SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ 1 298 પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય રસનો અંતરાય થાય છે. એમાં નિમિત્ત બનનારને અંતરાય કર્મનો બંધ થાય. (૧૦) શેમ્પ નામના સૌંદર્ય પ્રસાધનની પરીક્ષા સસલાની આંખમાં નાંખીને કરવામાં આવે છે. જે સસલાની આંખમાં નાંખવામાં આવે તે થોડા દિવસો ઘોર બળતરા સહન કરીને અંધ બની જાય છે. પછી તેને મારી નાંખવામાં આવે છે. (૧૧) અનેક જાતનાં બ્રશ વગેરે પશુઓના વાળમાંથી બને છે. (૧૨) કેટલાંક બટન, ફેન્સી ચીજો વગેરે પશુઓના શીંગડામાંથી બને છે. (૧૩) ફેશનેબલ હેટ, નરમ ગાદી-તકીયા, કેટલીક ફેન્સી ચીજો પક્ષીઓના પીંછામાંથી બને છે. (૧૪) નરમ પાકીટ, પટ્ટા, રમકડાં તથા અનેક પ્રકારની ફેન્સી ચીજો ચામડામાંથી કે જીવતા પ્રાણીઓની ચામડીમાંથી બને છે. શીંગડા, વાળ, પીંછા, ચામડાં અને ચામડી મેળવવા પશુ-પક્ષીઓની કતલ કરવામાં આવે છે. તેમને અનેક પ્રકારે દુ:ખ આપવામાં આવે છે. તેમના જીવતા જ શરીરમાંથી ચામડી વિગેરે ઉતારી લેવામાં આવે છે. (૧૫) મોતી મેળવવા માટે હજારો છીપ મર્યા પછી એકાદ બે છીપલામાંથી મોતી મળે છે. એટલે મોતીની બનાવટો અહિંસક નથી. (૧૬) કલ્ચર મોતી પણ અહિંસક નથી. કલ્ચર મોતી બનાવવા છીપને પકડીને તેમના શરીરમાં નાનું ઓપરેશન કરી મોતી માટે દાણો મૂકાય છે. પછી ૨-૩ વર્ષે મોતી પાકે એટલે છીપને મારીને મોતી લઈ લે છે. (૧૭) રેશમની ચીજો પણ હિંસાથી થાય છે. ૧૦૦ ગ્રામ રેશમી કાપડ બનાવવામાં ૧૫૦૦ જીવતા કોશેટાને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે. (૧૮) એક સ અત્તર તૈયાર કરવામાં ૮૭૫૨ રતલ ગુલાબનાં પુષ્પોનો વિનાશ થાય છે. (૪) માખણ - છાશમાંથી અલગ ર્યા પછી તરત તેમાં તેના જ જેવા વર્ણવાળા સફેદ અતિસૂક્ષ્મ જીવો સતત ઉપજે છે અને મરે છે, માટે માખણ પણ અભક્ષ્ય છે. મદિરા, મધ, માંસ અને માખણ એ ચાર જૈનશાસ્ત્રોમાં મહા વિગઈ તરીકે પ્રસિદ્ધ છે. મહાવિગઈ શ્રાવકો માટે સર્વથા અભક્ષ્ય છે. (૫૯) ઉદંબર પંચક - વડ, પીપળો (પારસ પીપળો), ઉદુંબરનું (ગુલર) વૃક્ષ, પ્લેક્ષ (પીપળાની જાતિનું ઝાડ) અને કાકોદુબરી (કસુંબર) એ પાંચેય પ્રકારના વૃક્ષોનાં ફળો (ટેટા)માં અતિસૂક્ષ્મ ઘણા ત્રસ જીવો હોય છે. (૧૦) બરફ અસંખ્ય અકાય જીવોના સમૂહરૂપ હોવાથી અભક્ષ્ય છે. જો કે પાણી પણ અસંખ્ય અષ્કાય જીવોના સમૂહરૂપ છે. આમ છતાં પાણીના એક બિંદુમાં જેટલા અકાય જીવો હોય તેના કરતાં બરફના તેટલા જ બિંદુમાં અતિશય વધારે અસંખ્ય જીવો હોય છે. કારણ કે પાણી પ્રવાહી છે. બરફ ઘન છે. એટલે દસ ગ્રામ પાણીમાં જેટલી વિરાધના થાય તેનાં કરતાં દસગ્રામ બરફમાં વધારે વિરાધના થાય. બીજી વાત. બરફ વિના માણસ ચલાવી શકે છે, પણ પાણી વિના ચલાવી શકે નહિ. પાણી અનિવાર્યવસ્તુ છે. બરફ અનિવાર્ય વસ્તુનથી. પાણી અનિવાર્ય હોવા છતાં શ્રાવકે પાણી જેમ બને તેમ ઓછું વપરાય તેની કાળજી રાખવી જોઈએ. શ્રાવકે પાણી વાપરવામાં ઘી કરતાય વિશેષ ઉપયોગ રાખવો જોઈએ. પાણીના એક ટીપામાં રહેલા જીવોનું શરીર સરસવ જેટલું કરવામાં આવે તો આખા જંબુદ્વીપમાં પણ ન સમાય એટલા જીવો પાણીના એક ટીપામાં હોય છે. આથી વિવેકી
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy