SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય. 49) ચોથે યોગ દ્વાર ૩૪ ભક્તનો ત્યાગ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૩૨ ભક્તનો ત્યાગ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. ૩૦ ભક્તનો ત્યાગ કરીશ? શક્તિ નથી, પરિણામ નથી. આ પ્રમાણે બે બે ઓછા કરતાં કરતાં ૧૦ ભક્ત સુધી વિચારવું. પછી ક્રમશ: અઠ્ઠમ, છઠ્ઠ, ઉપવાસ, આયંબિલ, નીવિ, એકાસણું, બિયાસણું, અવ, પુરિમડુ, સાપોરિસી, પોરિસી અને નવકારશી સુધી વિચારવું. તેમાં જે દિવસે જે તપ કરવો હોય ત્યાં શક્તિ છે અને પરિણામ છે એમ કહીને અટકી જવું. પછી કાઉસ્સગ્ગ પારવો. જે તપ પૂર્વેર્યો હોય ત્યારથી શક્તિ છે પરિણામ નથી એમ બોલવું. દા.ત. ૧૬ ઉપવાસ કર્યા હોય તો ૩૪ ભક્તથી દરેકઠેકાણે શક્તિ છે, પરિણામ નથી એમ બોલવું. (૨૧) पच्चक्खाणं तु जंतंमि, दिणंमि गिव्हियव्वयं । चिंतेऊणं सुसहो उ, कुणइ अन्नं तओ इमं ॥२२॥ શ્રાવક આઠમવગેરે દિવસે ઉપવાસ વગેરે જેપચ્ચશ્માણલેવું હોય તે ચિંતવીને તે પ્રમાણે જ પચ્ચશ્માણ કરે. આવશ્યક પછી આ (હવે કહેવાશે તે) કરે. વિવેચન અહીં “ચિંતવીને તે પ્રમાણે જ પચ્ચખાણ કરે” એવા વિધાનથી સમજી શકાય છે કે જે પચ્ચખાણ ધાર્યું હોય તે પચ્ચશ્માણ સકલતીર્થ સૂત્ર બોલ્યા પછી જાતે લેવું જોઇએ. જો કયું પચ્ચશ્માણ કરવું એનો નિર્ણય મોડેથી કરવાનો હોય તો પણ ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચશ્માણ તો તે વખતે કરી લેવું જોઇએ. કેવલ ધારવાથી વિધિની ખામી ગણાય. જેને પચ્ચખ્ખાણ સૂત્ર ન આવડતું હોય તેવા ધારે એ અપવાદ રૂપ ગણાય. શ્રાવકોએ ચૈત્યવંદન વગેરેનાં સૂત્રોની જેમ પચ્ચખાણનાં સૂત્રો પણ કંઠસ્થ કરવા જોઇએ. પ્રત્યાખ્યાનનું સ્વરૂપ શ્રાવકે મુખ્યતયા દરરોજ એકાસણાનો તપ કરવો જોઇએ. જેનાથી એકાસણું વગેરે તપન થઇ શકે તેણે ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચખાણ તો અવશ્ય કરવું જોઇએ. પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પ્રતિક્રમણમાં જ પ્રત્યાખ્યાન થઇ જાય છે. પ્રતિક્રમણ નહિ કરનારા શ્રાવકોએ તે દિવસે નવકારશીક પોરિસી વગેરે જે પચ્ચખાણ કરવું હોય તે પચ્ચખાણ સૂર્યોદય પહેલાં જ કરી લેવું જોઇએ. અગર તો ધારી લેવું જોઈએ. નવકારશી, પોરિસી, સાપોરિસી, પુરિમડુ અને અવડુ આ પાંચ પચ્ચખાણ કાળપચ્ચખાણ છે. કારણકે તે પચ્ચખાણમાં કાળની મર્યાદા છે. તે આ પ્રમાણે સૂર્યોદયથી બે ઘડી (૪૮ મિનિટ) ગયા બાદ નવકારશીનું પચ્ચશ્માણ પૂર્ણ થાય. સૂર્યોદયથી એક પ્રહર ગયા બાદ પોરિસીનું પચ્ચખાણ પૂર્ણ થાય. સૂર્યોદયથી દોઢ પ્રહર ગયા બાદ સપોરિસીનું પચ્ચખાણ પૂર્ણ થાય. સૂર્યોદયથી બે પ્રહર ગયા બાદ પુરિમડુનું પચ્ચખાણ પૂર્ણ થાય. સૂર્યોદયથી ત્રણ પ્રહર ગયા બાદ અવઠ્ઠનું પચ્ચખ્ખાણ પૂર્ણ થાય.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy