SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય 25) પહેલું નમસ્કાર દ્વાર मुत्तुंपि बारसंगं, स एव मरणंमि कीरए जम्हा । अरिहंतनमुक्कारो, तम्हा सो बारसंगत्थो ॥१४॥ આવશ્યક ભાષ્યના પાઠથીનમસ્કારમંત્ર ઉપર બહુમાનની પ્રસિદ્ધિને પ્રગટ કરે છે. આગમમાં કહ્યું છે કે જેવી રીતે સાવધાન ચતુર પુરુષ આગ આદિના ભયમાંકણ અને પાસ વગેરે મૂકીને એક પણ વૈર્યવગેરે મહારત્નને ગ્રહણ કરે છે, અથવા શત્રુના ભયમાં શક્તિ વગેરે અમોઘ ( નિષ્ફળ ન જાય તેવા) શસ્ત્રને ગ્રહણ કરે છે, તેવી રીતે અહીં મરણ સમયે શ્રુતકેવલી પણ દ્વાદશાંગીને મૂકીને નમસ્કારમંત્રને જ યાદ કરે છે. તેથી નમસ્કારમંત્ર કાગશગીનો સાર છે. (૧૩-૧૪). तप्पणईणं तम्हा, अणुसरियव्वो सुहेण चित्तेणं । વ તૈમુૌરો, વયજુર્વ મન્નમાળri II જેમણે આનમસ્કારમંત્રની રચના કરી તેમને નમસ્કાર કરવા માટે કહે છે નમસ્કારમંત્રનો આવો પ્રભાવ હોવાથી પોતાને કૃતજ્ઞકે કૃતાર્થ માનનારા પુરુષે આ નમસ્કારમંત્રની રચના કરનારા અરિહંત અને ગણધર વગેરેને પણ શુભચિત્તથી નમસ્કાર કરવો જોઈએ. વિવેચન નમસ્કારમંત્રનો આવો પ્રભાવ હોવાથી પંચ પરમેષ્ઠીને તો નમસ્કાર કરવો જોઈએ, કિંતુ નમસ્કારમંત્રની ચના કરનારા અરિહંત-ગણધર વગેરેને પણ નમસ્કાર કરવો જોઈએ. તેમ કરવાથી કૃતજ્ઞતા વ્યક્ત થાય છે. (૧૫) नवकाराओ अन्नो, सारो मंतो न अत्थि तियलोए । तम्हा हु अणुदिणं चिय, पढियव्वो परमभत्तीए ॥१६॥ ઉક્ત અર્થનો ઉપસંહાર કરતા ગ્રંથકાર ઉપદેશને કહે છે– ત્રણ લોકમાં નવકારથી અન્ય સારભૂત કોઈ મંત્રનથી. તેથી દરરોજ પરમભક્તિથીનવકારગણવા જોઈએ. (૧૬) उरगाईण वि मंता, अविहीए उ अहिज्जिया । विसंजओ न नासंति, तम्हा उ विहिणा पढे ॥१७॥ દાંત પૂર્વક વિધિથી નવકારમંત્રનો પાઠ કરવાનો ઉપદેશ કહે છે અવિધિથી ભણેલાસર્પઆદિના પણ મંત્રો વિષનો નાશ કરતા નથી. તેથી વિધિથી નવકારનો પાઠ કરવો જોઈએ. વિધિથી એટલે વિનય–બહુમાન આદિ પૂર્વક પાઠ કરવો એટલે ભણવું, પરાવર્તન કરવું અને સ્મરણ કરવું.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy