SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું નમસ્કાર દ્વાર (24) શ્રાદ્ધદિનકૃત્ય. શય્યાસ્થાનથી નીચે ઉતરીને જમીન ઉપર ઊભા રહીને કે બેસીને ભાવબંધુ અને જગન્નાથ એવા નમસ્કાર મંત્રને (=નવકારને) ગણે. ભાવબંધુ ભાવ બંધુ એટલે પરમાર્થથી બંધુ. જે સહાય કરે તે બંધુ. નમસ્કાર મંત્ર સાય કરતો હોવાથી પરમાર્થથી બંધુ છે. જગન્નાથ - જે યોગ અને ક્ષેમને કરે તેનાથ. યોગ એટલે ઇષ્ટ વસ્તુનો લાભ. શ્રેમ એટલે પ્રાપ્ત થયેલ ઇષ્ટ વસ્તુનું રક્ષણ. નમસ્કારમંત્ર પ્રાપ્ત નહિ થયેલા મહદ્વતો વગેરે ગુણોને પ્રાપ્ત કરાવનાર હોવાથી અને પ્રાપ્ત થયેલા અણુવતો વગેરે ગુણસમૂહનું રક્ષણ કરનાર હોવાથી યોગક્ષેમ કરે છે. આથી નમસ્કારમંત્ર જગતનો નાથ છે. (૯) मंताणं मंतो परमो इमुत्ति, धेयाण धेयं परमं इमुत्ति । तत्ताण तत्तं परमं पवित्तं, संसारसत्ताण दुहाहयाणं ॥१०॥ નમસ્કારમંત્ર ભાવબંધુ અને જગન્નાથ કેમ છે તે જણાવે છે – ચારગતિમાં રહેલા દુ:ખાહત ભવ્યજીવો માટે મંત્રોમાં આજ મુખ્ય મંત્ર છે. ધ્યાન કરવાલાયકવસ્તુઓમાં આ જ મુખ્ય ધ્યાન કરવા લાયક છે. પરમાર્થોમાં આ જ અતિશય પવિત્ર પરમાર્થ છે. દુખાહત - દુ:ખાહત એટલે અસાતાથી તપેલા. અથવા દ્રવ્યથી અને ભાવથી એમ બે રીતે જીવો દુ:ખાહત છે. દ્રવ્યથી દુ:ખાહત એટલે અસાતાથી પીડાયેલા. ભાવથી દુ:ખહત એટલે રાગ-દ્વેષથી ઘેરાયેલા. મુખ્યમંત્ર- ગરુડમંત્ર વગેરે મંત્રોમાં નમસ્કારમંત્ર જ મુખ્યમંત્ર છે. કારણ કે તે દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારના વિષને દૂર કરે છે. (સર્પ વગેરેનું વિષ દ્રવ્યવિષ છે. મોહ વગેરે આંતરિક દોષો ભાવવિષ છે.) મુખ્ય ધ્યાન કરવા લાયક- ધ્યાન કરવા લાયક સર્વ ઈશ્વરોમાં નમસ્કારમંત્ર જ ધ્યાન કરવા યોગ્ય છે. કારણ કે તે સર્વ કાર્યોનો સાધક છે. પરમાર્થ - જગતમાં જેટલા પરમાર્થ છે = ઉત્કૃષ્ટવસ્તુઓ છે તે બધામાં નમસ્કારમંત્ર જ અતિશય પવિત્ર પરમાર્થ = શ્રેષ્ઠ વસ્તુ છે. કારણ કે તે ર્મરૂપમલના ડાઘને દૂર કરે છે. (૧૦) . ताणं अन्नं तु नो अत्थि, जीवाणं भवसायरे । बुडुंताणं इमं मुत्तुं नमुक्कारं सुपोययं ॥११॥ નમસ્કારમંત્ર “મુખ્યમંત્ર' વગેરે કેમ છે તે જણાવે છેભવ સમુદ્રમાં ડૂબતા જીવોનું નમસ્કારમંત્ર રૂપસુવહાણને છોડીને બીજું કોઈ રક્ષણ કરનાર નથી.(૧૧) अणेगजमंतरसंचियाणं, दुहाण सारीरियमाणसाणं । कत्तो अ भव्वाण भविज नासो, न जाव पत्तो नवकारमंतो ॥१२॥ જ્યાં સુધી નમસ્કારમંત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભવ્ય જીવોના અનેક ભવોમાં એકઠાં કરેલાં રોગ વગેરે શારીરિક અને શોક વગેરે માનસિક દુઃખોનું કારણ એવાં કર્મોનો નાશ ક્યાંથી થાય? (૧૨) जलणाइभए सव्वं, मुत्तुं एगंपि जहा महारयणं । अहवाऽरिभए गिन्हइ, अमोहसत्थं जह तहेह ॥१३॥
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy