________________
શ્રાદ્ધદિનકૃત્ય
( 17
)
પહેલું નમસ્કાર દ્વાર
મામાને મળવા જાય, એક દિવસ ભાઇને મળવા જાય, તો એક દિવસ બહેનને મળવા જાય. એમ તેનો સમય મળવામાં જેટલો જાય, તેટલો સમય ધર્મ ઓછો થાય. એવી રીતે કોઇ વ્યક્તિ જેમ જેમ વધારે બોલે, તેમ તેમ તેનો ધર્મઓછો થાય, અને રાગ-દ્વેષકે નિંદા વગેરેથી પાપ બંધાય તે વધારામાં. તે પ્રમાણે માણસ જેમ ઊંઘ વધારે કરે તેમ ધર્મ ઓછો થાય. આથી શ્રાવકે નિદ્રાને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ધર્મક્રિયામાં સુસ્તી-ઝોકાં ન આવવા જોઈએ આમ છતાં એ પણ ખ્યાલ રાખવાની જરૂર છે કે, નિદ્રા તેટલી અલ્પનહોવી જોઇએ કે જેથી ધર્મારાધના કરતાં કરતાં ઝોકાં આવે. કોઇ કોઇ ધર્મી આત્માઓ વહેલા ઊઠીને ધર્મ આરાધના કરે છે, પણ આરાધના કરતાં કરતાં ઝોકાં ખાય છે, અથવા બહુ જ સુસ્તીથી આરાધના કરે છે. કોઇ મહાનુભાવ પ્રતિક્રમણમાં ઝોકાં ખાય. કોઇ વ્યાખ્યાન સાંભળતાં ઝોકાં ખાય, તો કોઇ નવકારવાળી ગણતાં ઝોકાં ખાય. કેટલાક મહાનુભાવો પ્રતિક્રમણ વગેરેમાં ઝોકાં ન ખાય, પણ સુસ્તીથી કરે. ઊંઘ કે આળસથી થયેલી ક્રિયા નિર્માલ્ય છે. એનાથી જેવો લાભ થવો જોઇએ તેવો લાભ ન થાય. ધર્મક્રિયાઓ ખૂબ જ ઉલ્લાસ અને સ્કૂર્તિથી કરવી જોઇએ. ધર્મક્રિયાઓમાં ઊંઘ અને આળસ આવવામાં શરીર પ્રકૃતિ, જરૂરિયાત કરતાં ઓછી નિદ્રા અને ધર્મક્રિયાઓમાં રસનો અભાવ વગેરે અનેક કારણો છે. ધર્મી આત્માએ આ કારણોને તપાસીને જે કારણ હોય તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ. ધર્મી આત્માએ ધર્મક્રિયાઓમાં ઝોકાંકે આળસન આવે અને ખૂબ ઉલ્લાસ અને ર્તિથી ધર્મક્રિયાઓથઇ શકે તે પ્રમાણે નિદ્રાનું પ્રમાણ નક્કી કરી લેવું જોઇએ.
નિદ્રાના પાંચ પ્રકાર શાસ્ત્રમાં નિદ્રાના પાંચ પ્રકાર જણાવ્યા છે, તે આ પ્રમાણે –
નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા અને ત્યાનદ્ધિ(વીણદ્ધિ). સુખપૂર્વક એટલે કે અવાજમાત્રથી ઉઠાડી શકાય એવી નિદ્રા તે નિદ્રા. દુ:ખપૂર્વક એટલે કે ખૂબ ઢંઢોળવા વગેરેથી ઉઠાડી શકાય તેવી નિદ્રા તે નિદ્રા-નિદ્રા. બેઠાં બેઠાં કે ઊભા ઊભા જે નિદ્રા આવે તે પ્રચલા. ચાલતા ચાલતાં જે નિદ્રા આવે તે પ્રચલા-પ્રચલા. જેમાં દિવસે ચિંતવેલું કાર્યરાતે ઊંઘમાં જ કરી નાખવામાં આવે અને જાગે ત્યારે તેની ખબર પણ ન હોય, એવી ગાઢ નિદ્રા તે સ્થાનદ્ધિ કે થીણદ્ધિ. સ્થાની = સંધાતીમૂતા ગૃદ્ધિર્ફિનવિનિતાર્થ વિષયામિફ્રિ યસ્યાં સા થિણદ્ધિ નિદ્રાવાળો જીવ મરીને નરકમાં જ જાય.
આ નિદ્રા વખતે ઘણું બળ ઉત્પન્ન થાય છે. તે તે કાળે યુવાનમાં સામાન્યથી જેટલું બળ હોય તેના કરતાં આઠગણું બળ વિણદ્ધિ નિદ્રામાં હોય. થિણદ્ધિ નિદ્રાવાળો પુરુષ પહેલા સંઘયણવાળો હોય તો તેમાં વાસુદેવ કરતાં અર્ધબલ હોય.
કુવાના કાઠે બેઠેલા વાસુદેવના ડાબાહાથે સાંકળ બાંધેલી હોય, જમણા હાથથી લહેરથી ભોજન કરતો હોય. આવી સ્થિતિમાં તે સાંકળને પોતાના સૈન્ય સહિત સોળ હજાર રાજાઓ ખેંચે તો પણ વાસુદેવ જરાય ખેંચાય નહિ, ઉલટું જો વાસુદેવ ડાબા હાથે બાંધેલી સાંકળને ડાબાહાથથી જ ખેચે તો ખેંચનારા બધા ખેંચાઇને પોતાના પાસે આવી જાય. આટલું બળવાસુદેવમાં હોય છે. ચક્રવર્તીમાં તેનાથી બમણું બળ હોય છે. અર્થાતેને સૈન્યસહિત બત્રીસ હજાર રાજાઓ ખેંચે તો પણ ન ખેંચાય.
આના ઉપરથી થિણદ્ધિનિદ્રામાં કેટલું બળ હોય તે સમજી શકાય છે.