SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 39 ) શ્રાદ્ધદિનકૃત્ય પહેલું નમસ્કાર દ્વાર નમસ્કારમંત્રનું અનંતર ફળ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ છે અને પરંપર ફળ સર્વ પાપોનો નાશ છે. અનંતર ફળ વિનાં પરંપર ફળ ન મળે. સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થાય, વૃદ્ધિ થાય અને વધતાં વધતાં જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે સર્વ પાપોનો નાશ થાય. ભગવાનની આજ્ઞાને માન્યા વિના સમ્યગ્દર્શન ન આવે. જિનપૂજા વગેરે બધું છોડીને કેવળ નવકાર જ ગણવા એવી ભગવાનની આજ્ઞા નથી, કિંતુ પોતાની કક્ષા પ્રમાણે જિનપૂજાદિ ધર્મ કરવાપૂર્વક નવકાર ગણવાની આજ્ઞા છે. નમસ્કાર સર્વ પુણ્યનો નાશક છે એમ કેમ ન કહ્યું? પ્રશ્નઃ- દુ:ખથી સુખ વધારે ખરાબ છે. કારણકે દુ:ખમાં ધર્મની ભાવના સુલભ છે, પણ સુખમાં ધર્મની ભાવના દુર્લભ છે. સુખ ધર્મભૂલાવે છે અને પાપ કરાવે છે. આથી શાસ્ત્રમાં સાધકને સુખથી ડરવાનું કહ્યું છે, પણ દુઃખથી ડરવાનું કહ્યું નથી, બલ્ક દુ:ખને તો ચાહીને વેઠવાનું કહ્યું છે. અનુકૂળતાને છોડવાનું અને પ્રતિકૂળતાને વેઠવાનું કહ્યું છે. અનુકૂળ વિષયો આદિ મળવાથી તેમાં ફસાયેલો આત્મા આત્મકલ્યાણનું લક્ષ ભૂલી જાય એ સંભવિત છે. સુખ અને અનુકૂળતા પુણ્યથી મળે છે. આથી પુણ્ય મિત્રના લેબાશમાં શત્રુ છે. તો પછી અહીં નમસ્કારને સર્વ પાપોનો નાશ કરનારો કહ્યો, તેમ સર્વપુણ્યનો નાશ કરનારો કેમ ન કહ્યો? અર્થાત્ આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપનો અને સર્વ પુણ્યનો નાશ કરનાર છે એમ કેમ ન કહ્યું? ઉત્તર:- ૧. પુણ્યકર્મશત્રુ હોવા છતાં મોક્ષની સાધનામાં સહાયક પણ છે. જે આત્માઓ અસાવધ હોય તેમના માટે પુણ્યકર્મ શત્રુરૂપ છે, પણ જે આત્માઓ સાવધ છે તેમના માટે પુણ્યકર્મ મિત્રરૂપ છે. કેમકે તેમને પુણ્યકર્મ મોક્ષસાધનામાં સહાયક બને છે. મોક્ષની સાધના કરવા માટે ત્રણપણું, પચેંદ્રિયપણું, મનુષ્યભવ વગેરેની પ્રાપ્તિ થવી જોઇએ. એ બધા ભાવો પુણ્યથી જ મળે. આ ભાવો જેટલા ઓછા મળે તેટલી મોક્ષસાધના ઓછી થાય. ક્ષત્રિયમાં હજારો સામે લડી શકે તેટલી તાકાત હોય, શત્રુને જીતવાની ઇચ્છા હોય, પણ તેની પાસે તલવાર આદિ શસ્ત્ર ન હોય તો એ શું કરે? સમ્યગ્દષ્ટિ દેવોને મોક્ષ મેળવવાની પ્રબળ ઇચ્છા હોય છે. મોક્ષને મેળવવાની ઇચ્છા એટલે પાપરૂપ શત્રુનો નાશ કરવાની ઇચ્છા. સમ્યગ્દષ્ટિ દેવોને પાપનો નાશ કરવાની ઇચ્છા હોવા છતાં મનુષ્યભવ આદિ સામગ્રી ન હોવાથી બિચારા લાચાર બની જાય છે. પુષ્ય બે પ્રકારનું છે. એક એવું પુણ્ય છે કે જે ભોગસુખો અને ભોગસુખનાં સાધનો આપે છે. બીજું પુણ્ય એવું છે કે જે ધર્મ કરવાની સામગ્રી આપે છે. શાસ્ત્રમાં ભોગસુખો આપનાર પુણ્યને શત્રુ કહ્યો છે. ધર્મની સામગ્રી આપનાર પુણ્યને શત્રુ કહ્યો નથી. શાસ્ત્રમાં મજુરોનો સંસારો “અનુકૂળતા એ સંસાર છે એમ જે કહ્યું છે તે સુખની ઈચ્છાથી ભોગવાતી અનુકૂળતાની અપેક્ષાએ કહ્યું છે. મોક્ષની સાધના માટે લેવી પડતી અનુકૂળતાની અપેક્ષાએ નથી કહ્યું. સહન કરવાની તાકાત ન હોય એથી મોક્ષસાધના માટે અનુકૂળતા લે તો એ અનુકૂળતા પણ મોક્ષની સાધનામાં સહાયક બને છે. ' ૨. બીજી વાત. સર્વ પાપોનો નાશ થાય એટલે સર્વ પુણ્યનો નાશ થયા વિના ન રહે. પુણ્ય પેટમાં ગયેલા રેચક દિવેલ જેવું છે. પેટમાં ગયેલું દિવેલ પેટમાં રહેલ કચરાને કાઢીને પોતે પણ નીકળી જાય છે. તેમ પુણ્યકર્મ પાપકર્મને કાઢીને પોતે પણ નીકળી જાય છે. આનાથી એ પણ સિદ્ધ થાય છે કે પહેલાં સર્વ પાપોનો નાશ થાય છે, પછી સર્વ પુણ્યનો નાશ થાય છે. ૩. આથી શાસ્ત્રમાં ધર્મ પાપકર્મના નાશ માટે કરવાનો કહ્યો છે, પુણ્યકર્મના નાશ માટે નહિ. તસ્સ
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy