SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 20 ) પહેલું નમસ્કાર દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય મહાનુભાવો! હવે તમે તમારા માટે વિચારો કે હું ગુરુ મહારાજ પાસે વ્યાખ્યાન સાંભળું છું કે નહિ? સાંભળ્યા પછી તેનું ચિંતન-મનન કરું છું કે નહિ? શ્રાવકો માટે એવું શાસ્ત્ર વિધાન છે કે “શ્રાવકે સૂક્ષ્મ બુદ્ધિ વડે જાણવા યોગ્ય એવા પદાર્થોનું ચિંતન કરવું જોઇએ. ચિંતન કરતાં જે પ્રશ્નો ઊઠે તે પ્રશ્નો ગુરુની પાસે પૂછવા જોઇએ. ગુરુ જે ઉત્તરો આપે તેને બરાબર યાદ રાખવા જોઇએ. આ વિધિનું પાલન કરનાર શ્રાવક જૈનશાસનમાં કુશળ બને છે, અર્થાત્ જૈનધર્મનું ધર્મક્રિયાઓ અને તત્ત્વો સંબંધી સારું જ્ઞાન મેળવી લે છે. જૈનશાસનમાં કુશળતા એ સમ્યગ્દર્શનનું ભૂષણ છે. જે શોભાવે તે ભૂષણ. જેમ અલંકારો શરીરને શોભાવે છે તેમ જૈનશાસનમાં કુશળતા સમ્યગ્દર્શનને શોભાવે છે-દીપાવે છે. માટે તે સમ્યગ્દર્શનનું ભૂષણ છે. આ વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે स्थैर्य प्रभावना भक्तिः, कौशलं जिनशासने । तीर्थसेवा च पञ्चास्य, भूषणानि प्रचक्षते ॥ સ્થિરતા, પ્રભાવના, ભક્તિ, જિનશાસનમાં કુશલતા અને તીર્થસેવાએ પાંચ સમ્યગ્દર્શનનાં ભૂષણો છે. સ્થિરતા- અન્ય દર્શનીઓમાં ચમત્કાર વગેરે મહિમાને જેવા છતાં જૈનધર્મથી પોતે ચલિત ન થવું = સ્થિર રહેવું અને બીજાઓને પણ જૈનધર્મમાં સ્થિર કરવા તે સ્થિરતા છે. પ્રભાવના– જૈન શાસનની પ્રભાવના કરવી = બીજાઓને જૈનશાસન પમાડવું. શાસનની પ્રભાવના સ્વપર ઉપકાર કરનારી છે, અને તીર્થંકરનામ કર્મનું કારણ છે. ભક્તિ- અરિહંત વગેરે ગુણી જીવોની ભક્તિ કરવી. જિનશાસનમાં કુશળતા– જૈન શાસનની ક્રિયાઓમાં અને જીવાદિ તત્ત્વોમાં નિપુણ બનવું. તીર્થસેવા- સંસાર સાગરથી તારે તે તીર્થ. તીર્થના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. શ્રી શત્રુંજયેવગેરે દ્રવ્ય તીર્થો છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ભાવતીર્થ છે. અથવા ચતુર્વિધ સંઘ ભાવતીર્થ છે. અથવા તીર્થના જંગમ અને સ્થાવર એમ બે ભેદ છે. તેમાં શત્રુંજય વગેરે સ્થાવર તીર્થ છે. ચતુર્વિધ સંઘ જંગમ તીર્થ છે. સ્થાવર એટલે એક સ્થળે રહેનાર જંગમ એટલે એક સ્થળેથી બીજા સ્થાને જનાર. બંને પ્રકારના તીર્થોની યાત્રા-પૂજા વગેરે રીતે સેવા કરવી તે તીર્થસેવા. જયંતી શ્રાવિકાએ એક્વાર ભગવાન શ્રી મહાવીરસ્વામીને પૂછ્યું : હે ભગવંત! જીવો જાગતા સારા કે ઊંઘતા સારા ? ભગવાને કહ્યું : ધર્મીઓનું જાગવું કલ્યાણકારી છે અને પાપીઓનું ઊંઘવું કલ્યાણકારી છે. પાપ કરાવનાર સામગ્રીન મળે તેમાં કલ્યાણ પાપી આત્મા જાગીને પાપો જ કરે. અલબત્ત, ઊંઘવું એ પણ પાપ જ છે. પણ પાપી આત્મા જાગે તો મન-વચન-કાયાથી વધારે પાપો કરે. એથી એને ઊંઘમાં થતા અશુભકર્મબંધની અપેક્ષાએ જાગીને કરેલાં પાપો દ્વારા અતિશય અધિક અશુભકર્મ બંધ થાય. આનાથી સર્વસામાન્ય એક સિદ્ધાંત નક્કી થાય છે કે સારી પણ વસ્તુ પાપી આત્માને કલ્યાણકારી ન બને. આથી શરીરબળ, બુદ્ધિબળ, ધનબળ કે ઇન્દ્રિયબળ વગેરે પાપી આત્માને અકલ્યાણકારી બને. કારણકે પાપી આત્મા તેનાથી પાપ જ કરે. પાપી આત્મા શરીરબળનો ઉપયોગ બીજાને સતાવવા વગેરે દ્વારા દુ:ખ આપવામાં કરે. તે બુદ્ધિનો ઉપયોગ બીજાને શીશામાં ઉતારીને બૂચ મારવા જેવી પ્રવૃત્તિમાં કરે. અનીતિ કેવી રીતે કરવી, બીજાને કેવી રીતે ફસાવવો, અસત્યકેવી સિફતથી બોલવું, લાંચ રુશ્વત ૨. નિપુણભાવન્તિનમ, ગુરૂપે પ્રશ્નઃ, તત્રયાવધાનમ્ (ધર્મબિંદુ અ.૨)
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy