________________
ચોથું યોગ દ્વારા
50 )
શ્રાદ્ધદિનકૃત્ય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયના ચાર ભાગ કરવા. તેમાં એક ભાગનો એક પ્રહર થાય. જેમકે, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય બાર કલાક થાય તો ત્રણ કલાકનો એક પ્રહર થાય.
આ પ્રમાણે આ પચ્ચખાણોમાં કાળની મર્યાદા હોવાથી આ પચ્ચખાણો કાળપચ્ચખાણો છે. આ પચ્ચખ્ખાણો સૂર્યોદય પહેલાં લેવાથી શુદ્ધ થાય છે. કારણ કે આ પચ્ચખાણોમાં ઉગ્ગએ સૂરે એવો પાઠ હોવાથી આ પચ્ચખાણો સૂર્યોદયથી શરૂ થાય છે. માટે આ પાંચ પચ્ચશ્માણમાંથી જે પચ્ચશ્માણ કરવું હોય તે પચ્ચશ્માણ સૂર્યોદય પહેલાં જ કરી લેવું જોઈએ, અગર ધારી લેવું જોઈએ.
હવે જો નવકારશી કરવી કે પોરિસી કરવી ઇત્યાદિ નિશ્ચિત ન હોય તો સૂર્યોદય પહેલાં નવકારશી લઈને પછી તેમાં વધારો કરી શકાય. તે આ પ્રમાણે – નવકારશીનું પચ્ચખાણ આવે એ પહેલાં જ કે પછી પણ પોરિસીનું કે સામ્પોરિસી વગેરેનું પચ્ચખ્ખાણ લઇ શકાય. હવે જો સૂર્યોદય પહેલાં પોરિસીનું પચ્ચખાણ લીધું હોય અને પછી ભાવના વધતાં સાપોરિસીનું કે પુરિમનું પચ્ચખ્ખાણ કરવું હોય તો પોરિસીનું પચ્ચખાણ આવે એ પહેલાં જ કરી લેવું જોઈએ.
જો સૂર્યોદય પહેલાં નવકારશીનું પણ પ્રત્યાખ્યાન ન હોય તો નવકારશી આદિ ત્રણ કાળપચ્ચાણો શુદ્ધ થતાં નથી. તથા પુરિમડુ અને અવરૃએ બે પચ્ચખાણો સૂર્યોદય બાદ પણ ધારી-કરી શકાય છે. નવકારશી આદિ ત્રણમાં અને પુરિમડુ આદિ બેમાં આ ભેદ બતાવવા માટે જ પ્રથમના ત્રણના પચ્ચખાણના પાઠમાં પણ સૂર અને પછીના બે પચ્ચખાણના પાઠમાંફૂ ા એમ પાઠ ભેદ છે. (શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલામહેસાણા તરફથી પ્રકાશિત – ભાષ્યત્રય) બાકીનાં એકાસણું વગેરે પચ્ચખાણો સૂર્યોદય પછી પણ લઈ શકાય.
ચાર પ્રકારનો આહાર પચ્ચખાણમાં આહારનો ત્યાગ કરવામાં આવતો હોવાથી પચ્ચખાણનો આહાર સાથે સંબંધ છે. આથી પચ્ચખાણને બરોબર સમજવા માટે આહારને સમજવાની જરૂર છે. આહારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકાર છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે
(૧) અશન - ઘઉં વગેરે ધાન્ય, મગ વગેરે કઠોળ, દૂધ વગેરે વિગઈ, શાક-ભાજી, કાચાં ફળો વગેરે અશન આહાર છે.
(૨) પાનઃ- વાવ, તળાવ વગેરેનું પાણી, કાંજી (છાસની આશ), ઘઉં વગેરેનું ધોવણ, ચીભડા આદિની શ્રાદ્ધવિધિ ગ્રંથ જુઓ.
પચ્ચખાણ ભાષ્યની ચોથી ગાથામાં ચાર ઉચ્ચાર સ્થાનો જણાવ્યાં છે. તેમાં નવકારશી અને પોરિસી–સાપોરિસીનો પચ્ચખાણ પાઠ૩ સૂર એમ સરખો જ હોવા છતાં ઉચ્ચાર સ્થાન ભિન્ન જણાવ્યાં છે. અહીં એવી સંભાવના કરી શકાય કે ભિન્ન ઉચ્ચારસ્થાન બતાવીને એ કહેવા માગે છે કે સૂર્યોદય પહેલાં નવકારશીનું પચ્ચખાણ ધાર્યું–કર્યું હોય તો નવકારશીનું પચ્ચખાણ પૂર્ણ થયા પછી પણ પોરિસી આદિનું પચ્ચખાણ કરી શકાય. પણ જો સૂર્યોદય પહેલાં પોરિસીનું પચ્ચખાણ ધાર્યું-ક્યું હોય તો પોરિસીનું પચ્ચખાણ પૂર્ણ થયા પહેલાં જ સાફપોરિસી આદિનું પચ્ચખાણ કરી શકાય, પૂર્ણ થયા પછી નહીં.
તથા આવા બે ભેદ (નવકારશીનું પચ્ચખ્ખાણ સૂર્યોદય પહેલાં લીધું હોય તો નવકારશીનું પચ્ચખાણ પૂર્ણ થયા પછી પણ આગળનું પચ્ચશ્માણ કરી શકાય, અને સૂર્યોદય પહેલાં પોરિસીનું પચ્ચખાણ કર્યું હોય તો પોરિસીનું પચ્ચખાણ પૂર્ણ થયા પહેલાં જ આગળનું પચ્ચખાણ કરી શકાય એવા બે ભેદ) પાડવાનું કારણ પણ સહિષ્ણુ અને અસહિષ્ણુ એવા બે પ્રકારના જીવોને આશ્રયીને હોય એમ સંભવે છે. અસહિષ્ણુ જીવ પહેલાં નવકારશી ધારી-કરીને પછી આગળ વધવું હોય તો વધે. સહિષ્ણુ જીવ પહેલાં પોરિસી ધારી-કરીને આગળ વધવું હોય તો બતાવેલી મર્યાદા પ્રમાણે આગળ વધે.
ટીપ્પણીમાં લખેલું આ લખાણ કોઇ ગ્રંથમાં વાંચવામાં આવ્યું નથી. “આવી સંભાવના હોઇ શકે છે.” એમ સંભાવનાની અપેક્ષાએ લખ્યું છે.