SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ( 271 ) શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર થતાં સહુ ઊભા રહ્યાં. વંકચૂલ આદિ અહીંથી પાછા ફરવાના હતા. ગુરુજીએ કહ્યું – “ભાઈ, જતા જતા થોડો ઉપદેશ સાંભળ. ઉપદેશથી ધર્મની પ્રાપ્તિ સરલ બને છે, એમ કરતાં ધર્મ મળી જાય તો જીવ ભવોભવ સુખી થઈ જાય.” વંકચૂલે કહ્યું ભલે – “એકાદ ઉપદેશ સાંભળવામાં અમને કશો જ વાંધો નથી. આપ સુખેથી કહો.' ગુરુમહારાજે નિયમની મહત્તાનો ઉપદેશ આપતા ફરમાવ્યું કે, “સમસ્ત વિશ્વનિયમને આધીન છે. નિયમહીન જીવનઅભિશાપ છે, ઇત્યાદિ ઉપદેશ પૂર્ણ થતાં ગુરુમહારાજે વાત્સલ્યભાવે કહ્યું: ‘વંકચૂલીકાંઇક નિયમલે. જેથી અમારો થોડોક પણ સમાગમ સફળ થાય.” વંડ્યૂલે કહ્યું: ‘આપ દયાળુ છો. અમારું ભલું ઇચ્છો છો. પણ અમારી વિકટ પરિસ્થિતિ છે. જેને આપ પાપ કહો છો, અમે એને જીવિકા-જીવવાનું સાધન કહીયે છીએ. હું શું લઈ શકું? અમ હતભાગીના ભાગ્યમાં વળી નિયમ કેવા? સૂરિરાજે કહ્યું- 'તું સહેલાઈથી પાળી શકે તેવા નિયમ બતાવું?' “હા, બતાવો, મારાથી પાળી શકાય તેવા હશે તો અવશ્ય સ્વીકારીશ.” ગુરુમહારાજે તેને કહ્યું: જો તને ખાવાપીવાનો કોઇ વિવેક નથી. બીજું કાંઇ નહીં તો (૧) અજાણ્યા ફળ ન ખાવાનો નિયમ કર. હિંસા કદી સારી નથી. કોઈને પણ મરાય નહીં છતાં (૨) કોઈના પણ ઉપર ઘા કરતાં પૂર્વેસાત-આઠડગલા પાછા ખસી જવું. આ નિયમ લે. સદાચાર એ જ જીવનનું તત્ત્વ છે. આચારની શક્તિ સર્વોપરિ સામર્થ્ય છે. વધારે નહીં તો (૩) રાજરાણીનો સમાગમ ન કરવો આ નિયમ લે. માંસ ખાનાર રૌરવમાં પચે છે. (૪) કાગડાનું માંસ ન ખાવું. એટલો નિયમ તો કર.” વંચૂલે સાંભળીને વિચાર ક્યું કે આ નિયમો ઘણાં જ સુગમ છે, આ પાળવામાં ક્યાંય અવરોધ નથી. એમ સમજી ગુરુમહારાજ સામે હાથ જોડી ચારે નિયમ ગ્રહણક્ય. ગુરુજીને પ્રણામ કરીને પાછો ફર્યો. કર્મોની વિષમતાનો વિચાર કરતા મહારાજશ્રીએ વિહાર આદર્યો. એકવાર ચોરી કરી પાછો ફરેલો વંકચૂલ સાથીઓ સાથે જંગલમાર્ગે જતો હતો. આડે રસ્તે જતાં ઘણો સમય થઈ ગયો. થાકીને બધા છાયામાં બેઠા. ભૂખ તો એવી કકડીને લાગેલી કે જે મળે તે રાંધ્યા વગર ખાઈ જાય. વંકચૂલના સાથીઓ જંગલમાં રખડી મજાનાં સુગંધીને મધુરાં ફળ હરખાતા હરખાતા લઈ આવ્યા. પાંદડા પર તેના કક્કા કરી ગોઠવ્યાને પોતાના સરદાર વંડ્યૂલને આવ્યો. સરદારે હાથમાં એ સુંદર મધુર ફળનો ક્કો લઈ પૂછ્યું"ફળતો સરસ છે. આનું નામ શું છે?' ક્ષણવાર તો કોઈને કાંઈ સૂઝયું નહીં. પણ પછી એકે કહ્યું- જંગલી આંબા જેવું છે. તો કોઈએ ‘આના જેવું છે, ને તેના જેવું છે એમ કહ્યું પણ કોઈ સંદેહ વિના સાચું નામ બતાવી શક્યું નહીં. ભૂખ અસહ્ય લાગી હતી. પોતાનું સ્થાન દૂર હતું. સાથીઓનો સબળ આગ્રહ હતો. છતાં ફળનું નામ કોઈ જાણતું ન હોઈ તે અજાણ્યું ફળ નિયમ પ્રમાણે વંકચૂલે ખાધું નહીં. બીજા બધાએ ફળ ખાધાં ને થોડી જ વારમાં તેમની નસો ખેંચાવા લાગી. પ્રતીકારનો વિચાર પણ કરવામાં આવે તે પૂર્વે તો તેઓ મૃત્યુ પામ્યા. વિષાદ અને આશ્ચર્ય પામેલો વંકચૂલ બોલી ઉઠ્યો – “ધર્મનો જય થાવ. નિયમે મને બચાવ્યો. નિયમનું પ્રત્યક્ષ જ આવું ઉત્તમ ફળ દેખાય છે.' ત્યાંથી તે ઉઠ્યોને મોડી રાત્રે પોતાની પલ્લીમાં પહોંચ્યો. શયનખંડમાં પોતાની પત્નીને કોઈ યુવાન જોડે ભર ઉંઘમાં પડેલી જોઈ તેના શરીરમાં વિદ્વેષની કંપારી આવી ગઈ. તેણે કયું નહોતું કે પોતાની પત્ની આવી હોઈ શકે! પહેલાં વિચાર કર્યો કે “આ પુરુષને જ મારું. પછી વિચાર્યું: આવી પત્નીની હવે શી જરૂર છે?માટે બંનેને મારી નાખું.” ક્રોધથી તેના ગાત્રો કંપતા હતા. આંખમાંથી આગ વરસતી હતી. બદલો લેવા હાથ તરસતા હતા. તેણે તલવાર ઉગામી ત્યાં ગુરુમહારાજે આપેલ નિયમ યાદ આવ્યો. ઉગામેલી તલવારે જ તે સાત-આઠ ડગલા પાછો ફર્યો. ઉંધો ચાલતો હોઈ તે દિવાલે ઢાલ-તલવાર સાથે ભટકાયો ને ઢાલ પડતાં જ ખખડાટ થયો.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy