________________
શ્રાદ્ધદિનકૃત્ય
(19)
પહેલું નમસ્કાર દ્વાર
આત્મલાભની સાથે શરીરલાભ પણ થાય પણ ધર્મશાસ્ત્રમાં વહેલા ઉઠવાનું જે વિધાન છે તે શરીરલાભકે સંસારલાભની દષ્ટિએ નથી, તુિ આત્માના લાભની દષ્ટિએ છે. આત્મલાભ માટે વહેલા ઉઠવાથી, સાથે સાથે શરીરને પણ લાભ થઇ જાય છે. કારણકે વહેલા ઉઠીને જાપ અને પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયા કરવાની છે. જાપ વગેરેથી ચિત્ત પ્રસન્ન બને છે. ચિત્ત પ્રસન્ન બનવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે. આ વિષે ગીતા (૨-૬૫)માં કહ્યું છે કે પ્રસન્નતનો હાશ વદ્ધિઃ પર્યવંતિકતે = પ્રસન્નચિત્તવાળામાં બુદ્ધિ જલદી નિવાસ કરે છે, અર્થાત્ પ્રસન્નચિત્તવાળાની બુદ્ધિ સારી ચાલે છે. પ્રતિકમણાદિ કિયા. ઊભા ઊભા કરવાથી શરીરને કસરત મળી રહે છે. એથી શરીરમાં બળ વધે છે. ધન પુણ્યથી મળે છે. ધર્મક્રિયાઓથી પુણ્યબંધ થાય છે. એથી ધર્મથી ધન પણ મળે છે. સવારે જુદાં જુદાં જિનમંદિરોમાં દર્શન કરવા માટે જવાનું રાખવામાં આવે તો તેનાથી આત્મા અને શરીર એ બંનેને લાભ થાય. જે શ્રાવકો નિવૃત્ત હોય તેમણે સવારે અને સાંજે જુદાં જુદાં જિનમંદિરોનાં દર્શન કરવાનું ખાસ રાખવું જોઇએ. જેથી તેમને આત્મલાભની સાથે સાથે શરીર લાભ પણ થઈ જાય.
ધર્મ માટે વહેલા ઊઠવાનું છે, પાપ માટે નહિ. ધર્મ કરવા માટે વહેલા ઊઠવાનું છે, પાપ કરવા માટે નહિ. વહેલા ઊઠીને પાપ કરે તેનાં કરતાં ઊંઘે એ સારું. આ વિષે એક પ્રસંગ આ પ્રમાણે છે –
શેખ સાદી નામના એક મુસ્લીમ સંત થઇ ગયા. એમની બાલ્યાવસ્થાનો એક પ્રસંગ છે. તેઓ એમના પિતાજી સાથે મઝાની હજ કરવા ગયા. એમાં એવો નિયમ હતોકે સૌએ અધરાત્રે ઊઠીને અલ્લાહની બંદગી કરવી. આ નિયમ મુજબ પિતા-પુત્ર બને અર્ધી રાતે ઊઠીને બંદગી કરવા તૈયાર થયા. શેખ સાદીએ જોયું તો કેટલાક માણસો હજુ ઊંઘતા જ હતા. એમણે પિતાને કહ્યું: અબ્બા! જુઓ તો ખરા, આ લોકો કેવા છે. ઘોર્યા કરે છે, ને બંદગી કરવા ઊઠતા નથી. અહીં (મક્કા) આવવા છતાં બંદગી કરતા નથી તો આવ્યા શું કામ? પોતાના પુત્રના મુખથી આવી નિંદા સાંભળી તેને બોધ આપવા કહ્યું : બેટા! એ લોકોનો દોષતું જુએ છે. પણ તારો દોષકેમ જોતો નથી. બીજાની નિંદા કરવી એ મોટો દોષ છે. આવી નિંદા કરવા કરતાં તું પણ આ લોકોની જેમ ઊંઘી રહ્યો હોત તો મને વધુ ગમત. બીજાની નિંદા કરવાથી તો ઊંઘી રહેવા કરતાં પણ વધુ પાપ થાય છે. શેખ સાદીને બાળપણમાં જ લાગેલી આ ચોટે એમને મોટા સંત બનાવી દીધા.
જયંતીશ્રાવિકાનો પ્રસંગ અને સભ્યત્વનાં ભૂષણો આ વિષે ભગવાન મહાવીરસ્વામીએ જયંતી શ્રાવિકાને આપેલો ઉત્તર પણ જાણવા જેવો છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીના વખતમાં જયંતી નામની શ્રાવિકા થઈ ગઈ. તેવચ્છ દેશના શતાનિક રાજાની બહેન હતી. તે સાધુ-સાધ્વીઓને રહેવા માટે પોતાનાં મકાનો આપતી હતી. આથી તે શય્યાતરી' તરીકે પ્રસિદ્ધ બની. અહીં શય્યા એટલે મકાન (=રહેવાનું સ્થાન). પૂજ્ય સાધુ-સાધ્વીજીઓને મકાન આપવા દ્વારા તેમના સંયમની આરાધનાનો લાભ મેળવીને સંસારરૂપ સાગરને તરી જાય તે શય્યાતર. શય્યાતરી તરીકે પ્રસિદ્ધ બનેલી જયંતી શ્રાવિકામાં ધાર્મિક જ્ઞાન મેળવવાની બહુ તાલાવેલી હતી. આથી તે તક મળતાં પૂજ્ય સાધ્વીજીઓ વગેરેની પાસે ધાર્મિક અભ્યાસ કરવાનું ચૂકતી ન હતી. તે ભગવાન શ્રી મહાવીરસ્વામીની દેશના ખૂબ જ ઉત્કંઠા પૂર્વક સાંભળતી હતી. દેશના સાંભળ્યા પછી તેનું ચિંતન-મનન અને નિદિધ્યાસન કરતી હતી. પછી તેમાંથી જે શંકા જાગે તેનું ભગવાન શ્રી મહાવીર સ્વામીને પૂછીને નિવારણ કરતી હતી.' १. निरन्तरं विचारो यः, श्रुतार्थस्य गुरोर्मुखात् । तन्निदिध्यासनं प्रोक्तं, तच्चैकाग्रयेण लभ्यते ॥