SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધદિનકૃત્ય 15 ) પહેલું નમસ્કાર દ્વાર સમાજમાં પરગજુ માણસોન હોય તે સમાજ કેવી રીતે ટકે? જે દેશની પ્રજા દેશ માટે ભોગ આપવા તૈયાર ન હોય તે દેશ કેર્લી રીતે ટકે? ટી.વી.માંચિત્રહારશ્રેણિમાં આવતા ફિલ્મીગીતો, પ્રેમગીતો, બિભત્સનૃત્ય, અંગોપાંગોનું પ્રદર્શન, ચુંબન, આલિંગનવગેરે દશ્યોથી નાના બાળક-બાલિકાઓ, કિશોરો-કિશોરીઓ, યુવાન-યુવતિઓ, પરિણીત પુરુષસ્ત્રીઓના માનસ વિકૃત બને છે. આવા દશ્યોથી કામવાસના પ્રબળ બને છે. પછી નિમિત્ત મળતાં કામવાસનાને શાંત કરવા ન કરવાનું કરી બેસે છે. જ્ઞાનીઓ અને અનુભવી ડાહ્યા માણસોનું કહેવું છે કે – માણસમાં જેટલી કામવાસના ઓછીતેટલો સુખી બને. કામવાસના જાગે છે તો એને શાંત કરવા માણસને નકરવા જેવું કરવું પડે છે. કામવાસનાના કારણે જ અનેક જાતની પરાધીનતાઓ આવે છે. એટલે માણસે વાસના ઘટે તેવા પ્રયાસો કરવા જોઇએ, તેના બદલે આજે ટી.વી. દ્વારા કામવાસનાને બહેકાવવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આજે જેમાં અંગોપાંગોનું પ્રદર્શન થતું હોય અને બીજી અશ્લીલ ચેષ્ટાઓથતી હોય તેવાં દશ્યોને સાસુ-સસરા, પુત્ર-પુત્રવધૂ, ભાઈ–બહેન, પતિ-પત્ની, પુત્ર-પુત્રી વગેરે સાથે બેસીને જોવા લાગ્યા છે. આમાં મર્યાદા ક્યાં રહી? લજ્જા ક્યાં રહી? આનાથી માણસો લwાહીન બનતા જાય છે. લ#ાહીન બનેલા માણસને અકાર્ય કરવામાં સંકોચ કેવી રીતે થાય? આ રીતે લ#ાહીન બનેલા અને વાસનાથી ઘેરાયેલા માણસો કુટુંબ, સમાજ અને દેશનું હિત કેવી રીતે કરે ? ડાહ્યા ગણાતા અનુભવીઓનું કહેવું છે કે – ટી.વી.ના કારણે કુટુંબ, સમાજ અને દેશને ઘણું સહન કરવું પડશે. - ટી.વી.ના કારણે આધ્યાત્મિક નુકશાન (૧) ટી.વી.ના કારણે ધાર્મિક પાઠશાલામાં બાળક-બાલિકાઓની સંખ્યા ઘટી છે. ટી.વી.માં કોઇ વિશેષ પ્રોગ્રામ હોયતો રોજ પાઠશાલાએ આવનારા બાળકો રજા પાડે છે. મોટા માણસો વ્યાખ્યાનમાં આવવાનું ટાળે છે. આથી જે સમય આત્મસાધનામાં જવો જોઇએ તે સમય પાપ સાધનામાં જાય છે. (૨) ટી.વી. જોવાનું ચાલુ હોય ત્યારે પાપ કર્મનો બંધ થાય છે. આત્મા સમયે સમયે કર્મબંધ કરે છે. આત્મા શુભ પરિણામવાળો હોય તો શુભ કર્મબંધ કરે છે અને અશુભ પરિણામવાળો હોય તો અશુભ કર્મબંધ કરે છે. ટી.વી. જોવામાં લીન બનેલા જીવો રાગાદિ અશુભ પરિણામવાળા બને છે. આથી તેમને અશુભ કર્મબંધ થાય (૩) ટી.વી.માં અદર્શનીય ચિત્રો જોઇને અને ન સાંભળવા લાયક સાંભળીને મન વિકૃત બને છે. વિકૃત મનમાં સારા-ઉચ્ચ ભાવો ન આવે. ટી.વી. જેવાથી વિકૃત બનેલા મનવાળા માણસોના આત્મામાં જિનપૂજાદિ ધર્મકાર્યો કરતી વખતે પણ ઉચ્ચભાવો આવવાની લગભગ શક્યતા રહેતી નથી. ઠીક છે, રૂટીન મુજબ જિનપૂજાદિ ધર્મકાર્યો થાય, પણ તેમાં ઉચ્ચભાવો ન આવવાના કારણે તે ધર્મકાર્યોથી જે લાભ થવો જોઇએ તે લાભ ન થાય. ધર્મક્રિયાઓના લાભનો આધાર શુભ પરિણામ છે. ધર્મક્રિયામાં જેટલા અંશે શુભપરિણામ વધારે તેટલા અંશે લાભ વધારે. આજે જગતમાં ટી.વી.નું આકર્ષણ ખૂબ વધ્યું છે. એની અસર ધર્મ જીવો ઉપર પણ પડી છે. એથી જ • આજે સારા ગણાતા શ્રાવકોના ઘરમાં પણ ટી.વી. હોય છે. શ્રાવકના ઘરમાં ટી.વી. આદિ પાપસાધનો હોય કે ધાર્મિક ઉપકરણો વગેરે ધર્મ સાધનો હોય?
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy