SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય 21 ) પહેલું નમસ્કાર દ્વારા કેવી રીતે લેવી, ચોરી કેવી રીતે કરવી, અનાચાર કેવી રીતે કરવો વગેરે પાપો કરવામાં જ બુદ્ધિનો ઉપયોગ કરે તે ધનનો ઉપયોગ નામના મેળવવી, લાઈટમાં આવવું, લોકમાં પ્રસિદ્ધ બનવું, પોતાના નામની તકતીઓ મૂકાવવી, સ્નેહીનો સ્નેહ પોષવો, વિષયસુખનાં સાધનો મેળવીને વિષયસુખો ભોગવવા વગેરે પાપકાયમાંકરે. તે ઈન્દ્રિયોનો ઉપયોગ પરસ્ત્રીગમન, માંસ વગેરે અભક્ષ્ય-ભક્ષણ, સિનેમા, નાટક અને ટી.વી. વગેરેનું નિરીક્ષણ, સંગીત શ્રવણ વગેરે વિષયસુખો ભોગવવામાં કરે, અથવા પરનિંદા, પરદોષ દર્શન, પરદોષશ્રવણ અને પરદોષોને બોલવા વગેરે પાપકાર્યમાં પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ કરે. આથી પાપી આત્માઓને આવી શક્તિ ન મળે, તેમાં જ તેમનું શ્રેય મહાનુભાવો! તમને જે જે શક્તિ મળી છે તે તે શક્તિનો ઉપયોગ તમે કેવળ પાપ માટે જ કરો છો કે ધર્મ માટે પણ કરો છો ? તમને મળેલી શક્તિઓનો ઉપયોગ કેવળ તમારા માટે જ કરો છો કે બીજાઓ માટે પણ કરો છો? બુદ્ધિ, બળ, સત્તા અને સંપત્તિ વગેરે શક્તિઓથી ઉપકાર પણ કરી શકાય, અને અપકાર પણ કરી શકાય. પરમાર્થી માનવ એ શક્તિઓથી પરોપકાર કરે, સ્વાર્થી માણસ એ શક્તિઓથી કેવળ સ્વાર્થ સાધે અને સ્વાસ્થય માણસ એ શક્તિઓથી બીજાઓ ઉપર અપકાર કરે. પરમાર્થી જીવો બુદ્ધિનો ઉપયોગ બીજાઓને આપત્તિમાંથી મુક્ત કરવા માટે કરે છે. જ્યારે સ્વાર્થધ જીવો પોતાનો સ્વાર્થ સાધવા માટે બુદ્ધિનો ઉપયોગ બીજાઓને આપત્તિમાં મૂકવા માટે કરે છે. ફસાવવા માટે કરે છે. પરમાર્થી જીવો બળનો ઉપયોગ બીજાઓનું રક્ષણ કરવા માટે કરે. સ્વાર્થોધ જીવો બળનો ઉપયોગ બીજાઓનું ભક્ષણ કરવા માટે કરે. ત્રિપૃષ્ઠ વાસુદેવે સત્તાના બળે શય્યાપાલકના કાનમાં ધગધગતા સીસાનો રસ રેડ્યો. કુમારપાળ મહારાજાએ વિશ્વાસનો ઘાત કરનારા સામંતોને માફી આપી. ધારત તો સ્વસત્તાના બળે તેમને કડક શિક્ષા કરી શક્ત. કુમારપાળ માહારાજા, સમ્રાટ સંપ્રતિ, શ્રીપાળ મહારાજા જેવા ઉત્તમ પુરુષોએ સત્તાનો ઉપયોગ જીવરક્ષા આદિ પરોપકાર માટે કર્યો. અજયપાળ વગેરે અધમ પુરુષોએ સત્તાનો ઉપયોગ બીજાને રંજાડવા માટે ક્ય. ધના સાર્થવાહ, માઘ પંડિત વગેરે ઉદાર જીવોએ લક્ષ્મીનો પરોપકાર વગેરે કાર્યોમાં સદુપયોગ કર્યો. મમ્મણ જેવાપણ પુરુષોએ લક્ષ્મીનો કેવળ સંગ્રહ જ કર્યો. શક્તિ નહિ, પણ શક્તિનો સદુપયોગ પ્રશંસનીય છે. કોઈ પણ શક્તિ પ્રશંસનીય ત્યારે જ બને કે જ્યારે તેનો સદુપયોગ થાય. અજ્ઞાન લોકો ભલે બીજાઓની શક્તિ જોઇને ગમે તે રીતે તેની પ્રશંસા કરવા માંડે. પણ વિવેકી તેમ ન કરે. વિવેકી માણસ જે શક્તિનો દુરુપયોગ થાય તેવી શક્તિથી લેવાય ન જાય = આકર્ષાય ન જાય. અને તેવી શક્તિની પ્રશંસા ન કરે. વિવેકી માણસ પ્રશંસા શક્તિના સદુપયોગની કરે, કેવળ શક્તિની નહિ. શક્તિ પ્રશંસનીય નથી, કિંતુ શક્તિનો સદુપયોગ પ્રશંસનીય છે. એટલે જેની શક્તિનો સદુપયોગથાય, તેની શક્તિ પ્રશંસનીય બને, બીજાની નહિ. જેમકે ચોરની ચતુરાઇ પ્રશંસનીય નહિ. વાસુદેવનું બળ પ્રશંસનીય નહિ. અજયપાળ જેવા રાજાઓની સત્તા પ્રશંસનીય નહિ.મમ્મણ જેવાનું ધન પ્રશંસનીય નહિ. અભયકુમારની બુદ્ધિપ્રશંસનીય છે. મહાવીર પરમાત્માનું બળ પ્રશંસનીય છે. કુમારપાળ મહારાજા જેવાની સત્તા પ્રશંસનીય છે. ધન્ના સાર્થવાહ જેવાનું ધન પ્રશંસનીય છે. મા શક્તિની પ્રશંસા કરતાં પહેલાં એ જોવું જોઇએ કે શક્તિ ક્યાં પડી છે. જો શક્તિ કુપાત્રમાં પડી હોય તો નકામી છે. સુંદર અને સુગંધી પણ પુષ્પમાળા વિઝામાં પડે તો નકામી બની જાય છે. સુપાત્રમાં પડેલી શક્તિ કામની છે. કારણકે તેનો સદુપયોગ થાય. - કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિ મહારાજે વીતરાગ સ્તોત્રમાં ભગવાનની સ્તુતિ કરતાં
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy