SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ( 238 ) પંદરમું ભોજન દ્વારા શ્રાદ્ધદિનકૃત્ય. શૌચ ( ધર્મનાં ઉપકરણો ઉપર આસક્તિનો અભાવ) અપરિગ્રહ અને બ્રહ્મચર્યનું ગ્રહણ કરવું. વિવેચન અહીં જણાવેલા દસ ગુણો યતિધર્મ છે. આથી ક્ષમા આદિ ગુણોથી યુક્ત સાધુ એટલે યતિધર્મથી યુક્ત સાધુએવો અર્થ થાય. યતિધર્મથી યુક્તસાધુ ભાવસાધુ છે. યતિધર્મથી રહિત સાધુદ્રવ્યસાધુ છે. શ્રાવકે ભાવસાધુને વંદન કરવાનું છે, આ વાત પૂર્વે આવી ગઈ છે. હવે એ પ્રશ્ન થાય છે કે – દ્રવ્યસાધુને વહોરાવાય કે નહિ? આનો જવાબ આપ્રમાણે છે – આ વિષે ભગવતીજી (શ.૮ ઉ. ૬ સૂ. ૩૩૨)માં કહ્યું છે કે – “હે ભગવન્! તથાવિધ અસંયત-અવિરતને પ્રાસુક કે અપ્રાસુક એષણીય કે અષણીય આહારાદિ આપનાર શ્રાવકને શું ફળ મળે? હે ગૌતમ! તેને એકાંતે પાપકર્મ બંધાય છે, જરા પણ નિર્જરા થતી નથી.” આનાથી નિશ્ચિત થયું કે દ્રવ્યસાધુને વહોરાવાય નહીં. કારણ કે વહોરાવવાથી તેના અસંયમનું પોષણ થાય, અને એથી પાપકર્મ બંધ થાય. આ સામાન્યથી વિધાન છે. આમાં વિશેષ એ છે કે – દ્રવ્ય સાધુને આમને આપવાથી મારો સંસારથી છૂટકારો થશે અને મોક્ષની પ્રાપ્તિ થશે એમ ભક્તિથી મોક્ષ માટે દ્રવ્યસાધુને દાન આપે તો કર્મબંધ થાય. પણ અનુકંપાથી દાન આપવામાં કર્મબંધ ન થાય. અથવા ઔચિત્યથી દ્રવ્યસાધુને આંપવામાં કર્મબંધ ન થાય. આ વિષે શ્રાદ્ધવિધિમાં લખ્યું છે કે અન્યદર્શની ભિક્ષુકો આપણે ઘેર ભિક્ષાને અર્થે આવે તો તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની ભિક્ષાને અર્થે આવે તો તેને વિશેષ કરી દાન અવશ્ય આપવું. જો કે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેના ગુણને વિષે પક્ષપાત નથી, તો પણ આવેલાનું યોગ્ય આદરમાન કરવું એ ગૃહસ્થનો ધર્મ છે.” ઉચિત આચરણ ઘરે આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું. આસનાદિકના માટે નિમંત્રણ કરવું, કયા કારણથી આવવું થયું? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે યોગ્ય આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લોકોને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ, આંધળા, બહેરા, રોગી વગેરે દુઃખી લોકો ઉપર દયા કરવી, તથા તેમને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુ:ખમાંથી કાઢવા એ ધર્મ સર્વદર્શનીઓને સમ્મત છે. શ્રાવકોને એ લૌકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું, એનું કારણ એ છે કે– જે માણસો ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લોકોત્તર પુરુષની સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મને વિષે શી રીતે કુશળ થાય? માટે ધર્માર્થી લોકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે કે “સર્વઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખવો. દોષને વિષે મધ્યસ્થપણું રાખવું અને જિનવચનને વિષે રુચિ રાખવી, એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણ છે.” સમુદ્રો પોતાની મર્યાદા મૂક્તા નથી, પર્વતો ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરુષો ઉચિત આચરણો છોડતા નથી. જગતના ગુરુ એવા તીર્થકરો પણ ગૃહસ્થપણામાં માતાપિતાના સંબંધમાં અભ્યત્થાન (મોટા પુરુષ આવે ત્યારે આદરથી ઊભું થવું) વગેરે કરે છે.” (અહીં શ્રાદ્ધવિધિનો પાઠ પૂર્ણ થયો.) * અથવા ભાવઅનુકંપાબુદ્ધિથી દાન આપવામાં કર્મબંધ ન થાય. ઘરે આવેલા સંન્યાસી વગેરેને દાન ન
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy