SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું નમસ્કાર દ્વાર 26) શ્રાદ્ધદિનકૃત્ય તે સૂત્ર આ છે- નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવક્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો | મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ ll આ પાઠ પ્રસિદ્ધ છે, અને સર્વ સંમત છે. (૧૭) इहलोगंमि तिदंडी, सादिव्वं माउलिंगवणमेव । परलोए चंडपिंगल हुंडियजक्खो य दिटुंता ॥१८॥ નવકારને ગણવાથી આ લોકમાં અને પરલોકમાં થતાફળને બતાવવા માટે કહે છે આ લોકમાં ( આ જ જન્મમાં) મળતાફળની અપેક્ષાએ શ્રાવકપુત્ર શિવકુમાર, શ્રાવક પુત્રી શ્રીમતી અને જિનદાસ શ્રાવક આ ત્રણ દષ્ટાંતો છે. પરલોકમાં મળતાફળની અપેક્ષાએ ચંડ પિંગલ અને હુંડિક યક્ષ એ બેદષ્ટાંતો આ ગાળામાં જણાવેલા સર્વ દષ્ટાંતોનો ભાવાર્થ ભીલ-ભીલડીની કથાથી જાણવો. નમસ્કારના પ્રભાવ ઉપર કથાઓ ભીલ-ભીલડી પુષ્કરાઈ દ્વીપના ભરતક્ષેત્રમાં સિદ્ધાવટ નામનું સમૃદ્ધ ગામ છે. કષાયના તાપથી તપેલા લોકોને શાન્ત કરતા એવા સુવ્રત નામના આચાર્ય એક વખત ત્યાં પધાર્યા. તે વખતે વરસાદ શરૂ થઇ ગયો, પૃથ્વી પાણીથી ભરાઇ ગઇ. ભૂમિને અંકુરાવાળી તથા ત્રસજીવોથી વ્યાસ થયેલી જોઇને આચાર્યે આ પ્રમાણે સાધુઓને કહ્યું કે- “મુનિવરોને માટે વિહાર કરવો હવે ઉચિત નથી.' આમ કહીને તેઓએ પોતાના પરિવાર સાથે ગામમાં પ્રવેશ કર્યો. ગામના મુખીને વસતિદાનનું ફળ સમજાવી, વસતિની યાચના કરીને ત્યાં રહ્યા. તેમાં કેટલાક મહર્ષિઓ મહિનાના ઉપવાસ કરીને રહ્યા, કેટલાક બે મહિનાના, કેટલાક ત્રણ મહિનાના તથા કેટલાક ચાર મહિનાના ઉપવાસ કરીને રહ્યા. તેમાંથી દુર્જય એવા કામનું પણ દમન કરનારા દસાર નામના મહામુનિ ગુરુની અનુજ્ઞા મેળવી સમીપની ગુફામાં પધાર્યા. સ્થિર મનવાળા તેઓએ આહાર વિના સ્વાધ્યાય-ધ્યાનમાં તત્પર થઇને સમગ્ર ચાતુર્માસી તે ગુફામાં પૂરી કરી. ત્યાં આગળ આમ-તેમ ભમતા એક ભીલ-ભીલડીનું યુગલ આવી પહોંચ્યું અને ઋષિના દર્શનથી તેઓનું પાપ ક્ષણવારમાં નાશ પામ્યું. ઉચિત ઉપદેશને આપનારા મુનિએ યુગલને યોગ્ય જાણી, તેમને પરમેષ્ઠિનમસ્કારનો પાઠ બતાવ્યો. ભીલ-ભીલડી સરળભાવે નમસ્કારનું પઠન કરે છે. પરોપકારપરાયણ સાધુ ફરીથી તેઓને કહે છે કે- “આ પંચનમસ્કારમંત્ર, એ પરમ મંગળ છે અને સર્વ પાપને હરનાર એવા આમંત્રનું તમારે હંમેશાં ત્રિકાળ ધ્યાન ધરવું.” તેઓએ તે પ્રમાણે કર્યું અને વર્ષાકાળ પૂરો થયા બાદ મુનિ અન્યત્ર વિહાર કરી ગયા. હવે આ યુગલ હંમેશાં નમસ્કારનો પાઠ કરે છે અને મુનિના ઉપકારને યાદ કરતા ક્રમે કરીને મૃત્યુ પામ્યા.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy