________________
51
)
શ્રાદ્ધદિનકૃત્ય
ચોથું યોગ દ્વાર અંદર રહેલાં પાણી કે એનું ધોવણ, મદિરા-આસવ વગેરે પાન આહાર છે.
વિશેષ - તિવિહારના પચ્ચખાણવાળાને ધોવણ વગેરેનાં પાણી કહ્યું નહીં. પૂર આદિથી અમિશ્રિત શુદ્ધજળ કલ્પ. પૂર આદિ સ્વાદિમ વસ્તુથી મિશ્ર થયેલ પાણી દુવિહારમાં કહ્યું.
(૩) ખાદિમ:-શેકેલાં ધાન્ય, શેકેલાં કઠોળ, પાકાં ફળો, મેવો વગેરે ખાદિમ આહાર છે.
(૪) સ્વાદિમ-સુંઠ, મરી, પીપર, જીરૂ, અજમો, અજમોદ, જાયફળ, જાવંત્રી, તજ, તમાલપત્ર, એલચી, લવીંગ, કેશર, નાગકેશર, કસેલો, કાથો, ખરસાર, જેઠીમધ, કુઠ, વાવડીંગ, બીડલવણ, સંચળ, પાનની જડ, પીપળીમૂળ, ચણકબાવ, કચરો, મોથ, કાંટાળીઓ, પૂર, હરડે, બહેડા, સોપારી, પુષ્કરમૂળ, જવાસો, બાવચી, તુળસી, હિંગાષ્ટક, બાવળ, ધાવડી, ખેર અને ખાંડજો એ ચાર વૃક્ષોની છાલ તથા પાંદડાં વગેરે સ્વાદિમ છે. ટૂંકમાં સુંઠ વગેરે સર્વ પ્રકારના મસાલા અને જેમાં ખાંડ વગેરે ગળપણ (મીઠાશ) ન નાખી હોય તેવી સઘળી દવાઓ સ્વાદિમ ગણાય. કડવી દવાઓ અણાહારી ગણાય.
વિશેષ નોંધઃ- સ્વાદિમ વસ્તુ તથા સ્વાદિમ વસ્તુવાળું પાણી દુવિહારમાં કહ્યું. વરિઆળી, સુવા અને કેરીની ગોટલી વગેરે ખાદિમ હોવાથી દુવિહારમાં વપરાતા નથી. જીરાનું પ્રવચન સારોદ્ધારમાં સ્વાદિમ કહ્યું છે, અને બૃહત્કલ્પની ટીકામાં તેને ખાદિમ કહ્યું છે. અજમો પણ ખાદિમ છે એમ કોઇ કહે છે.
શાસ્ત્રોમાં મધ, ગોળ, સાકર, ખાંડ વગેરેને સ્વાદિમ કહેલ હોવા છતાં દુવિહારમાં વપરાતા નથી. સૂત્રમાં દ્રાક્ષનું પાણી વગેરેને તથા છાશ વગેરેને પાણીમાં ગણાવ્યા છે તો પણ તેતૃમિજનક હોવાથી તિવિહારમાં વાપરવાની આચરણા નથી. સ્ત્રી કે બાળક વગેરેને ચુંબન કરવાથી તિવિહાર-ચોવિહારનો ભંગ થાય, પણ દુવિહારનો ભંગ ન થાય.
પચ્ચકખાણના પ્રકારો શ્રાવકે જેમ બને તેમ અધિક સમય પચ્ચખાણમાં રહેવું જોઇએ. એ પચ્ચખાણ શુદ્ધ બને એ માટે પચ્ચખાણના પ્રકારો સમજી લેવા જોઇએ. પચ્ચખ્ખાણના અનેક પ્રકારો છે. તે આ પ્રમાણે
૧. નવકારશી, ૨. પોરિસી, ૩. સાપોરિસી, ૪. પુરિમડું, ૫. અવઠ્ઠ, ૬. વિગઈ, ૭. નિવિ, ૮. આયંબિલ, ૯. બિયાસણું, ૧૦. એકાસણું, ૧૧. એકલઠાણું, ૧૨. પાણી, ૧૩. દેશાવગાશિક, ૧૪. અભિગ્રહ, ૧૫. ઉપવાસ વગેરે, ૧૬. દિવસચરિમ, ૧૭. પાણહાર.
(૧-૫) નવકારશીથી અવઢ સુધીના પચ્ચખ્ખાણનો અર્થ કહેવાઇ ગયો છે. તેમાં વિશેષ આ પ્રમાણે છે– નવકારશીનું પ્રત્યાખ્યાન ચોવિહાર જ હોય. પોરિસી વગેરે ચોવિહાર અને તિવિહાર બંને પ્રકારે હોય. જેમકે કોઇને નવકારશીના પચ્ચખાણ સમયે ફક્ત પાણી વાપરવું છે, દૂધ વગેરે આહાર પોરિસીના પચ્ચસ્માણ સમયે વાપરવો છે, તો તે નવકારશી ચોવિહાર અને પોરિસી તિવિહાર એમ પચ્ચખાણ લઇ શકે છે. આનો અર્થ એ થયો કેનવકારશી સુધી ચારે આહારનો ત્યાગ. આથી નવકારશી સુધી પાણી પણ ન વાપરી શકાય. પોરિસી સુધી પાણી સિવાય ત્રણ આહારનો ત્યાગ. એટલે નવકારશી પછી પાણી વાપરી શકાય, પણ પોરિસી સુધી બાકીનો કોઇપણ પ્રકારનો આહાર ન વાપરી શકાય. એ જ રીતે પોરિસી ચોવિહાર અને સાપોરિસી તિવિહાર લઇ શકાય.
કોઈને એકાસણાનું પચ્ચશ્માણ છે. હવે સપોરિસીના સમયે વાપરવા બેસવાનું છે. પણ પોરિસીના સમયે પાણી વાપરવું છે, આથી તે પોરિસી ચોવિહાર અને સાપોરિસી તિવિહાર એકાસણાનું પચ્ચખાણ લઈ