________________
ચોથું યોગ દ્વાર
(54)
શ્રાદ્ધદિનકૃત્ય કલ્પી શકે, શ્રાવકને નકલ્પ, શ્રાવકને કોઈ પણ પ્રકારના વિગઈમાં ન ગણાતા હોય તેવા પણ) અલ્પ પણ તેલથી વઘારેલા કઠોળનું શાક અને દાળ વગેરે ન કલ્પે. તજ વગેરે મસાલો, વલોણાની છાશ અને વલોણાની છાશ નાખીને બનાવેલ ઢોકળા વગેરે કલ્પી શકે. આયંબિલમાં આ બધું ન લેવાય. તેમાં ફક્ત લુખો આહાર, બલવન (પાકું મીઠું) અને સૂંઠ વગેરે અમુક જ ચીજો ખપે.
(૧૨) પાણી-ત્રણ ઉકાળાથી ગરમ કરેલું પાણી પીનારાએ પાણીનું પચ્ચખાણ લેવું જોઇએ. બિયાસણું, એકાસણું, નિવિ, આયંબિલ અને તિવિહાર ઉપવાસના પચ્ચખાણમાં તે તે પચ્ચખાણની સાથે જ પાણીનું પચ્ચખાણ આવી જાય છે. કારણકે તેમાં ગરમ પાણી જ વાપરવાનો નિયમ છે. પણ તે સિવાયના નવકારશી વગેરે પચ્ચશ્માણ કરનારાએ ગરમ પાણી પીવું હોય તો નવકારશી વગેરેના પચ્ચખાણની સાથે પાણીનું પણ પચ્ચખાણ લેવું જોઈએ.
(૧૩) દેશાવગાશિક ચૌદ નિયમ ધારનારે દેશાવગાશિકનું પચ્ચશ્માણ લેવું જોઇએ.
(૧૪) અભિગ્રહ - વિવિધ પ્રકારના નિયમો = અભિગ્રહો લઇને અભિગ્રહ પચ્ચશ્માણ કરવું જોઇએ. જેમ કે – રાત્રિભોજનનો ત્યાગ ન થઇ શકે તો, રાતે એક વખતથી વધારે વખત ભોજન નહિ કરું, અર્થાત્ એક વખત જમીને ઊડ્યા પછી કોઇ વસ્તુ મોઢામાં નહિ નાખું એમ અભિગ્રહ લઇ શકાય. ચૌદ નિયમન ધારી શકાય તો તેમાંથીદ્રવ્યની ધારણા કરી શકાય. અર્થાત્ આજે આટલા દ્રવ્યથી વધારે દ્રવ્ય નહીં વાપરું એમ નિયમ લઇ શકાય. દવાઆદિના કારણે બિયાસણું વગેરે નથઇ શકે તો દવા સિવાય અમુક વખતથી વધારે વખત ભોજન નહિ કરું એમ અભિગ્રહ લઇ શકાય. દીક્ષાનલેવાય ત્યાં સુધી અમુક વસ્તુનો ત્યાગ. આમ અનેક રીતે નિયમો લઈ શકાય. વિવિધ પ્રકારના નિયમોથી મન અને ઈન્દ્રિયો ઉપર કાબૂ આવે અને ઘણી કર્મનિર્જરા થાય. માટે જ ઉપદેશપદ વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે – “મોક્ષના અભિલાષીઓએ ક્ષણવાર પણ અભિગ્રહ વિના ન રહેવું જોઇએ. અને લીધેલા નિયમોનું બરોબર પાલન કરવું જોઇએ.” અહીં શ્રાદ્ધવિધિમાં બતાવેલા નિયમો આ પ્રમાણે છે–
શ્રાવકને લેવા યોગ્ય નિયમો પ્રથમથી મિથ્યાત્વનો ત્યાગ કરવો, જૈન ધર્મને સત્ય માનવો, દરરોજ યથાશક્તિ ત્રણ વાર, બે વાર કે એક વાર જિનપૂજા કે ભગવંતનાં દર્શન કરવા અને આઠ થોયે કે ચાર થોપે ચૈત્યવંદન કરવા વિગેરેનો નિયમ લેવો. એવી રીતે કરીને, જો ગુરુનો સંયોગ હોય, તો તેમને બૃહસ્પંદન–લઘુવંદનથી વાંદરા અને ગુરુનો સંયોગ ન હોય, તો પણ પોતાના ધર્માચાર્ય (જેનાથી ધર્મનો બોધ થયેલો હોય) તેનું નામ દઇ દરરોજ વંદન કરવાનો નિયમ રાખવો.
ચોમાસામાં, પાંચ પર્વમાં અષ્ટપ્રકારી પૂજા અથવા સ્નાત્રપૂજા કરવાનો, ચાવજીવદર વર્ષનવું અન્ન આવે તેનું નૈવેદ્યકરી, પ્રભુ આગળ ધરી પછીથી ખાવાનો, તેમજ દરવર્ષે જે નવાં ફળ-ફૂલ આવે, તે પ્રભુને ચડાવ્યા પછી વાપરવાનો નિયમ રાખવો.
દરરોજ સોપારી બદામ વિગેરે ફળ (ચડાવવાનો), અષાઢી, કાર્તિકી અને ફાગણની પૂનમ તથા દીવાળી, પર્યુષણ વિગેરે મોટી પર્વતિથિમાં પ્રભુ આગળ અષ્ટમંગલિક (અક્ષતની ઢગલીઓ) કાઢવાનો નિરંતર પર્વતિથિમાં કે વર્ષમાં કેટલીકવાર દરેક મહિને ખાદિમ, સ્વાદિમાદિ ઉત્તમ વસ્તુઓ જિનરાજની પાસે ચડાવીને કે ગુરુને વહોરાવીને પછી જ ભોજન કરવાનો, દરમાસે કે દરવર્ષે કે દેરાસરની વર્ષગાઠે કે પ્રભુના જન્મકલ્યાણકાદિ દિવસે દેરાસરના મોટા આડંબર મહોત્સવ પૂર્વક ધ્વજા ચડાવવાનો, પ્રતિવર્ષે સ્નાત્ર પૂજા, અષ્ટપ્રકારી તથા મોટી પૂજા (અષ્ટોત્તરી પ્રમુખ) ભણાવવાનો, તેમજ રાત્રિ જાગરણ કરવાનો, નિરંતર કે ચોમાસામાં કેટલીકવાર દેરાસરમાં પ્રમાર્જન