SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્યા (47 ) ત્રીજું વ્રત દ્વાર (૩) વ્રત દ્વારા इक्कं च दो तिन्नि व पंच सत्त, अणुव्वयाइं नियमे वयाई । एक्किक्कभेएण दुहा तिहेणं, पक्खं च मासं अह जावजीवं ॥२०॥ दारं ३॥ વ્રતો’ એ ત્રીજા દ્વારના ઘણા ભાંગાઓનો સંભવ બતાવતા ગ્રંથકાર કહે છે – શ્રાવકનાં બાર વ્રતોમાં પ્રારંભના પાંચ વ્રતો અણુવ્રતો છે, અને પછીનાં સાત વ્રતો નિયમ વ્રતો છે. શૂલપ્રાણાતિપાત વગેરે બાર વ્રતોના બાર એક એક સંયોગોમાંથી કોઇ એક વ્રત, અથવા સ્થૂલ પ્રાણાતિપાત + સ્કૂલમૃષાવાદ વગેરે બે બે પદ સ્વરૂપ છાસઠ દ્ધિક સંયોગોમાંથી કોઇ બે વ્રત, અથવા શૂલપ્રાણાતિપાત + સ્થૂલ મૃષાવાદ + સ્કૂલઅદત્તાદાન વગેરે ત્રણ ત્રણ પદ સ્વરૂપ બસોને વીસ ત્રિક સંયોગોમાંથી કોઇ ત્રણ વ્રત હોય. ગાથામાં આવેલા વા શબ્દથી ચતુષ્કસંયોગ વગેરેનું ગ્રહણ કરવું. અહીં ગાથાના ઉત્તરાર્ધમાં ભાંગાઓની સૂચના કરવા માટે કહે છે- એક એક ભેજવાળા છઠ્ઠા ભાંગાથી વ્રત હોય, તથા દ્વિવિધ–વિવિધથી એ પ્રથમ ભાંગાથી વ્રત હોય. અહીં પ્રથમ અને અંતિમ ભાંગાનું ગ્રહણ કરવાથી છ એ ભાંગા જાણવા. તે છ ભાંગા પાંચ અણુવ્રતોને આશ્રયીને સંક્ષેપથી બતાવાય છે. (૧) સ્થૂલપ્રાણાતિપાત ન કરે અને નકરાવે મન-વચન-કાયાથી. આ પ્રમાણે પહેલો ભાગો છે. (૨) નકરે અને નકરાવે મન-વચનથી, મન-કાયાથી કેવચન-કાયાથી. સામાન્યથીબેયોગોને સ્વીકારીને આ પ્રમાણે બીજો ભાગો છે. એ પ્રમાણે બધે જાણવું. (૩) નકરે અને નકરાવે કેવલ મનથી, કેવલ વચનથી કે કેવળ કાયાથી. એ પ્રમાણે ત્રીજો ભાગ છે. (૪) ન કરે અથવા ન કરાવે મન-વચન-કાયાથી. આ પ્રમાણે ચોથો ભાગો છે. (૫) ન કરે અથવા ન કરાવે મન-વચનથી, મન-કાયાથી, કે વચન-કાયાથી. આ પ્રમાણે પાંચમો ભાંગો (૬) નકરે અથવા ન કરાવે કેવળ મનથી, કેવળ વચનથી કે કેવળ કાયાથી. એક એક સંયોગ અને ક્રિકસંયોગ વગેરે સંયોગોથી શ્રાવકનાં બારવ્રતોના કુલ ભાંગા ૧૩ અબજ ૮૪ કોડ ૧૨ લાખ ૮૭ હજારને ૨૦૦ થાય. (જિજ્ઞાસુએ ધર્મસંગ્રહગુજરાતી ભાષાંતરમાંથી આ ભાંગા જાણી લેવા.) હવે કાલપ્રમાણ માટે કહે છે- આ વ્રતો મેં પખવાડિયા સુધી, માસ સુધી કે જીવનપર્યત લીધા છે એ પ્રમાણે શ્રાવક યાદ કરે. (અહીં બાર વ્રતોનાં નામ આ પ્રમાણે છે – સ્કૂલપ્રાણાતિપાત વિરમણ, સ્થૂલ મૃષાવાદ વિરમણ, સ્કૂલ અદત્તાદાન વિરમણ, સ્થૂલમૈથુન વિરમણ, સ્થૂલ પરિગ્રહ વિરમણ, દિશાપરિમાણ, ભોગોપભોગપરિમાણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, દેશાવનાશિકપૌષધ, અતિથિ સંવિભાગ. આમાં પ્રથમનાં પાંચ અણુવ્રત છે. પછીના ત્રણ ગુણવ્રત છે. છેલ્લા ચાર શિક્ષાવ્રત છે.) (૨૦)
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy