SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું ભોજન દ્વાર ( 300 ) શ્રાદ્ધદિનકૃત્ય, (૧૪) રાત્રિભોજન:- રાત્રિભોજનને જૈનધર્મમાં બહુ જ મોટું પાપ ગણવામાં આવ્યું છે. રાત્રિભોજનનો જૈનશાસ્ત્રમાં જ નિષેધ છે એવું નથી. અન્યશાસ્ત્રમાં પણ રાત્રિભોજનનો નિષેધ છે. અન્ય ધર્મોમાં પણ કહ્યું છે કે मृते स्वजनमात्रेऽपि, सूतकं जायते किल । अस्तंगते दिवानाथे, भोजनं क्रियते किमु ॥ સામાન્ય સ્વજનના મરણથી પણ સૂતક લાગે છે, તો સૂર્યના અસ્ત થવાથી ભોજન કેમ કરી શકાય.?? કે मद्यमांसाशनं रात्रौ, भोजनं कन्दभक्षणम् । ये कुर्वन्ति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः ॥ જેઓ મદિરા પીએ છે, માંસ ખાય છે, રાત્રિભોજન કરે છે અને કંદમૂળ ખાય છે, તેઓની તીર્થયાત્રા તથા તપ-જપ નિષ્ફળ થાય છે.” મહાભારતના ૧૮મા પર્વમાં જણાવ્યું છે કેनोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर । तपस्विना विशेषेण, गृहस्थेन विवेकिना ॥ “હેયુધિષ્ઠિર! વિવેકીગૃહસ્થ રાત્રે પાણી પણ પીવું જોઈએ, તપસ્વીએ તો વિશેષરૂપે આનું પાલન કરવું જોઈએ.” મહાભારતમાં જ બીજા સ્થળે લખ્યું છે કેअस्तंगते दिवानाथे, आपो रुधिरमुच्यते । अन्नं मांससमं प्रोक्तं, मार्कण्डेयमहर्षिणा । સૂર્યનો અસ્ત થયા પછી પાણી લોહી સમાન છે, અને અન્ન માંસ સમાન છે, એમ માર્કન્ડેય ઋષિએ કહ્યું છે. चत्वारो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, सन्धानानन्तकायिके ।। “નરકમાં જવાના ચાર દ્વાર છે. તેમાં પહેલું રાત્રિભોજન, બીજું પરસ્ત્રીગમન, ત્રીજું બોળ અથાણાનું ભક્ષણ અને ચોથું અનંતકાય (કંદમૂળ)નું ભક્ષણ.” સ્કંધ પુરાણમાં કપાલમોચન સ્તોત્રમાં કહ્યું છે કેएकभक्ताशनान्नित्य-मग्निहोत्रफलं लभेत् । अनस्तभोजनान्नित्यं, तीर्थयात्राफलं लभेत् ॥ “હમેશા એકવાર ભોજન કરવાથી અગ્નિહોત્રનું અને રાત્રિભોજનના ત્યાગથી તીર્થયાત્રાનું ફળ મળે છે.” બીજા કોઈ શાસ્ત્રમાં પણ કહ્યું છે કેनैवाहुतिर्न च स्नानं, न श्राद्धं देवताऽर्चनम् । दानं वा विहितं रात्रौ, भोजनं तु विशेषतः ॥ “રાત્રિએ યજ્ઞકર્મ, સ્નાન, શ્રાદ્ધભોજન, દેવપૂજા કે દાન કરાય નહિ અને રાત્રિભોજન તો સર્વથા કરાય નહિ.” પુરાણ વગેરેમાં કહ્યું છે કેवासरे च रजन्यां च, यः खादन्नेव तिष्ठति । शृङ्ग-पुच्छ परिभ्रष्टः, स्पष्टं स पशुरेव हि ॥ . “દિવસકે રાત્રિનો ભેદ રાખ્યા વગર જે ખાધા જ કરે છે તે શિંગડા અને પૂંછડા વગરનો સ્પષ્ટ પશુ જ છે.”
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy