SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય (27) પહેલું નમસ્કાર દ્વાર રાજસિહ-રત્નાવતી આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મણિમંદિર નામનું નગર છે, કે જ્યાંનો લોક દાન આપવામાં વ્યસની છે, અકાર્યકરવામાંડરપોક છે, ગુણ ગ્રહણ કરવામાં અસંતોષી છે, પારકું ધન હરણ કરવામાં પાંગળો છે, પરસ્ત્રીદર્શનમાં આંધળો છે અને પારકા દોષો કહેવામાં મૂગો છે. ત્યાં રાજમૃગાંક નામનો રાજા છે. તેને અતિશય સૌંદર્યવાળી વિજયા નામની રાણી છે. તેણીની કુક્ષિમાં જ્યારે ભીલનો જીવ અવતાર પામ્યો-જન્મ પામ્યો, ત્યારે તેના પિતાએ તેનો જન્મોત્સવ કર્યો અને રાજસિંહ એવું તેનું નામ પાડ્યું. ઘણી જ સહેલાઇથી બુદ્ધિશાળી એવા તેણે ગુરુની પાસેથી બહોતેર કળાઓ ગ્રહણ કરી. અતિસાર મંત્રીનો સુમતિ નામનો ગતિમાન પુત્ર તેનો મિત્ર થયો. અત્યંત રૂપસંપન્ન અને લાવણ્યથી ભરપૂર એવો કુમાર કિમે કરીને યૌવનવયને પામ્યો. માર્ગમાં ચાલતા કુમારનાં રૂપથી ખેંચાઇને યુવાન સ્ત્રીઓ ધારી ધારીને તેને જોવા લાગી, પરંતુ સદાચારી કુમાર લેશમાત્ર પણ તે સ્ત્રીઓ ઉપર મન રાખતો નથી. એક વખત કુમાર પોતાના મિત્રની સાથે બહાર ગયો અને ઘોડાઓને ખેલાવીને વૃક્ષ નીચે વિશ્રાન્તિ લેવા બેઠો. ત્યાં આવેલા કોઇ વટેમાર્ગુને જોઇને કુમાર પૂછે છે કે- હે ભાઇ ! તું ક્યાંથી આવે છે? ક્યાં જવું છે? અને કોઇ સ્થળે તેં કાંઇ અદ્ભુત બીના જોઇ છે ખરી?' | મુસાફરકુમારને નમસ્કાર કરી, પાસે બેસીને કહે છે કે- હકુમાર! સાંભળો! પદ્મપુર નામના નગરથી હું આવું છું અને પુંડરીકગણધરના નિર્વાણથી પવિત્ર થયેલું તથા જ્યાં અનેક જિનેરોએ સ્પર્શના કરેલી છે, જ્યાં અસંખ્ય મહર્ષિઓ સિદ્ધિ પામ્યા છે તથા જે સર્વ તીર્થોમાં આદિતીર્થ છે, તે શ્રી શત્રુંજય નામના તીર્થને નમસ્કાર કરવાને હું જાઉં છું. જે કાંઇ આશ્ચર્યકારી બીના મેં જોઇ છે, તે આ પ્રમાણે છે. તે સાંભળો!' આ પવપુરનગરમાં પવ નામનો પ્રતાપશાળી રાજા છે. હંસી નામની તેની રાણી છે. તેણીને સ્ત્રીઓને વિષે રત્ન જેવી રત્નવતી નામની પુત્રી છે. બુદ્ધિબળથી તે કન્યા સઘળીએ કળાઓ સુખપૂર્વક ભણી ગઇ અને કેમે કરી યૌવનવયને પામી. વિવાહને લાયક હોવાથી રાણીએ તેણીને રાજા પાસે મોકલી. રાજકન્યા પણ પિતાનાં ચરણોને નમસ્કાર કરીને પાસે બેઠી. અતિશય રૂપસંપન્ન એવી તેણીને જોઇને રાજા મંત્રીને કહે છે કે- “આ કન્યાના રૂપને યોગ્ય એવો કોઇ વર હશે કે નહીં એની મને શંકા પડે છે. મંત્રી કહે છે કે- “એના પુણ્યથી યોગ્ય વર પણ હોવો જોઇએ અને એનું પુણ્ય જ તેની યોજના કરી આપશે. એટલામાં કોઇ એકનટ આવી રાજાની સમક્ષ સંગીત કરવા લાગ્યો. ભીલના વેષમાં નૃત્ય કરતા એવા નટને જોઇને રાજપુત્રી ક્ષણવારમાં મૂચ્છ પામી. જ્યારે પિતાએ તેણીને સ્વસ્થ કરી, ત્યારે તે કન્યા કહે છે કે- ‘આજે મને જાતિસ્મરણશાન થયું છે. પૂર્વેહભીલડી હતી અને પ્રાણથી પણ પ્રિય એવો ભીલ મારો પતિ હતો. અત્યારે પણ જો એ જ પતિ મળે, તો હું પરણું; સિવાય મારે અન્યને પરણવું નથી.’ આ વાત સાંભળતાં કુમાર રાજસિંહ કંઇક મૂચ્છ પામ્યો, જાતિસ્મરણ પામ્યો અને શીતળ વાયુથી સ્વસ્થ થયો. તેને પૂર્વજન્મની પોતાની સ્ત્રી પ્રત્યે પરમ પ્રીતિ થઇ અને મુસાફરને તે પૂછે છે કે- ‘પછી શું થયું?' મુસાફર કહે છે કે પોતાની પુત્રીની પ્રતિજ્ઞા સાંભળીને પદ્મરાજા ચિંતામાં પડી ગયો કે- “આ કન્યાનો પૂર્વજન્મનો પતિ શી રીતે જાણવો?' આવૃત્તાંત સાંભળીને અનેક રાજપુત્રો દૂર દૂરથી આવીને કહી ગયાકે- “અમે પૂર્વે ભીલ હતા. પરંતુ રાજપુત્રી પૂછે છે કે- જો તમે પૂર્વજન્મમાં ભીલ હતા, તો એવું કહ્યું પુણ્ય કર્યું, કે જેથી અંહિયાં આટલી સમૃદ્ધિ પામ્યા?’ આ પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકવાથી રાજપુત્રીને ખાત્રી થઇ કે- “આ બધા
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy