________________
(
14
પહેલું નમસ્કાર દ્વારા
શ્રાદ્ધદિનકૃત્ય એકની એક હોય પણ જેમ પાવર વધારે તેમતેની અસર વધારે થાય. તેમ ધર્મક્રિયાઓમાં પણ જેમ ઉલ્લાસ વધારે તેમ ફળ વધારે મળે. ધર્મ ક્રિયાઓમાં કોન્ટીટી (સંખ્યા)નું મહત્ત્વ નથી, કિંતુ ક્વોલિટીનું (ગુણવત્તાનું) મહત્ત્વ છે. ધર્મક્રિયાઓ કેટલી કરી એના કરતાં કેટલા ભાવોલ્લાસથી કરી એનું મહત્ત્વ વધારે છે.
ભાવોલ્લાસમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ મહત્ત્વનો ભાગ ભજવે છે. બ્રાહ્મમુહૂર્તનો કાળ ભાવોલ્લાસમાં કારણ હોવાથી શ્રાવકે બ્રાહ્મમુહૂર્તમાં નિદ્રાનો ત્યાગ કરીને ધર્મક્રિયાઓ કરવી જોઇએ.
બ્રાહ્મમુહૂર્તનો અર્થ બ્રાહ્મમુહૂર્તના સમયે ચિત્તમાં ઉત્સાહ અધિક હોય છે. આથી મહાપુરુષોએ બ્રાહ્મમુહૂર્તમાં નમસ્કાર મહામંત્રનો જાપ વગેરે ધર્મારાધના કરવાનું કહ્યું છે. એક રાત્રિના ૧૫ મુહૂર્ત હોય છે. તેમાં એક મુહૂર્તનો કાળ કેટલો? એ જાણવા રાત્રિના સમયના બરોબર પંદર વિભાગ કરવાના. તેમાંનો એક વિભાગ એટલે એક મુહૂર્ત. જેમકે બાર કલાકની રાત હોય ત્યારે તેના પંદર વિભાગ કરતાં એક વિભાગ ૪૮ મિનિટનો થાય. આથી ૪૮ મિનિટનું એક મુહૂર્ત થાય. ૪૮ મિનિટને પંદરના આંથી ગુણવાથી બરોબર બાર કલાક થાય. રાત્રિના ૧૫ મુહૂર્ત હોય છે. તેમાં ચૌદમું મુહૂર્ત બ્રાહ્મમુહૂર્ત છે. આ મુર્તિનું નામ તેના ગુણ પ્રમાણે છે. બ્રહ્મ એટલે આત્મા. જેમાં આત્માની સાધના કરવાની હોય તે બ્રાહ્મ. આત્માની સાધના કરવા માટે સાધકે બ્રાહ્મમુહૂર્તમાં (સૂર્યોદયને લગભગ દોઢ કલાકની વાર હોય ત્યારે) ઊંઘનો ત્યાગ કરવો જોઇએ. બ્રાહ્મમુહર્ત આત્માની સાધના કરવા માટે છે. આથી મનુષ્યોએ બ્રાહ્મમુહુર્તમાં ઊઠીને આત્માની સાધના કરવી જોઇએ. પણ અજ્ઞાન મનુષ્યો આ મુહૂર્તમાં આત્માની સાધના કરવાના બદલે શરીરની સાધના કરે છે. આ વખતે મોટાભાગના મનુષ્યો ઊંઘતા હોય છે. જે જાગેલા હોય છે, તેમાંથી પણ બહુ જ થોડા મનુષ્યોને છોડીને બધા જ સંસારનાં કામોમાં મશગૂલ હોય છે.
ટી.વી. ટી.વી. ટી.વી. ટી.વી. આજે તો ઘેર ઘેર ટી.વી. આવી ગયા છે. મોડી રાત સુધી ટી.વી. જુએ. પછી સવારે મોડા ઊઠે. આજે ટી.વી વસાવવો એ સામાજિક સભ્યતા બની ગઇ છે. પૂર્વે સભ્યતા સદાચારના પાલનમાં હતી, જ્યારે આજે ટી.વી જેવા આધુનિક મનોરંજનનાં સાધનો વસાવવામાં સભ્યતા માનવામાં આવે છે. ટી.વી. જેના ઘરમાંનહિ તે માણસ પછાત ગણાય એવું લોકમાનસ ઘડાઇ ગયું છે. આથી આજે માણસ પાસે પૈસો આવે એટલે પહેલું કામ ટી.વી. વસાવવાનું કરે છે. આજે ટી.વી કોણ નવસાવે? જેની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોય છે. આથી જેના ઘરમાં ટી.વી. નહિ તે ગરીબ એવી માન્યતા થઇ ગઇ છે. એનું પરિણામ એ આવ્યું છે કે ગરીબ માણસો પણ પોતાની ગરીબાઈને છુપાવવા ક્યાંકથી પૈસા ઉછીના લાવીને પણ ટી.વી. વસાવે છે.
અજ્ઞાન માણસો ટી.વી.ને ભલે મહત્ત્વ આપે, પણ જ્ઞાન-વિવેકી માણસો ટી.વી.ને મહત્ત્વ ન આપે. કારણકે ટી.વી.થી મળતું અલ્પકાલીન મનોરંજન વ્યક્તિ, કુટુંબ, સમાજ અને દેશ માટે હાનિકારક છે. ટી.વી.ની બાળકોના મન ઉપર બહખોટી અસર થાય છે. ટી.વી.માં આવતા હિંસક અને અશ્લીલદશ્યો બાળકોના આત્મામાં કુસંસ્કારનું બીજ રોપે છે. બાળકોને પોતાના ભાવી જીવનનો કોઇ ખ્યાલ હોતો નથી. એથી ટી.વી. જોવામાં લીન બનતા બાળકો સ્કુલના અભ્યાસમાં પણ બેદરકાર બને છે. ટી.વી. આગળ સતત બેસી રહેવાથી તેમના શરીરને હરવા-ફરવાથી જે વ્યાયામ મળવો જોઈએ તે વ્યાયામ મળતો નથી. એથી શરીર નિર્બળ બને. નિર્બળ શરીરમાં રોગો વધારે થાય, અને રોગપ્રતિકારશક્તિ ઘટે. આ રીતે તન-મનથી ક્ષીણ બનેલા બાળકો મોટા થઇને કુટુંબ વગેરેને કેવી રીતે ઉપયોગી બને ? જે કુટુંબના સભ્યો પરસ્પર ઉપયોગીન બને તે કુટુંબમાં પ્રેમ કેવી રીતે રહે? જે