ કરાવવાનો, પ્રતિવર્ષે કે પ્રતિમાસે દેરાસરમાં અંગલુછણાં, દીવા માટે સુતરની કે રૂની પૂણી, દેરાસરના ગભારાની બહારના કામ માટે તેલ, ગભારાના અંદરના કામ માટે ઘી અને દીવા-ઢાંકણાં, પુંજણી, ધોતીયાં, અંતરાસણ, વાળાકુંચી, ચંદન, કેસર, અગર, અગરબત્તી વિગેરે કેટલીક વસ્તુઓ સર્વજનના સાધારણ ઉપયોગ માટે મૂકવાનો નિયમ કરવો.
પૌષધશાળા-ઉપાશ્રયમાં કેટલાંક ધોતીયાં, બેશ, કટાસણાં, મુક્ષત્તિ, નવકારવાળી, ચરવળ, સુતર, કંદોરા, રૂ, કાંબળી પ્રમુખ મૂકવાનો, વરસાદના વખતે શ્રાવક વિગેરેને બેસવા માટે કેટલાક પાટ, પાટલા, બાજોઠ કરાવી પૌષધશાળામાં મૂક્વાનો, પ્રતિવર્ષે વસ્ત્ર-આભૂષણાદિથી કે વધારે ન બની શકે તો છેવટે સુતરની નવકારવાળીથી પણ સંઘપૂજા કરવાનો, પ્રતિવર્ષપ્રભાવના કરીને કે પોસાતીને જમાડીને કે કેટલાકશ્રાવકને જમાડીને યથાશક્તિ સાધર્મિક વાત્સલ્ય કરવાનો, કે પ્રતિવર્ષ દીનહીન દુ:ખીયા શ્રાવકને યથાશક્તિ ઉદ્ધરવાનો.
દરરોજ કેટલાક લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનો, નવા જ્ઞાનનો અભ્યાસ કરવાનો કે તેમ ન બની શકે તો ત્રણસો આદિ ગાથાનો સ્વાધ્યાય કરવાનો, નિરંતર દિવસે નવકારસી આદિ અને રાત્રે દિવસચરિમ (તિવિહારચોવિહાર) વિગેરે પચ્ચશ્માણ કરવાનો, બેટાઇમના પ્રતિમણ કરવાનો, એ વિગેરે નિયમો શરૂમાં લેવા જોઈએ.
(શ્રાદ્ધવિધિભાષાંતરમાંથી સાભાર ઉદ્ધત) (૧૫) ઉપવાસ- ઉપવાસ એટલે આહારનો ત્યાગ. ઉપવાસના તિવિહાર અને ચોવિહાર એમ બે ભેદ છે. જેમાં સર્વ પ્રકારના આહારનો ત્યાગ તેચોવિહાર. જેમાં પાણી સિવાય સર્વ પ્રકારના આહારનો ત્યાગ તે તિવિહાર.
' (૧૬) દિવસચરિમ– દિવસના છેલ્લા ભાગે લેવાતું પચ્ચખાણ. આ પચ્ચખાણના ચોવિહાર, તિવિહાર અને દુવિહાર એમ ત્રણ ભેદ છે. જેમાં પાણી સિવાય ત્રણ પ્રકારના આહારનો ત્યાગ તેતિવિહાર. જેમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ તે ચોવિહાર. જેમાં પાણી અને સ્વાદિમ સિવાયના બે પ્રકારના આહારનો ત્યાગ તે દુવિહાર.
જેણે તિવિહાર એકાસણાનું, નીવિનું કે આયંબિલનું પચ્ચખાણ કર્યું હોય તેણે એકાસણું વગેરે કરીને ઊઠતી વખતે દિવસચરિમંતિવિહારનું પચ્ચખાણ લેવું જોઇએ. આનો અર્થ એ છે કે હવે મારે પાણી સિવાય ત્રણે - આહારનો (આવતીકાલનાસૂર્યોદય સુધી) ત્યાગ છે. પછી સાંજે પાણીનો પણ ત્યાગ કરવા પાણહારનું પચ્ચશ્માણ
લેવું જોઈએ. જેણે એકાસણું, નીવિકે આયંબિલ ઠામ ચોવિહાર કર્યું હોય તેણે એકાસણું વગેરે કરીને ઊઠતી વખતે દિવસચરિમ ચોવિહારનું પચ્ચખાણ લેવું જોઈએ. આનો અર્થ એ છે કે હવે મારે ચારે આહારનો (આવતી કાલના સૂર્યોદય સુધી) ત્યાગ છે.
નવકારશી વગેરે છૂટું પચ્ચખાણ કરનારે સાંજના સૂર્યાસ્ત પહેલાં ચોવિહાર, તિવિહાર અને દુવિહાર એ ત્રણમાંથી કોઇ એક પચ્ચખ્ખાણ કરવું જોઈએ.
જો રાતના પાણી ન વાપરવું હોય તો ચોવિહારનું, પાણી વાપરવું હોય તો તિવિહારનું, અને દવાદિના કારણે સ્વાદિમ આહારનો ઉપયોગ કરવાનો હોય તો દુવિહારનું પચ્ચશ્માણ લેવું જોઈએ.
(૧૭) પાણહાર-એકાસણું, બિયાસણું, આયંબિલ, નીવિઅને તિવિહાર ઉપવાસ કરનારાએ સાંજે પાણહારનું પચ્ચખાણ લેવું જોઈએ.
દુવિહાર-તિવિહાર-ચોવિહાર સંબંધી માહિતી નવકારશી . મુનિ-શ્રાવક બંનેને ચોવિહાર હોય. પહેલાં એકાસણું વગેરે તિવિહાર ક્યું હોય, પણ જો ઊઠતી વખતે હવે મારે પાણી વાપરવું નથી એવી ભાવના થાય તો પણ ચોવિહાર લઈ શકાય.