SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય ( 53 ) ચોથું યોગ દ્વાર છાશ કાચી કે પાકી કોઇ વિગઈ ગણાતી નથી. એટલે જેણે દહીંની કાચી-પાકી બંને વિગઈનો ત્યાગ કર્યો હોય તેને વલોણાની છાશ ખપી શકે. (૩) ઘી - દૂધની જેમ સમજી લેવું. (૪) તેલઃ- દૂધની જેમ સમજી લેવું. વિશેષ:- તલ, સરસવ, કસુંબી અને અળસી એ ચાર તેલ, તેલ વિગઈ છે. બાકીના તેલ તેલવિગઈન ગણાય. (૫) ગોળ:- દૂધની જેમ સમજી લેવું. વિશેષ:- ખાંડ-સાકર પાકી ગોળ વિગઈ છે. આથી કાચી-પાકી બંને પ્રકારની ગોળ વિગઈના ત્યાગીને ગોળ કે ખાંડ તથા ગોળ કે ખાંડ જેમાં નાખેલ હોય તે વસ્તુ ન ખપે. કાચી ગોળ વિગઈ ત્યાગ કરનારને ગોળ ન ખપે. કોઇ વસ્તુમાં ગોળ નાખીને તે વસ્તુ અગ્નિમાં બરોબર પકાવેલ હોય તો તે ખપે. જેમકે ગોળ નાખીને બનાવેલ શીરો કે લાપસી વગેરે તથા ખાંડ કે ખાંડવાળી વસ્તુ પણ ખપે. (૬) કડા (તળેલું) - તવી ઉપર અને ડાઇમાં એમ બે રીતે તળવામાં આવે છે. તવી ઉપર તેલકે ઘીના પોતાથી તળેલ દરેક વસ્તુ પાકી કડા વિગઈ છે. કડાઈમાં ઘણું તેલ કે ઘી નાખીને તળેલ પૂરીઓ વગેરેમાં પહેલા વણ ઘાણની (= પહેલા ત્રણ વખત તળેલી) પૂરીઓ વગેરે કાચી ડા વિગઈ છે. અને ત્યારબાદ પાકી કડા વિગઈ છે. વિશેષ:- તવીમાં સંપૂર્ણ સમાતા એક પુડલા વગેરેને તળી પછી એ જ ઘી-તેલમાં તળાયેલા બીજા પુડલા વગેરે પાકી કડા વિગઈ છે. (ઘી-તેલ નવું ઉમેર્યું હોય તો.) પહેલો પુડલો વગેરે કાચી ડા વિગઈ છે. આ પ્રમાણે વિગઈનું સ્વરૂપ જાણીને શ્રાવકે છ વિગઈમાંથી કોઇ એક બે વગેરે વિગઈનો ત્યાગ કરવો જોઈએ. અને એ માટે વિગઈનું પચ્ચખાણ લેવું જોઈએ. (૭) નીવિ- વિગઈઓ વગેરેથી રહિત આહાર એક વખતથી વધારે ન વાપરવો. (૮) આયંબિલ- બિસ્કુલ લુખો આહાર એક વખતથી વધારે ન વાપરવો. (૯) બિયાસણું- દિવસમાં બે વખતથી વધારે વખત આહાર ન વાપરવો. (૧૦) એકાસણું- દિવસમાં એક વખતથી વધારે વખત આહારનવાપરવો. (૧૧) એકલઠાણું–જે અંગોપાંગો ભોજન કરતાં શરૂઆતમાં જેવી રીતે (પલાંઠીવાળીને) રાખ્યાં હોય તેને ભોજનપૂર્ણ થતાં સુધી તેવી જ રીતે રાખીને એક વાર ભોજન કરવું તે એકલઠાણું. આમાં એક હાથ અને મુખ સિવાય કોઈ અંગ હલાવી શકાય નહીં. એકલઠાણું ચોવિહાર જ હોય. એકાસણું, નીવિ અને આયંબિલ એ ત્રણના તિવિહાર અને ચોવિહાર એમ બે ભેદ છે. જેમાં એક વખત આહાર વાપરીને ઊઠી ગયા પછી કે આહાર વાપરવા બેઠા પહેલાં પાણી વાપરી શકાય તે તિવિહાર. જેમાં એક વખત આહાર વાપરતી વખતે જ પાણી વાપરી શકાય તે ચોવિહાર એકાસણામાં લીલા શાકભાજી, ફળ, મેવો, વિગઈ વગેરે (અભક્ષ્ય સિવાયનું બધું જ વાપરી શકાય. નિવિ અને આયંબિલમાં લીલા શાકભાજી, ફળ, મેવો અને વિગઈન ખપે. નીવિ-આયંબિલમાં ભેદ – જેને વર્તમાનમાં લુખ્ખી નીવિ કહેવામાં આવે છે એવી નીલિમાં તલ, - સરસવ, કુસુંબી અને અળસીએ ચાર તેલથી અલ્પતેલથી વઘારેલા કઠોળનું શાક અને દાળ વગેરે સાધુને નીલિમાં ડા વિગઈને શાસ્ત્રમાં પક્વાન્ન વિગઈ કહેવામાં આવી છે. આમાં નવું તેલ કે ઘી ન ઉમેરવું જોઈએ. જો નવું તેલ કે ઘી ઉમેર્યું હોય તો નવેસરથી ગણતરી કરવી જોઈએ.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy