SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ 237 શ્રાદ્ધદિનકૃત્ય પંદરમું ભોજન દ્વાર ૫. પેટા– પેટા એટલે પેટી. પેટી જેવા ચોરસ વિભાગમાં ઘરોને કલ્પને વચ્ચેના ઘર છોડી દે અને છેડે રહેલા ઘરોમાંચારેય દિશામાં સમશ્રેણિએ ફરે તે પેટા. ૬. અર્ધપેટા-અર્ધપેટાના આકાર જેવું પરિભ્રમણ જેમાં થાય તે અર્ધપેટા. પેટાની જેમ ઘરોની કલ્પના કરીને ચારને બદલે બે જ દિશામાં રહેલી બે જ ગૃહશ્રેણિમાં ફરે તે અર્ધપેટા. ૭. અભ્યતરશખૂકા– શબૂક એટલે શંખ. શંખના આવર્તની જેમ ગોળ પરિભ્રમણ જેમાં થાય તે બંધૂકા. જેમકે – ક્ષેત્રના મધ્યભાગથી ફરવાનું શરૂ કરીને શખના આવર્તની જેમ ગોળાકાર રહેલા ઘરોમાં ફરતો સાધુ છેલ્લે ક્ષેત્રની બહાર આવે તે અત્યંતરસંબૂકા. ૮. બહિશખૂકા ક્ષેત્રના બહારના ભાગથી ફરવાનું શરૂ કરીને શંખના આવર્તની જેમ ગોળાકારે ફરતો સાધુ ક્ષેત્રના મધ્યભાગમાં આવે તે બાહ્ય શબૂકા. શ ત્રિક ગત્વા પ્રત્યાગતિ ઉપાજી: પ્રજ્જવી Souછે. ' 'પતંગવિર્થ LG ) બાહ્ય થાણૂક પેટા . Ges છે 'P ૬ . અન્યન્તર અખ્તર શક્લક્ષ છે છે @ અર્ધ પણ વિવેચન - સાધુઓ વહોરવા પોતાના ઘરે આવે ત્યારે સન્મુખ જવું એ શ્રાવકોનો વિનયરૂપ આચાર છે. આ વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – “ગુરુને જોતાંની સાથે જ ઊભા થવું, તે આવે ત્યારે સન્મુખ જવું, તેઓને બે હાથ જોડીને મસ્તકે અંજલિ કરવી, પોતે જાતે આસન આપીને બેસવા માટે વિનંતી કરવી, તેઓ આસન ઉપર બેસે પછી પોતે બેસવું, તેમને વંદન કરવું, તેમની શરીરસેવા કરવી, તેઓ જાય ત્યારે પાછળ વળાવવા જવું ઈત્યાદિ ગુરુનો આદરરૂપ વિનય છે. (૧૭૨) आसणेण निमंतित्ता, तओ परियणसंजुओ । वंदए मुणिणो पाए, खंताइगुणसंजुए ॥१७३॥ ઘરે આવેલા સાધુઓને આદરપૂર્વક વહોરાવવાની વિધિને છ ગાથાઓથી કહે છે. ઘરે પધારેલા ક્ષમા આદિ ગુણોથી યુક્ત મુનિને આસન ઉપર બેસવાની વિનંતી કરીને પરિજનયુક્ત શ્રાવક તેમના ચરણોને વંદન કરે. * ક્ષમા આદિ ગુણોથી યુક્ત એ સ્થળે રહેલા આદિ શબ્દથી નમ્રતા, સરળતા, સંતોષ, તપ, સંયમ, સત્ય,
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy