________________
બીજું સ્મરણ દ્વાર
(46)
શ્રાદ્ધદિનકૃત્ય પૂર્વે વેપારીઓમાં સાખની ખુમારી રહેતી હતી. આથી તે પોતાની સાખ જાય, સાખને કલંક લાગે તેવું કરતા નહિ. ગમે તેવો ભોગ આપીને અને તક્લીફો સહન કરીને પણ સાખજવા દેતા નહતા. આથી જ એક કવિએ કહ્યું છે કે
લાખ ગુમાવીને સાખ રાખવી, સાખે મળશે લાખT લાખ રાખીને સાખ ગુમાવે, સાખ ગયે સબ ખાખ |
જેમ સજ્જન વેપારીને સાખની ખુમારી હોય, એથી સાખ જાય તેવું પાપન કરે, તેમ સાચા જૈનને જૈનત્વની ખુમારી હોય. તેથી તે જૈનત્વને કલંક લાગે તેવું પાપન કરે.
હું જૈન છું વગેરે ખુમારીથી બીજો લાભ એ થાય કે ધનહાનિ આદિના પ્રસંગમાં દીનતાન આવે. ધનહાનિ થાય ત્યારે મને ઘણું નુકશાન થયું છે, મેં ઘણું ગુમાવ્યું છે ઇત્યાદિ વિચારથી દીનતા આવે છે, શોક ઘેરી લે છે. પણ જેનામાં જૈનત્વની ખુમારી છે એને એમ થાય કે મેં જેટલું ગુમાવ્યું છે, તેનાથી અધિક મારી પાસે છે. મારી પાસે જિનધર્મ છે. મારા મસ્તકે વીતરાગદેવ છે. આથી શહેનશાહને પણ જે મળે તે મને મળ્યું છે. જેને સુદેવ-સુગુરુસુધર્મ મળવા બદલ ખુમારી હોય તે ગમે તેવી આપત્તિમાં પણ આનંદમાં રહી શકે. આ વાત શાંતિનાથ ભગવાનના સ્તવનમાં કહી છે.
મારે તો તું સમરથ સાહિબ તો કિમ ઓછું માનું ચિંતામણિ જેણે ગાઠે બાંધ્યું તેને કામ કિશ્યાનું? (અહીં ૧૯ મી ગાથા પૂર્ણ થઈ.) (૧૯)
આઠ પ્રાતિહાર્યો અરિહંતોને આઠ પ્રાતિહાર્યો હોય છે. બોડીગાર્ડની જેમ સદા સાથે રહે તે પ્રાતિહાર્ય. આઠ પ્રાતિહાર્યો આ પ્રમાણે છે – (૧) અશોકવૃક્ષ - સમવસરણના મધ્યભાગમાં અરિહંતની કાયાથી બારગણું ઊંચું અને ચોતરફ એક યોજન
વિસ્તારવાળું અશોકવૃક્ષ હોય છે. એનો રંગ લાલ હોય છે. (૨) પુષ્પવૃષ્ટિ- દેવો સમવસરણમાં ડીટાં નીચે રહે તે રીતે પુષ્પોની એક યોજન સુધી વૃષ્ટિ કરે છે. ઘૂંટણ
જેટલી ઊંચાઈ થાય તેટલાં પુષ્પો વર્ષાવે છે. (૩) દિવ્ય ધ્વનિ – ભગવાન માલકોશ રાગમાં દેશના આપે છે. ભગવાનના ધ્વનિને દેવો વીણા વગેરે વાજિંત્રોમાં
પૂરે છે, અથવણા વગેરેને માલકોશ રાગમાં વગાડે છે. આથી ભગવાનનો ધ્વનિ દિવ્ય છે.
તે ધ્વનિ યોજન સુધી પહોંચે છે. (૪) ચામર – પ્રભુ આગળ ચામર વીંઝાતા રહે છે. (૫) સિંહાસન - આકાશ જેવા સ્વચ્છ સ્ફટિક રત્નના બનેલા સિંહાસન ઉપર બેસીને પ્રભુ દેશના આપે છે. (૬) ભામંડલ – પ્રભુજીના મસ્તકના પાછળના ભાગમાં સૂર્યથી પણ અધિક તેજસ્વી ભામંડલ ( તેજનો પંજ)
હોય છે. (૭) કુંદુભિ – આકાશમાંદુંદુભિવાગે છે. દુભિના અવાજથી ભગવાનના આગમની ખબર પડતાં ચારેબાજુના
પ્રદેશોમાં રહેલા લોકો દર્શન-વંદન-ધર્મોપદેશ શ્રવણ માટે દોડી આવે છે. (૮) છત્ર - પ્રભુના મસ્તકે નાનું, મોટું, એનાથી મોટું એ ક્રમે ત્રણ છવો રહેલાં હોય છે.