________________
પહેલું નમસ્કાર દ્વાર
16
શ્રાદ્ધદિનકૃત્ય
શ્રાવકના ઘરમાં બધા સાથે બેસીને ટી.વી. જુએ કે ધર્મચર્ચા કરે ?
શ્રાવકના ઘરમાં સમય મળતાં ટી.વી. જોવાનો પ્રોગ્રામ હોય કે સામાયિકનો પ્રોગ્રામ હોય ? શ્રાવકો વેકેશનમાં દુનિયાની દષ્ટિએ જોવા લાયક ગણાતાં સ્થાનો જોવા જાય કે તીર્થયાત્રા કરવા જાય? શ્રાવકો રવિવાર વગેરે રજાના દિવસોમાં બહાર ફરવા ઉપડે કે વિશેષ ધર્મઆરાધના કરે ?
જ્યારે સાધુઓ ટી.વી.ના અનર્થો સમજાવે છે ત્યારે ટી.વી. થી જાણકારી વધે છે એવી દલીલ કરવામાં આવે છે. આવી દલીલ કરનારાઓને મારે પૂછવું છે કે દુનિયાનું જાણવાથી આત્માને શો લાભ થાય ? દુનિયાનું જાણવાથી આત્માને લાભ તો નથી જ, બલ્કે નુકશાન છે. આ માનવભવમાં જાણવા જેવું કંઇ હોય તો તે આત્મા જ છે. આપણાં બધાં દુ:ખોનું મૂળ આત્માની અજ્ઞાનતા છે.
સમયસર સૂઈને વહેલાં ઊઠવું જોઈએ
દુનિયા ભલે ગમે તેમ કરે, પણ ધર્મી આત્માએ વહેલા ઊઠીને આત્મસાધના કરવી જોઇએ. કુશળધર્મી આત્માઓ સવારના વહેલા ઊઠીને ધર્મારાધના થાય એ માટે પોતાને જેટલા કલાક ઊંઘની જરૂર હોય તે પ્રમાણે રાતે સૂઈ જાય છે, અને સવારના વહેલા ઊઠીને ધર્મ આરાધના કરે છે. સામાન્યથી છ કલાક ઊંઘથી શરીરને આરામ મળી જાય છે. આમ છતાં દરેક માટે આ નિયમ લાગુ ન પડે. કોઇને છ કલાકથી ઓછી ઊંઘથી પૂરતો આરામ મળી જાય છે, જ્યારે કોઇને છ કલાકથી વધારે ઊંઘ કરવાથી આરામ મળે છે. એટલે કેટલી ઊંઘ જોઇએ, તેનો નિર્ણય શરીરબળ, શારીરિક અને માનસિક મહેનત, શરીરપ્રકૃતિ વગેરે અનેક કારણોના આધારે થઇ શકે. આથી દરેકે પોતાનું શરીરબળ આદિ કારણોથી પોતાને કેટલી ઊંઘથી આરામ મળે છે તે નક્કી કરી લેવું જોઇએ. એ નક્કી કરીને સવારે વહેલા ઊઠી શકાય તે માટે ઊંઘની જરૂરિયાત પ્રમાણે રાતના સૂઇને સવારે વહેલા ઊઠીને ધર્મ આરાધના કરવી જોઈએ.
નિદ્રા વગેરે જેમ ઘટે તેમ ધર્મ વધે
અહીં એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે ઊંઘ અને આહાર વગેરે જેટલા ઘટાડીએ તેટલા ઘટે અને જેટલા વધારીએ તેટલા વધે. ઊંઘ અને આહાર વગેરે જેમ વધે તેમ ધર્મ ઓછો થાય, અને જેમ ઘટે તેમ ધર્મ વધારે થાય. આ વિષે એક વિદ્વાને કહ્યું છે કે—
ખાના પીના સોવના, મિલના વચનવિલાસ |
જ્યોં જ્યોં પાંચ ઘટાઇએ, ત્યોં ત્યોં ધ્યાનપ્રકાશ ॥
ખાવું, પીવું, સૂવું, એક બીજાને મળવું અને બોલવું આ પાંચ જેમ જેમ ઘટાડવામાં આવે તેમ તેમ ધ્યાનનો પ્રકાશ થાય. અહીં ધ્યાન એટલે ધર્મધ્યાન. પ્રકાશ એટલે વૃદ્ધિ. આનો અર્થ એ થયો કે ભોજન વગેરે પાંચ જેમ જેમ ઘટે તેમ તેમ ધર્મ વધે. આ વાત બહુ જ સહેલાઇથી સમજી શકાય તેવી છે. ભોજન વગેરે જેમ જેમ વધે, તેમ તેમ એમાં સમય વધારે જાય. એટલે જેટલો સમય તેમાં જાય તેટલો સમય ધર્મ ઓછો થાય. ભોજન વગેરે જેમ જેમ ઘટે તેમ તેમ સમય બચે. બચેલા એ સમયનો ધર્મમાં ઉપયોગ કરી શકાય. અહીં બીજીરીતે પણ ઘટના કરી શકાય. તે
આ પ્રમાણે – ભોજન વગેરે જેમ જેમ વધે તેમ તેમ આત્મામાં રાગ-દ્વેષાદિ વધે. જેમ જેમ રાગ-દ્વેષાદિ વધે તેમ તેમ ધર્મભાવનામાં ખામી આવે. ધર્મ ભાવના ઘટે. તથા ભોજન વગેરે જેમ જેમ ઘટે તેમ તેમ ધર્મભાવના વધે. આ બાબત અનુભવથી પણ સમજી શકાય તેવી છે. જેમકે કોઇ વ્યક્તિ એક દિવસ કાકાને મળવા જાય, એક દિવસ